રક્ષા મંત્રી રાજનાથ સિંહ કોરોના પોઝિટિવ

કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. અધિકારીઓ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. રાજનાથ સિંહમાં હળવા લક્ષણો છે જેના પછી તેમણે પોતાને ક્વોરેન્ટાઈન કરી લીધા છે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે ડોક્ટરોએ રાજનાથ સિંહને આરામ કરવાની સલાહ આપી છે. મંત્રાલયે કહ્યું કે રાજનાથ આજે દિલ્હીમાં ભારતીય વાયુસેના કમાન્ડર્સની કોન્ફરન્સમાં ભાગ લેવાના હતા, પરંતુ કોરોના વાયરસથી સંક્રમિત હોવાને કારણે તેઓ તેમ કરી શકશે નહીં.

રાજનાથ સિંહે કેનેડાના સંરક્ષણ પ્રધાન અનિતા આનંદ સાથે વાત કરી હતી

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે બુધવારે (19 એપ્રિલ) કેનેડાના સંરક્ષણ પ્રધાન અનિતા આનંદ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને બંને દેશોની સંરક્ષણ ભાગીદારીને ઉચ્ચ સ્તરે લઈ જવાની દિશામાં કામ કરવાનો સંકલ્પ કર્યો હતો. આ વાતચીત દરમિયાન અનિતા આનંદે સિંહને કેનેડાની ઈન્ડો-પેસિફિક વ્યૂહરચના અને ભારત સાથેના સંબંધોને વધારવાના મહત્વ વિશે માહિતી આપી હતી.

સંરક્ષણ પ્રધાન સિંહે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત સ્પર્ધાત્મક જમીન અને શ્રમ ખર્ચ સાથે એક આકર્ષક સંરક્ષણ ઉત્પાદન સ્થળ છે. સંરક્ષણ પ્રધાને તેમને કહ્યું કે કેનેડિયન સંરક્ષણ કંપનીઓ ભારતમાં લશ્કરી સાધનોના સહ-ઉત્પાદન પર ધ્યાન આપી શકે છે. રાજનાથ સિંહે ટ્વીટ કર્યું, “કેનેડાના સંરક્ષણ પ્રધાન અનિતા આનંદ સાથે વાતચીત કરીને આનંદ થયો. અમે કેનેડાની ઈન્ડો-પેસિફિક વ્યૂહરચનાનું સ્વાગત કર્યું. ઔદ્યોગિક સહયોગ સહિત દ્વિપક્ષીય સંરક્ષણ સંબંધો વિકસાવવાના માર્ગો પર ઉત્તમ ચર્ચા થઈ. કેનેડિયન સંરક્ષણ કંપનીઓને ભારતમાં રોકાણ અને ઉત્પાદન કરવા આમંત્રણ આપવામાં આવ્યું હતું.