વીર સાવરકરની જન્મજયંતિ પર રણદીપ હૂડાએ સેલ્યુલર જેલની લીધી મુલાકાત

આજે સ્વાતંત્ર્યસેનાની વીર સાવરકરની 141મી જન્મજયંતિ છે. ત્યારે અભિનેતા રણદીપ હૂડાએ સેલ્યુલર જેલની મુલાકાત લીધી હતી અને વીર સાવરકરને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.તાજેતરમાં જ અભિનેતાણ રણદીપ ભારતીય સ્વતંત્રતા સેનાની અને સુધારક વિનાયક દામોદર સાવરકર પરની બાયોપિક ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’માં જોવા મળ્યા હતા. આમાં અભિનેતાએ સાવરકરની મુખ્ય ભૂમિકા ભજવી હતી. હવે તેમની 141મી જન્મજયંતિ પર રણદીપ હૂડાએ આંદામાન અને નિકોબાર ટાપુઓની સેલ્યુલર જેલની મુલાકાત લીધી, જ્યાં સાવરકરને આજીવન કેદની સજા કરવામાં આવી હતી. રણદીપે તેની પત્ની લીન લેશરામ સાથે સેલ્યુલર જેલની મુલાકાત લીધી હતી.

રણદીપ હુડ્ડાએ કહ્યું, ‘વીર સાવરકરની વાર્તા વાંચતી વખતે અને તેને પડદા પર મૂકતી વખતે તેમાં મારી ઘણી ભાગીદારી રહી. વીર સાવરકરજીના સારને સમજનારા લોકો તરફથી મને પ્રશંસા મળે છે ત્યારે તે ખૂબ જ સારું લાગે છે. મેં તેની વાર્તાને ખૂબ જ સારી અને શક્તિશાળી રીતે સ્ક્રીન પર રજૂ કરી છે. આજે આપણે અહીં સેલ્યુલર જેલમાં આવ્યા છીએ, જ્યાં વિનાયક જીને સજા કરવામાં આવી હતી. 50 વર્ષની આજીવન કેદ… તમામ શક્તિશાળી ક્રાંતિકારીઓને અંગ્રેજોએ દેશથી દૂર એકાંત કેદમાં રાખ્યા હતા અને આ તે સ્થાન છે…’.

એવોર્ડથી સન્માનિત

ફિલ્મ ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ આ વર્ષે 22 માર્ચે રિલીઝ થઈ હતી. આ ફિલ્મ હવે વીર સાવરકરની 141મી જન્મજયંતિ પર 28મી મેના રોજ Zee5 પર પ્રીમિયર થશે. આ ફિલ્મમાં અંકિતા લોખંડેએ સાવરકરની પત્ની યમુનાબાઈની ભૂમિકા ભજવી હતી. આ પહેલા રવિવારે રણદીપ હુડાને આ બાયોપિકમાં તેની ભૂમિકા માટે મુંબઈમાં પ્રતિષ્ઠિત સ્વતંત્ર વીર સાવરકર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Randeep Hooda (@randeephooda)


ફિલ્મનું દિગ્દર્શન પોતે કર્યું

રણદીપ હુડ્ડાએ પડદા પર સાવરકરની ભૂમિકા ભજવવા માટે ઘણી મહેનત કરી હતી. તેની પાસે અદ્ભુત પરિવર્તન આવ્યું. વીર સાવરકરની ભૂમિકામાં આવવા માટે તેણે લગભગ 32 કિલો વજન ઘટાડ્યું હતું. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવવાની સાથે અભિનેતાએ તેનું દિગ્દર્શન પણ કર્યું હતું.