બજેટ-2024 સિનિયર સિટિઝન્સને રેલવેભાડામાં મળતી છૂટ ક્યારે?

નવી દિલ્હીઃ મોદી સરકાર 3.0નું પહેલું બજેટ જુલાઈના ત્રીજા સપ્તાહમાં સંસદમાં રજૂ કરવામાં આવશે. નવા બજેટથી લોકોને અપેક્ષા હોય છે. આ વખતે સરકાર વરિષ્ઠ નાગરિકો માટે ટ્રેન ભાડામાં મળનારી ફરૂ શરૂ કે એવી વકી છે. સિનિયર સિટિઝનને રેલવે ભાડામાં મળનારી છૂટ લાખ્ખો લોકો પર અસર કરે છે. સિનિયર સિટિઝન્સ માટે ભારતીય રેલ એક કિફાયતી ટ્રાવેલ વિકલ્પ છે.

માર્ચ, 2020માં કોરોનાના રોગચાળાના સમયે રેલવેએ વરિષ્ઠ નાગરિકો અને ટ્રાન્સજેન્ડર નાગરિકોને મળનારી છૂટ બંધ કરી દીધી હતી. આ પહેલાં ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે ટિકિટ ભાડામાં વરિષ્ઠ મહિલા યાત્રીઓને 50 ટકા, જ્યારે વરિષ્ઠ પુરુષ અને ટ્રાન્સજેન્ડર નાગરિકોને 40 ટકા છૂટ મળતી હતી. આ છૂટ બંધ થયા પછી વરિષ્ઠ નારિકોને પણ સામાન્ય યાત્રીઓને જેમ પૂરું ભાડું આપવું પડે છે. રેલવેના નિયમો મુજબ 60 વર્ષથી વધુના પુરુષ અને ટ્રાન્સજેન્ડર્સ અને 58 વર્ષના મહિલા યાત્રીઓની ગણતરી સિનિયર સિટિઝનમાં કરવામાં આવે છે.

રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવને જ્યારે વરિષ્ઠ નાગરિકોના ભાડામાં મળનારી છૂટ વિશે પૂછવામાં આવ્યું હતું તો તેમણે કહ્યું હતું કે રેલવે પહેલેથી જ બધા યાત્રીઓને રેલ ભાડામાં 55 ટકાની છૂટ આપી રહી છે.  રેલવેએ નાણાકીય વર્ષ 2022-23માં 15 કરોડ વરિષ્ઠ નાગરિકોથી આશરે રૂ. 2242 કરોડની મબલક કમાણી કરી હતી.

હવે સવાલ એ છે કે શું આ વખતે બજેટ 2024માં વરિષ્ઠ નાગરિકો માટે રેલવે ભાડામાં મળનારી છૂટ ફરીથી શરૂ કરવામાં આવશે? કેમ કે આ નિર્ણય માત્ર નીતિઓનો મામલો નથી, પણ સામાજિક મૂલ્યો અને પ્રાથમિકતાનો મામલો છે.