કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે છે. જેમાં 3 દિવસમાં અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. 5થી લઈને 7 ડિસેમ્બર 2025 સુધી વિવિધ લોકાર્પણ કાર્યક્રમો યોજાશે.

5 ડિસેમ્બરે ગાંધીનગરમાં કોર્પોરેશનના વિવિધ લોકાર્પણ કાર્યક્રમો છે. જેમાં કોર્પોરેશન સંચાલિત તળાવો અને બગીચાઓનો ઉદ્ધાટન સમારોહની સાથે વિવિધ કાર્યક્રમોમાં શાહ લોકો સાથે સંવાદ કરશે. 6 ડિસેમ્બરે બનાસકાંઠામાં વિવિધ લોકાર્પણ કાર્યક્રમ ઉપરાંત બનાસ ડેરીના વિવિધ પ્લાન્ટની મુલાકાત લેશે. બનાસકાંઠાના મહિલા દૂધ ઉત્પાદકો સાથે પણ સંવાદ કરશે. 7 ડિસેમ્બરે અમદાવાદમાં વિવિધ લોકાર્પણ કરશે.
થલતેજમાં 861 EWS આવાસનું અમિત શાહના હસ્તે લોકાર્પણ થશે. સરખેજ અને બોડકદેવમાં વિકાસના વિવિધ કાર્યોનું લોકાર્પણ થશે. ગોતામાં મિનિ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું લોકાર્પણ કરશે.
કેન્દ્રીય ગૃહમંત્રી સાઉથ બોપલમાં ઓક્સિજન પાર્ક, અને વસ્ત્રાપુર તળાવનું લોકાર્પણ કરશે. જયારે નવા વાડજમા 350 EWS આવાસનું ઉપરાંત સાથે જ ગોતામાં વિકાસ કાર્યોનું ખાતમૂહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. UPના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન આધારિત પુસ્તકનું વિમોચન થશે. તેમજ BAPS દ્વારા આયોજિત પ્રમુખ વરણી અમૃત મહોત્સવમાં અમિત શાહ ભાગ લેશે.




