ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC)ના કર્મચારીઓ માટે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે ગુજરાત ST નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં (DA) 2%નો વધારો કર્યો છે. આ વધારા સાથે હવે કર્મચારીઓને 55%ના દરે મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે.
એસ.ટી.નિગમના કર્મચારીઓ માટે આનંદના સમાચાર !
✅ રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp જી દ્વારા એસ.ટી.નિગમના કર્મચારીઓને હાલ ચૂકવતા મોંઘવારી ભથ્થામાં ૨% ના વધારા સાથે હવેથી ૫૫% મુજબ ભથ્થું ચૂકવવાનો સંવેદનશીલ નિર્ણય લેવામાં આવેલ છે.
✅ આ વધારાની સાથે મોંઘવારી ભથ્થાના…
— Harsh Sanghavi (@sanghaviharsh) August 26, 2025
સરકારના આ નિર્ણયથી ST નિગમના 40,000 કરતાં વધુ કર્મચારીઓને સીધો લાભ થશે, જેના પરિણામે નિગમ પર કુલ રૂ. 30 કરોડથી વધુનો આર્થિક બોજ પડશે. હર્ષ સંઘવીએ આ અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને માહિતી આપી હતી.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં, 28 જાન્યુઆરી, 2025ના રોજ પણ ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આજના નવા નિર્ણયથી કર્મચારીઓના પગારમાં વધારો થશે અને તેમને મોંઘવારી સામે થોડી રાહત મળશે.


