મહારાષ્ટ્ર ચૂંટણી માટે શરદ પવાર જૂથની ચોથી યાદી જાહેર

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ સોમવારે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે 6 ઉમેદવારોની ચોથી યાદી બહાર પાડી. આ યાદીમાં શરદ જૂથના NCPએ નાગપુર જિલ્લાની કાટોલ બેઠક પરથી પોતાના ઉમેદવાર બદલ્યા છે. અગાઉ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અને NCPના વરિષ્ઠ નેતા અનિલ દેશમુખ અહીંથી ચૂંટણી લડવાના હતા, પરંતુ હવે તેમની જગ્યાએ પાર્ટીએ તેમના પુત્ર સલિલ દેશમુખને કાટોલથી ઉમેદવાર બનાવ્યા છે. આ સાથે શરદ જૂથે અત્યાર સુધીમાં 82 ઉમેદવારોની જાહેરાત કરી છે.

મહા વિકાસ અઘાડીએ 288 સભ્યોની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે અત્યાર સુધીમાં 265 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. તેમાં કોંગ્રેસના 99, શિવસેના યુબીટીના 84 અને એનસીપી શરદ જૂથના 82 ઉમેદવારોનો સમાવેશ થાય છે. હાલમાં, MVA એ 23 વધુ બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરવાની છે.