BSE, SEBI દ્વારા સાયબર સિક્યુરિટી કોન્ફરન્સનું આયોજન

મુંબઈ – દેશમાં સાયબર ફૂટપ્રિન્ટનો વધારો થવાથી સાયબરઅટેક્સ અને તેના સંબંધિત જોખમોમાં વધારો થઈ રહ્યો છે. આ સંભવિત જોખમોની વૃદ્ધિને રોકવા તેમ જ સાયબર ગુનાઓના વધતાં જતાં જોખમો વિશે જાગૃતિ લાવવા માટે, બીએસઈ દ્વારા સેબી અને મહારાષ્ટ્ર સાયબરના સહયોગથી શુક્રવાર, 10 જાન્યુઆરી, 2020ના રોજ બીએસઈના આંતરરાષ્ટ્રીય કન્વેન્શન હોલમાં ‘સાયબર સિક્યુરિટી કોન્ફરન્સ’ યોજવામાં આવી હતી.

આ કોન્ફરન્સમાં સંજય બહલ (ડીજી, સીઇઆરટી-ઈન), અજીત બાજપાઇ (અધ્યક્ષ, એનસીઆઈપીસી), બ્રિજેશ સિંઘ (આઈપીએસ, સ્પેશિયલ આઇજીપી સાયબર) અને શ્રીમતી રમા વેદાશ્રી (સીઈઓ, ડીએસસીઆઈ)એ વક્તવ્ય આપ્યાં હતાં. સેબીના પૂર્ણ-સમયના સભ્ય, શ્રી એસ કે મોહંતી આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિરૂપે ઉપસ્થિત રહ્યા હતા.

રજિસ્ટર્ડ બ્રોકર્સને પ્રક્રિયા અને ટેકનોલોજીની દૃષ્ટિએ સલામત ટ્રેડિંગ ઇકોસિસ્ટમ સુનિશ્ચિત કરી નીતિઓનું પાલન કરવા સેબીએ સ્ટોક બ્રોકર્સ અને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ્સ માટે 3 ડિસેમ્બર, 2018ના રોજ સાયબર સિક્યુરિટી અને સાયબર રેસિલેન્સ ફ્રેમવર્ક બહાર પાડ્યું હતું. સાઇબર સિક્યુરિટીઝ દ્વારા સ્પાયવેર, હેક્સ અને અન્ય અનિચ્છનીય પ્રોગ્રામોથી બજારના ડેટાને કેવી રીતે સુરક્ષિત રાખવામાં મદદ કરી શકે તેની જાણકારી બજારના સહભાગીઓ અને રોકાણકારોને સમજાય તે માટે આ સાયબર સિક્યુરિટીની કોન્ફરન્સ યોજવામાં આવી હતી.

આ પ્રસંગે બીએસઈના એમડી અને સીઈઓ, શ્રી આશિષકુમાર ચૌહાણએ સૌને આવકારતાં કહ્યું હતું કે ડિજિટલ ઇન્ડિયા પર સરકારનું ધ્યાન કેન્દ્રિત થયેલું છે તેને પગલે અહીંના વ્યવસાયની રીત ખૂબ પ્રભાવિત થઈ છે. પાછલા દાયકામાં, નાણાકીય ક્ષેત્રમાં નોંધપાત્ર ફેરફાર થયો છે અને નવી ઈન્ફોર્મેશન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં સક્ષમ છે. મોબાઈલ ટ્રેડિંગ અને એલ્ગોરિધમ ટ્રેડિંગ જેવી ઘણી નવી ટેક્નોલોજીઓએ મૂડી બજારોને વધુ ઝડપી અને સસ્તી બનાવી છે, જે વધુ જોખમી પણ છે. મૂડી બજારોની ઇકોસિસ્ટમમાં વ્યક્તિગત રોકાણકારો, સામાન્ય નાગરિકોનો સમાવેશ થાય છે અને મૂડી બજારોમાં એક મજબૂત સાયબર ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું ખેલાડીઓ માટે એક વિશેષાધિકાર બની ગયો છે.

આ કોન્ફરન્સમાં મૂડી બજારોના હિતધારકો માટે સાયબર રિસ્ક અને ડેટા ગોપનીયતાના ક્ષેત્રમાં પ્રગતિ કરવા અંગેની ચર્ચા થઈ હતી. સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી), નેશનલ ક્રિટિકલ ઈન્ફોર્મેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોટેક્શન સેન્ટર (એનસીઆઈઆઈપીસી), મહારાષ્ટ્ર પોલીસ (સાયબર સેલ), નેશનલ સાયબર સિક્યુરિટી કોર્ડિનેટર (એનસીએસસી), એક્સચેન્જ, ક્લિયરિંગ કોર્પોરેશન્સ, માર્કેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્સ્ટિટ્યુશન (એમઆઈઆઈ) આ કોન્ફરન્સમાં જોડાયા હતા. શ્રી હરીશ બૈજલ (ડીઆઈજી સાયબર) અને શ્રી બાલસિંગ રાજપૂત (એસપી સાયબર)એ ‘ફાઇટિંગ સાયબર ક્રાઇમ’ પર પ્રકાશ પાડ્યો હતો અને મહારાષ્ટ્ર સાયબર દ્વારા સાયબર ક્રાઇમ કેસના અભ્યાસ અંગે પ્રેક્ષકો સાથે ચર્ચા કરી હતી.