અમિત શાહ 2 દિવસના ગુજરાત પ્રવાસે આવશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે. જેમાં નવરાત્રિના પ્રારંભમાં અમિત શાહ ગુજરાત આવશે. 3 અને 4 ઓક્ટોબર બે દિવસના પ્રવાસે આવશે. માણસા ખાતે કુળદેવી બહુચર માતાજીના દર્શન કરશે. પરિવાર સાથે બહુચર માતાના મંદિરે આરતી-પૂજા કરશે. તેમજ ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં પણ હાજરી આપશે. જેમાં અમિત શાહ અડાલજમાં આરોગ્ય ધામનું લોકાર્પણ કરશે.

3 તારીખે સાણંદ ધારાસભ્યના કાર્યાલયને ખૂલ્લું મુકશે. તથા બપોરે 12 કલાકે કનુ પટેલના કાર્યાલયને ખૂલ્લું મુકશે. તેમજ 3 તારીખે અમદાવાદ CP કચેરીનું લોકાર્પણ કરશે. ભાડજની શાળાનું લોકાર્પણ સાથે જાહેર સભાનું આયોજન છે. 3 તારીખે અમદાવાદ GMDC ખાતે અમિત શાહ હાજર રહેશે. વાઈબ્રન્ટ નવરાત્રીના કાર્યક્રમમાં અમિત શાહ હાજર રહેશે. અમદાવાદ મનપાના કરોડોના પ્રોજેકટના ખાતમુહૂર્ત કરશે. 4 તારીખે ADC બેંકના કાર્યક્રમમાં અમિત શાહ હાજરી આપશે. તેમાં સવારે 11 કલાકે ADC બેંકના કાર્યક્રમમાં હાજરી આપશે. 4 તારીખે સાંજે અમિત શાહ માણસા કુળદેવીના દર્શને જશે.

સંસદીય વિસ્તારના અન્ય વિકાસકાર્યોમાં હાજરી આપશે. જેમાં ગાંધીનગર લોકસભામાં વિવિધ જાહેર કાર્યક્રમોમાં પણ હાજરી આપશે. તેમજ અડાલજ ખાતે નવનિર્મિત આરોગ્ય ધામના લોકાર્પણ તથા ૩ તારીખે બપોરે 12 કલાકે સાણંદ ધારાસભ્ય કનું પટેલના કાર્યાલયને ખુલ્લું મૂકશે. તેમજ અમદાવાદ કોર્પોરેશનના કરોડોના પ્રોજેક્ટના ખાત મુહર્ત કરશે. 4 તારીખે સવારે 11 કલાકે ADC બેંકની સ્વર્ણિમ શતાબ્દી કાર્યક્રમમાં હાજરી આપશે. તથા સાંજે માણસા કુળદેવીના દર્શને જશે તથા સંસદીય વિસ્તારના અન્ય વિકાસકાર્યોમાં પણ હાજરી આપશે.