મુંબઈ: અનંત અંબાણી તરફથી સામાન્ય લોકો માટે 50 દિવસ સુધી ભંડારો

મુંબઈ: મુકેશ અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન 12 જુલાઈના રોજ થવાના છે. આ લગ્ન મુંબઈના Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં થશે. અંબાણી પરિવારે આ લગ્નની ઉજવણી માટે ઘણી પ્રવૃત્તિઓનું આયોજન કર્યું છે. અંબાણી પરિવાર તેના લોક કલ્યાણના કાર્યો માટે પણ જાણીતો છે. તાજેતરમાં આ પરિવારે 50 યુગલોના સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું. આ સમૂહ લગ્નમાં નીતા અંબાણીએ તરીકે દરેક કન્યાને સોનાના દાગીના સાથે એક લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. અંબાણી પરિવાર અનંત-રાધિકાના લગ્નની ઉજવણી માત્ર VIP લોકો સાથે જ નહીં પરંતુ સામાન્ય લોકો સાથે પણ કરી રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં આ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

45 દિવસ સુધી આખો દિવસ ભંડારો

મુંબઈના સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાનીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં સામાન્ય લોકો સ્વાદિષ્ટ ભોજનની મજા લેતા જોવા મળે છે. વિરલ ભાયાણીના જણાવ્યા અનુસાર એન્ટિલિયા હેઠળ ભંડારો રાખવામાં આવ્યો છે, જે સતત ચાલુ હોય છે. સામાન્ય લોકો આખો દિવસ અહીં ભોજન કરે છે. આ ભંડારા શરૂ થયાને 45 દિવસથી વધુ સમય થઈ ગયો છે. આ ભંડારામાં દરરોજ લગભગ 9000 લોકો ભોજન કરી રહ્યા છે. ભંડારાની છેલ્લી તારીખ 15મી જુલાઈ છે. વીડિયોમાં લોકોને ભોજન પીરસવામાં આવતા જોઈ શકાય છે. અહીં આવતા લોકો ભોજનની ખૂબ પ્રશંસા કરતા જોવા મળે છે અને અનંત-રાધિકાને તેમના લગ્ન માટે શુભેચ્છા પાઠવતા જોવા મળે છે. વિરલ ભાયાણીએ પોતાની પોસ્ટમાં લખ્યું, ‘અનંત અંબાણીની ઉદારતા ખરેખર અમર્યાદિત છે. 45 દિવસથી વધુ સમય થઈ ગયો છે, દિવસભર ભંડારો ચાલુ છે.’

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

ભંડારામાં સ્વાદિષ્ટ વાનગીઓ
વાયરલ વીડિયોમાં તમે સરળતાથી ભંડારામાં પીરસવામાં આવતી વાનગીઓ જોઈ શકો છો. જેમાં વેજ પુલાવ, ઢોકળા, પુરી, ગટ્ટેની સબ્ઝી, પનીર સબ્ઝી અને રાયતાનો સમાવેશ થાય છે. અંબાણી પરિવારે તાજેતરમાં જ હલ્દી, સંગીત અને મહેંદી સેરેમનીની ઉજવણી કરી હતી. હવે લગ્નની બાકીની વિધિઓ ઉજવવાની છે. અહેવાલો અનુસાર, ‘શુભ આશીર્વાદ’ 13 જુલાઈના રોજ થવાનું છે. આ પછી 14 જુલાઈએ ‘મંગલ ઉત્સવ’ અથવા લગ્નનું રિસેપ્શન યોજવાનું છે.