અમદાવાદઃ અદાણી પોર્ટસ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ.એ. ૧૫ વર્ષના સમયગાળા માટે નોન કન્વર્ટિબલ ડિબેન્ચર (NCD) મારફત રૂ. 5000 કરોડ સફળતાપૂર્વક પ્રાપ્ત કર્યા છે. અદાણી પોર્ટસની મજબૂત નાણાકીય સધ્ધરતા અને AAA -સ્થિર રેટીંગના ટેકાના આધારે NCDનો આ ઇસ્યુ વાર્ષિક 7.75 ટકાના સ્પર્ધાત્મક કૂપનના દરે આખરી થયો છે અને જીવન વિમા નિગમ (LIC) દ્વારા તેનું સંપૂર્ણપણે ભરણું કરવામાં આવ્યું છે, આ ડિબેન્ચર બોમ્બે સ્ટોક એક્સચેંજ ઉપર લિસ્ટેડ થશે.
આ ઇસ્યુ વૈવિધ્યસભર સ્ત્રોતોમાંથી લાંબા ગાળા માટે મૂડી મેળવવાની અદાણી પોર્ટસની ક્ષમતાની પ્રતીતિ કરાવવા સાથે APSEZL ડેટ મેચ્યોરિટી પ્રોફાઇલમાં નોંધપાત્ર વધારો કરે છે. આ વ્યવહાર APSEZLને તેના અસ્તિત્વના ઇતિહાસના સૌથી લાંબા ગાળાના ઇસ્યુ માટે સ્થાનિક બજારોમાં પ્રવેશના માર્ગને ખોલે છે. આ ઇસ્યુ ભારતીય મૂડીબજારની તવારીખમાં સૌથી લાંબા ગાળામાંનો એક છે. બોન્ડની આ રકમ અદાણી પોર્ટસના USD બોન્ડ્સના પ્રસ્તાવિત બાયબેક ભંડોળ પૂરું પાડશે. જે ૩૧ મે, ૨૦૨૫એ બોર્ડની મંજૂરી માટે બાકી છે. આ સંપૂર્ણ ભરણું એકંદર દેવાંની પાકતી મુદતને 4.8 વર્ષથી વધારી 6.2 વર્ષની કરશે.
કંપનીના પૂર્ણકાલિન ડિરેક્ટર અને CEO અશ્વની ગુપ્તાએ જણાવ્યું હતું કે આ માત્ર નાણાકીય સહાય જ નહીં, પરંતુ APSEZ માટે સંભાળપૂર્વક વિક્સિત મૂડી વ્યવસ્થાપન યોજનાનું સક્રિય અમલીકરણ છે. જે રૂઢિચુસ્ત લીવરેજ જાળવવા, દેવાંની પરિપકવતાની પ્રોફાઇલને વિસ્તારવા, ખર્ચ ઘટાડવા અને ભંડોળોના સ્ત્રોતોનું વૈવિધ્યકરણ કરવા ઉપર કેન્દ્રિત છે. આ યોજના કંપનીને વિશ્વની સૌથી વિરાટ સંકલિત પરિવહન યુટિલિટી બનાવવાની પરિકલ્પનાને સાકાર કરવા માટે ઘડવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે APSEZનું લક્ષ્ય નાણાકીય વર્ષ-૨૦૩૦ સુધીમાં ૧ અબજ ટન કાર્ગોનું પરિવહન કરવાનું છે. જે નાણાં વર્ષ-૨૫ના લક્ષ્ય કરતાં બમણું છે. કંપનીએ તેની પોર્ટ કામગીરી ઉપરાંત તેના લોજિસ્ટિક્સ અને સામુદ્રિક વ્યવસાયોના વિસ્તરણની પણ મહત્ત્વાકાંક્ષી યોજનાઓ પ્રસ્તુત કરી છે.
Adani Ports and Special Economic Zone Ltd (APSEZ), India’s largest integrated transport utility, has successfully raised INR 5,000 crore through a 15-year Non-Convertible Debenture (NCD) pic.twitter.com/pyPdyDlVvK
— IANS (@ians_india) May 30, 2025
દેવાંની ચુકવણીની સમયાવધિ અને મૂડી ખર્ચમાં સતત સુધારો થવાના પરિણામે અદાણી પોર્ટસને શાંત મૂડી અને ઊંચી પ્રવાહિતા સુલભ થાય છે, જે લાંબા ગાળાના આયોજન અને વિરાટકાય પ્રકલ્પો માટે મહત્વના છે. વધુમાં તે ઇનઓર્ગેનિક તકો માટે સરળ નાણાકીય અનુકૂળતા પૂરી પાડી નવા આયામો, ટેક્નોલોજીના અપગ્રેડેશન અને કામકાજની કાર્યક્ષમતા વધારવા માટે સંસાધનોના પુન:વિતરણને સક્ષમ બનાવે છે.
