વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપની જીતને ઐતિહાસિક ગણાવી છે. તેમણે કહ્યું કે ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને બિહાર બાદ હવે બંગાળમાં પણ ભાજપની સરકાર બનતા ગંગા કિનારાના તમામ રાજ્યોમાં ભગવો લહેરાયો છે. પીએમ મોદીએ ચૂંટણી પંચ અને સુરક્ષા દળોના વખાણ કરવાની સાથે મહિલા મતદારોની વિક્રમી ભાગીદારીને લોકશાહી માટે શુભ સંકેત ગણાવ્યો હતો. અત્યારે દેશના 20 થી વધુ રાજ્યોમાં NDA ની સરકારો કાર્યરત છે.
Delhi: Prime Minister Narendra Modi says, “Therefore, the BJP, by staying true to its vision, ideology, and commitment to development, is becoming the choice of the nation and is receiving the blessings of the people. The BJP believes in grassroots politics, not family-based… pic.twitter.com/cZXilgYV96
— IANS (@ians_india) May 4, 2026
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં ભૂતકાળને યાદ કરતા કહ્યું, “જ્યારે ગત વર્ષે નવેમ્બરમાં બિહારના પરિણામો આવ્યા હતા, ત્યારે મેં કહ્યું હતું કે ગંગાજી બિહારથી આગળ વધીને ગંગાસાગર સુધી જાય છે. આજે બંગાળની જીત સાથે ગંગોત્રીથી લઈને ગંગાસાગર સુધી માત્ર ‘કમળ’ જ ખીલેલું છે.” આ વિધાન દ્વારા તેમણે ઉત્તરાખંડ (ગંગોત્રીનું ઉદ્ગમ સ્થાન) થી લઈને પશ્ચિમ બંગાળ (ગંગાસાગર) સુધીના તમામ મુખ્ય રાજ્યોમાં ભાજપ અને NDA ના શાસનનો નિર્દેશ કર્યો હતો. તેમણે આ જીતને વર્ષોની તપસ્યા અને કાર્યકર્તાઓની સાધનાનું પરિણામ ગણાવ્યું હતું.
Delhi: Prime Minister Narendra Modi says, “Many of our party workers in Bengal have dedicated their lives to this victory. Numerous BJP women workers have endured immense hardships and atrocities. You cannot imagine the difficulties faced by every BJP worker in Keralam and… pic.twitter.com/Yo2BTqTnEv
— IANS (@ians_india) May 4, 2026
લોકશાહીના મૂલ્યો પર ભાર મૂકતા વડાપ્રધાને જણાવ્યું કે બંગાળમાં 93 ટકા મતદાન થવું એ ઐતિહાસિક ઘટના છે. આ ઉપરાંત અસમ, તમિલનાડુ, પુડુચેરી અને કેરળમાં પણ મતદાનના નવા રેકોર્ડ સર્જાયા છે. પીએમ મોદીએ ખાસ કરીને મહિલાઓની મોટી સંખ્યામાં ભાગીદારીને બિરદાવી હતી અને કહ્યું હતું કે આ ભારતીય લોકશાહીની સૌથી ઉજ્જવળ તસવીર છે. તેમણે શાંતિપૂર્ણ અને સફળ ચૂંટણી પ્રક્રિયા માટે ચૂંટણી પંચ અને સુરક્ષા જવાનોનો આભાર માન્યો હતો.
Delhi: Prime Minister Narendra Modi says, “BJP-led NDA governments are in power in more than 20 states across the country. Our guiding principle is ‘Nagrik Devo Bhava.’ We are committed to serving the people, and that is why public trust in the BJP continues to grow…” pic.twitter.com/bRLtadrCb6
— IANS (@ians_india) May 4, 2026
પુડુચેરીમાં મળેલી સફળતા અંગે પીએમ મોદીએ કહ્યું કે 2021 માં અમે ‘બેસ્ટ પુડુચેરી’નું જે વિઝન રાખ્યું હતું, જનતાએ તેના પર ફરી એકવાર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે ઉમેર્યું કે દેશની જનતા હવે સમજી ગઈ છે કે જ્યાં ભાજપ છે ત્યાં ‘ગુડ ગવર્નન્સ’ (સુશાસન) અને ‘વિકાસ’ છે. ‘નાગરિક દેવો ભવઃ’ ના મંત્ર સાથે ભાજપ જનતાની સેવા કરી રહ્યું છે અને તેના કારણે જ આજે દેશના 20 થી વધુ રાજ્યોમાં NDA ની સરકારો જનતાના આશીર્વાદથી ચાલી રહી છે.
પીએમ મોદીનું આ સંબોધન કાર્યકર્તાઓમાં નવો જોશ ભરનારું રહ્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું કે ભાજપ માટે સત્તા એ માત્ર સેવા કરવાનું સાધન છે. બંગાળમાં મમતા બેનર્જીના શાસનનો અંત અને ભાજપનો ઉદય એ વાતની સાબિતી છે કે જનતા હવે પરિવર્તન અને કેન્દ્ર સાથે સુસંગત વિકાસ ઈચ્છે છે. આ જીત સાથે પીએમ મોદીએ આગામી વર્ષોમાં ભારતને વધુ મજબૂત અને વિકસિત બનાવવાનો સંકલ્પ દોહરાવ્યો હતો.

