સ્મશાનમાં કોરોના દર્દીના મૃતદેહના અંતિમ સંસ્કાર…

કોરોના વાઈરસનો ભોગ બનેલા એક દર્દીના મૃતદેહના 29 જુલાઈ, બુધવારે મુંબઈના જોગેશ્વરીની ઓશિવરા સ્મશાનભૂમિમાં ત્યાંના કર્મચારીઓએ કેન્દ્ર સરકારે નક્કી કરેલી માર્ગદર્શિકા અનુસાર પીપીઈ કિટ પહેરીને તથા અન્ય સાવચેતીના પગલાં લઈને તેમજ હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર અંતિમ સંસ્કાર કર્યા હતા. કોરોના વાઈરસનો ચેપ ફેલાય નહીં એટલા માટે મૃતકના માત્ર 20 નિકટનાં સગાંઓને જ સ્મશાનભૂમિમાં પ્રવેશવા દેવામાં આવે છે. એમણે પણ આરોગ્યને લગતા નિયમોનું કડક રીતે પાલન કરવું પડે છે. મૃતકનાં અસ્થિથી રોગના ચેપનું જોખમ હોતું નથી તેથી સગાંઓ અંતિમ સંસ્કાર બાદ તે લઈ જઈ શકે છે. (તસવીરોઃ દીપક ધુરી)