તમિલનાડુના રાજકીય ઈતિહાસમાં રવિવારનો દિવસ સુવર્ણ અક્ષરે લખાઈ ગયો છે. તમિલગા વેત્રી કઝગમ (TVK) ના અધ્યક્ષ સી. જોસેફ વિજયે રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. આ સાથે જ છેલ્લા ૬૦ વર્ષથી તમિલનાડુની સત્તા પર વારાફરતી રાજ કરતા બે મુખ્ય પક્ષો – DMK અને AIADMK ના શાસનનો દૌર સમાપ્ત થયો છે. ચેન્નાઈના નહેરુ સ્ટેડિયમમાં આયોજિત ભવ્ય સમારોહમાં રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે વિજયને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.
Chennai, Tamil Nadu: TVK Chief and Chief Minister-designate Vijay received Governor Rajendra Arlekar at Jawaharlal Nehru Stadium to administer the oath of office
(Source: DIPR) pic.twitter.com/8zWc8PsMPi
— IANS (@ians_india) May 10, 2026
ભવ્ય શપથ ગ્રહણ અને મંત્રીમંડળ
રવિવારે સવારે ૧૦ વાગ્યા પછી યોજાયેલા આ કાર્યક્રમમાં વિજયની સાથે અન્ય ૯ મહાનુભાવોએ પણ મંત્રી તરીકે શપથ લીધા હતા. આ મંત્રીમંડળમાં ‘બુસી’ એન. આનંદ, આધવ અર્જુના, કેજી અરુણરાજ, કેએ સેંગોટ્ટૈયન, પી. વેંકટમણન, સીટીઆર નિર્મલકુમાર, એ. રાજમોહન, ટી. કે. પ્રભુ અને એસ. કીર્તનાનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે વિજયના નેતૃત્વવાળી આ સરકાર કોંગ્રેસના સહયોગથી બનેલી ગઠબંધન સરકાર છે. રાજ્યપાલે નવી સરકારને ૧૩ મે સુધીમાં વિધાનસભામાં વિશ્વાસ મત સાબિત કરવા સૂચના આપી છે.
Chennai, Tamil Nadu: Chief Minister Vijay officially assumed charge as the Chief Minister of Tamil Nadu at the Tamil Nadu Secretariat
(Source: TVK) pic.twitter.com/B9MOF1FJ5O
— IANS (@ians_india) May 10, 2026
બહુમતીનું ગણિત અને સમર્થન
તમિલનાડુ વિધાનસભામાં બહુમતી સાબિત કરવા માટે ૧૧૮ ધારાસભ્યોના સમર્થનની જરૂર હોય છે. વિજયની પાર્ટી TVK ને વીસીકે (VCK) અને આઈયુએમએલ (IUML) એ બિનશરતી સમર્થન જાહેર કર્યું છે. આ બંને પક્ષો પાસે બબ્બે ધારાસભ્યો છે. હવે વિજય પાસે કુલ ૧૨૦ ધારાસભ્યોનું સંખ્યાબળ છે, જે બહુમતીના આંકડાથી વધુ છે. આ જીત અને સમર્થન સાથે વિજયે રાજ્યમાં એક નવા રાજકીય સમીકરણની શરૂઆત કરી છે.
દિગ્ગજ નેતાઓની હાજરી
આ ઐતિહાસિક પળના સાક્ષી બનવા માટે દેશના અનેક દિગ્ગજ નેતાઓ ચેન્નાઈ પહોંચ્યા હતા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિતના મોટા નેતાઓની હાજરીએ આ કાર્યક્રમને રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનું કેન્દ્ર બનાવ્યો હતો. ચાહકો અને સમર્થકોની ભારે ભીડ વચ્ચે વિજયે મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળીને રાજ્યમાં સામાજિક ન્યાય અને પરિવર્તનનો વાયરો ફૂંક્યો છે.

