લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ગયાં રણબીર-આલિયા…

બોલીવુડ કલાકારો – રણબીર કપૂર અને આલિયા ભટ્ટ 14 એપ્રિલ, ગુરુવારે મુંબઈમાં લગ્નગ્રંથિથી બંધાઈ ગયાં છે. ચાહકો અને સેલિબ્રિટી વ્યક્તિઓ તરફથી એમની પર પ્રશંસાનાં પુષ્પોનો વરસાદ વરસાવવામાં આવી રહ્યો છે અને એમને નવા જીવનનાં વધામણાં આપવામાં આવી રહ્યાં છે. નવદંપતીએ એમની પ્રથમ તસવીરો સોશિયલ મિડિયા પર શેર કરી છે.