‘સ્વતંત્રતા દિવસ’ નિમિત્તે એનએસઈ ઈમારત તિરંગાના રંગોથી સુશોભિત

મુંબઈઃ ભારતના ‘સ્વતંત્રતા દિવસ’ના અવસરે અત્રે બાન્દ્રા-કુર્લા કોમ્પલેક્સ (બીકેસી) વિસ્તારમાં આવેલા નેશનલ સ્ટોક એકસચેંજ (એનએસઈ)ના ભવ્ય મકાનને રાષ્ટ્રધ્વજ (તિરંગા)ના રંગોથી શણગારવામાં આવ્યું છે.

એનએસઈના મેનેજિંગ ડિરેક્ટર આશિષ ચૌહાણે આ અવસરે એક નિવેદનમાં સ્વાતંત્ર્ય સેનાનીઓનાં બલિદાન અને યોગદાનને યાદ કરીને જણાવ્યું છે કે એ મહાન વ્યક્તિઓએ સાર્વભૌમ અને સમૃદ્ધ ભારતની કલ્પના કરી હતી. વિશ્વના અગ્રણી અર્થતંત્રો પૈકી એક તરીકે આપણે પરિવર્તન, વૃદ્ધિ અને વિકાસની ટોચ ઉપર ઊભા છીએ, જે નવા ભારતની ભાવનાનું પ્રતિનિધિત્વ કરે છે. એનએસઇ મૂડીબજારની રચના, રાષ્ટ્ર-નિર્માણ અને રોજગાર સર્જન માટે ઉત્પ્રેરક બનવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે તથા રોકાણકારોના સશક્તિકરણ માટે સતત પ્રયત્નશીલ છે.