વેદાંતા ગ્રુપની ભારતમાંની ડિસ્પ્લે ફેક્ટરી 3,500 જણને રોજગાર આપશે

નવી દિલ્હીઃ વેદાંતા ગ્રુપ હજી સુધી પ્રયત્ન ન કરાયેલા ડિસ્પ્લે બિઝનેસમાં ઝંપલાવી રહ્યું છે. તે પશ્ચિમ ભારતમાં 4 અબજ ડોલર (આશરે 32,811 કરોડ રૂપિયા)ના મૂડીરોકાણ સાથે નવી ફેક્ટરી બનાવવા ધારે છે. એ માટે તે સ્થાનિક તેમજ વૈશ્વિક સ્તરે નિપુણ લોકોને નોકરીએ રાખશે. આ જાણકારી કંપનીના નવા નિયુક્ત કરાયેલા ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર વાઈ.જે. ચેને આપી છે. ચેન આ પહેલાં ચાઈનીઝ ડિસ્પ્લે ઉત્પાદક કંપની HKCમાં કામ કરી ચૂક્યા છે. એમણે કહ્યું છે કે, ‘ભારતમાં બાંધવામાં આવનાર લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે પેનલ ફેબ્રિકેશન ફેક્ટરી માટે એમનું ગ્રુપ દક્ષિણ કોરિયા, તાઈવાન, જાપાન તથા અન્ય દેશોમાંથી ટેક્નિશિયન અને ખૂબ જ ટેલેન્ટેડ લોકોને નોકરીએ રાખશે. આ ફેક્ટરીથી 3,500 જેટલી નોકરીઓનું નિર્માણ થશે.’ ડિસ્પ્લે ઉદ્યોગમાં ચેન 23 વર્ષનો અનુભવ ધરાવે છે.

(તસવીર સૌજન્યઃ https://www.vedantalimited.com)

વેદાંતા ગ્રુપે ડિસ્પ્લે બિઝનેસ શરૂ કરવા માટે ફોક્સકોન ગ્રુપ સાથે ભાગીદારી કરી છે. ગ્રુપ ભારતની ફેક્ટરીમાં એલસીડી ગ્લાસ અને પેનલ્સના ઉત્પાદન અને એસેમ્બલિંગ શરૂ કરશે. ચેનનું કહેવું છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર તરફથી જો આર્થિક ભંડોળ પ્રાપ્ત થાય તો આ ફેક્ટરી 2025ના અંત સુધીમાં કાર્યાન્વિત થઈ જવાની ધારણા છે.

ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ સંકલ્પ કર્યો છે કે એમની સરકાર ભારતમાં ચિપ અને ડિસ્પ્લે ઉત્પાદન કરનાર કંપનીઓને આર્થિક સહાયતા કરશે. એ માટે મોદીએ 10 અબજ ડોલર (આશરે 82,028 કરોડ રૂપિયા) ફાળવવાનું નક્કી કર્યું છે. વેદાંતા ગ્રુપ જાપાનની અવાન-સ્ટ્રેટ કંપનીની માલિકી પણ ધરાવે છે, જે એલસીડી પેનલ્સમાં વપરાતા લેયર્સ બનાવે છે.

નવી દિલ્હીસ્થિત અને વૈશ્વિક સ્તરીય બિઝનેસ કરતા વેદાંતા ગ્રુપ એલ્યુમિનિયમ, ઝીંક, લેડ અને સિલ્વર, ઓઈલ અને ગેસ, કાચું લોખંડ, સ્ટીલ, તાંબુ જેવા કુદરતી સંસાધનો તેમજ વીજળીનું ઉત્પાદન કરે છે અને દુનિયામાં સપ્લાય કરે છે. તે સાઉથ આફ્રિકા, લાઈબેરિયા અને નામિબીયામાં પણ બિઝનેસ કરે છે. કંપનીનું નેતૃત્ત્વ સંભાળનારાઓ છેઃ અનિલ અગ્રવાલ (નોન-એક્ઝિક્યૂટિવ ચેરમેન), નવીન અગ્રવાલ (એક્ઝિક્યૂટિવ વાઈસ-ચેરમેન),