પ્રિયંકા ગાંધીએ વારાણસીના રવિદાસ મંદિરમાં પ્રાર્થના કરી…

કોંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધી-વાડ્રા 9 ફેબ્રુઆરી, રવિવારે વારાણસીની મુલાકાત દરમિયાન એક મહિનામાં આ બીજી વાર પ્રિયંકા ગાંધીએ રવિદાસ મંદિરમાં જઈને દર્શન કર્યા હતા અને પૂજા કરી હતી. મહામંત્રી બન્યાં બાદ પ્રિયંકા આ પાંચમી વાર વારાણસી આવ્યાં છે. બાદમાં પત્રકારો સાથેની વાતચીતમાં એમણે કહ્યું કે રવિદાસનાં ઉપદેશો આજના સમયમાં પણ એટલા જ ઉપયોગી છે.