ગુજરાત : IAS અધિકારીઓની બદલીના આદેશ

વિધાનસભાની ચૂંટણી બાદ પણ રાજ્યમાં અધિકારીઓની બદલીનો દોર યથાવત છે. ત્યારે ચૂંટણીમાં આચાર સંહિતા લાગી ગયા બાદ કોઈ અધિકારીની બદલી કરવામાં આવી ન હતી પણ ચૂંટણી પુરી થતા જ આજે બે IAS અધિકારીની બદલીના આદેશ આપવામાં આવ્યા છે. આઈએએસ અધિકારી મોના ખંધારની બદલી કરીને ફાઈનાન્સ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. તેમજ મિલિંદ તોરવણેને ટેક્સ વિભાગના ચિફ કમિશનર બનાવવામાં આવ્યા છે.

ચૂંટણી પહેલા ગૃહવિભાગ દ્વારા અનેક બદલીઓ કરવામાં આવી હતી

અગાઉ ચૂંટણી પહેલા ગૃહવિભાગ દ્વારા અનેક બદલીઓ કરવામાં આવી હતી. જે બાદ આજે ફરી એક વાર 2 IAS અધિકારીઓની બદલી કરાઈ હોવાની માહિતી મળી રહી છે. જેમાં મોના ખંધાર તેમજ મિલિંદ તોરવરણેની બદલી કરવામાં આવી છે.