નવી દિલ્હીઃ CJI બી.આર. ગવઈ પર જૂતું ફેંકનાર વકીલ રાકેશ કિશોરની મુશ્કેલીઓ હવે વધી રહી છે, કારણ કે તેમની સામે ફોજદારી અવમાનના કાર્યવાહી શરૂ થવાની છે. આ અંગે ભારતના એટર્ની જનરલે કિશોર સામે ફોજદારી અવમાનના કાર્યવાહી શરૂ કરવાની મંજૂરી આપી છે.
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી પીઠને માહિતી આપી હતી કે ભારતના એટર્ની જનરલે એડવોકેટ રાકેશ કિશોર સામે ફોજદારી અવમાનના કાર્યવાહી શરૂ કરવાની સંમતિ આપી છે, જેમણે મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો હતો.
ACBએ અધ્યક્ષ વિકાસ સિંહને લખેલા પોતાના પત્રમાં એટર્ની જનરલે જણાવ્યું હતું કે કિશોરના કૃત્ય અને નિવેદન માત્ર નિંદનીય જ નથી, પરંતુ સુપ્રીમ કોર્ટની મહિમા અને અધિકારને પણ હાનિ પહોંચાડે છે. તેમણે કહ્યું કે આવું વર્તન ન્યાય વિતરણ પ્રણાલી (Justice Delivery System)ની પાયાને હચમચાવે છે.
ઘટના પછી CJI એ શું કહ્યું હતું?
વકીલે જૂતું ઉછાળવાની ઘટનાના પછી CJI ગવઈએ આ હુમલાને એક ભુલાયેલો અધ્યાય ગણાવ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં બોલતાં તેમણે કહ્યું હતું કે સોમવારે જે બન્યું તેનાથી હું અને મારા સાથી ન્યાયાધીશો અત્યંત આશ્ચર્યચકિત છીએ. આપણા માટે આ એક ભુલાયેલો અધ્યાય છે.
આ અક્ષમ્ય ઘટના હતીઃ SG તુષાર મહેતા
સોલિસિટર જનરલ તુષાર મહેતા પણ એ સમયે હાજર હતા. તેમણે આ ઘટનાની નિંદા કરતાં કહ્યું હતું કે આ અક્ષમ્ય ઘટના હતી અને મુખ્ય ન્યાયાધીશે આ બાબતને ભુલાઈ ગયેલી ગણાવીને જે મહાનતા અને ઉદારતા બતાવી છે, તે પ્રશંસનીય છે.
🚨Attorney General R Venkataramani grants consent under Section 15(1)(b) of the Contempt of Courts Act, 1971, to initiate criminal contempt proceedings against Rakesh Kishore for allegedly throwing a shoe at CJI.
In his letter to SCBA President Vikas Singh, AG said Kishore’s… pic.twitter.com/yC0abjFnr1
— Rakesh Kishore 🇮🇳 (@RakeshKishore_l) October 16, 2025
છઠ્ઠી ઓક્ટોબરની ઘટના
સુપ્રીમ કોર્ટની કાર્યવાહી દરમિયાન 6 ઓક્ટોબર, 2025એ CJI ગવઈ પર જૂતું ફેંકવાની ઘટના બની હતી. રાકેશ કિશોર નામના વકીલે મુખ્ય ન્યાયાધીશ પર જૂતુ ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. આ આખા હંગામા દરમિયાન મુખ્ય ન્યાયાધીશ શાંત રહ્યા અને કાર્યવાહી ચાલુ રાખી હતી.
