કર્ણાટકના મૈસૂર પાસે બસ અને કાર વચ્ચેના ગમખ્વાર અકસ્માતમાં 10ના મોત

કર્ણાટકના મૈસૂર પાસે એક દર્દનાક માર્ગ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે. જીવ ગુમાવનારાઓમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. ન્યૂઝ એજન્સી અનુસાર મૈસૂરના પોલીસ અધિક્ષક સીમા લટકરે જણાવ્યું કે તિરુમાકુડલુ-નરસીપુર નજીક એક ખાનગી બસ અને કાર વચ્ચે ટક્કર થઈ. અન્ય અહેવાલો અનુસાર, કારમાં સવાર એક વ્યક્તિ બચી ગયો છે અને તેની સારવાર ચાલી રહી છે.

પોલીસ અકસ્માત સ્થળ પર છે. મૈસુરના પોલીસ અધિક્ષક સીમા લાટકરે જણાવ્યું હતું કે તિરુમાકુડલુ-નરસીપુર નજીક એક ખાનગી બસ એક કાર સાથે અથડાઈ હતી.