રામ, લક્ષ્મણ, હનુમાન, રાવણ સહિત રામાયણના પાત્રોની સવારીની સમગ્ર વિસ્તારમાં શોભાયાત્રા નીકળી હતી. ત્યારબાદ ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી. વિજયા દશમીના વિજય સ્વરૂપે દશમાથા વાળા રાવણના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. રાવણ દહન પહેલાં ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી. સાબરમતી રેલવે કોલોનીના ફૂટબોલ ગ્રાઉન્ડમાં રાવણ દહનના કાર્યક્રમને નિહાળવા હજારો લોકો ઉમટી પડ્યા હતા.

(પ્રજ્ઞેશ વ્યાસ)




