ધર્મેન્દ્રની તબિયતમાં સુધાર, સની દેઓલની ટીમે આપી જાણકારી

પીઢ અભિનેતા ધર્મેન્દ્રની તબિયતમાં હવે સુધાર આવી રહ્યો છે. સની દેઓલની ટીમે નવીનતમ અપડેટ આપી છે. મંગળવારે સવારેથી ધર્મેન્દ્રએ દુનિયાને અલવિદા કહી દીધું છે એવી અફવાઓ વહેતી થઈ હતી. ધર્મેન્દ્રની પુત્રી એશા દેઓલે પોસ્ટ કરી હતી કે ધર્મેન્દ્રની તબિયત હાલમાં સ્થિર છે, જ્યારે તેમની પત્ની, હેમા માલિનીએ પણ ખોટા સમાચાર ફેલાવનારાઓને ઠપકો આપ્યો છે.

આ દરમિયાન સની દેઓલની ટીમે ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય અંગે નવીનતમ અપડેટ આપી છે. સની દેઓલની ટીમના જણાવ્યા અનુસાર ધર્મેન્દ્રની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે અને તેઓ સ્વસ્થ થઈ રહ્યા છે. સનીની ટીમે અભિનેતાના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવાની અપીલ કરી છે. સનીની ટીમના આ નિવેદન બાદ ધર્મેન્દ્રના ચાહકોએ રાહતનો શ્વાસ લીધો છે.

શત્રુઘ્ન સિંહાએ નારાજગી વ્યક્ત કરી

ધર્મેન્દ્રના મિત્ર અને પીઢ અભિનેતા શત્રુઘ્ન સિંહાએ પણ તેમના મૃત્યુના ખોટા સમાચાર પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. બોલિવૂડ હંગામા સાથે વાત કરતા અભિનેતાએ કહ્યું, “ધરમજી પાસે પોતાની કોઈ ટીમ નથી, તો તેમના મૃત્યુના સમાચાર કેવી રીતે અને કોણે પુષ્ટિ આપી?”

તેમણે વધુમાં કહ્યું કે, “હું આજે સવારે ઉઠ્યો અને માની લીધું કે આ અહેવાલો સાચા છે કારણ કે તે વિશ્વસનીય પોર્ટલ અને પ્રકાશનોમાંથી આવ્યા હતા. મને આશ્ચર્ય અને રાહત થઈ કે આ અહેવાલો ખોટા હતા. બધાના પ્રિય ધરમજી સ્વસ્થ છે અને ટૂંક સમયમાં ઘરે પાછા ફરશે. તેમના દુશ્મનો મૃત્યુ પામે.”

ધર્મેન્દ્રની તબિયત ખરાબ હોવાની જાણ થતાં જ બોબી દેઓલના નજીકના મિત્ર અને અભિનેતા નિખિલ દ્વિવેદી તેમના ઘરે પહોંચ્યા હતા. થોડા સમય પહેલા નિખિલને મુંબઈમાં ધર્મેન્દ્રના ઘરની બહાર જોવામાં આવ્યો હતો.