ભક્તોને રાહત અને આનંદ; ભગવાનના દીવ્ય દર્શનનો લાભ ફરી મળતો થયો…

મહારાષ્ટ્ર રાજ્યમાં મંદિરો, મસ્જિદો, ચર્ચ, ગુરુદ્વારા સહિત તમામ ધાર્મિક સ્થળોને 16 નવેમ્બર, સોમવારથી ફરી ખુલ્લા મૂકવામાં આવ્યા છે. કોરોના વાઈરસનો ફેલાવો થવાને કારણે આ ધાર્મિક સ્થળોને આઠ મહિનાથી બંધ રાખવામાં આવ્યા હતા. આ તસવીરો છે મુંબઈની પડોશના મીરા રોડ (થાણે જિલ્લા) ઉપનગરમાં આવેલા ‘ઈસ્કોન’ સંસ્થાના કૃષ્ણ મંદિરની. ત્યાં આજે સવારથી અનેક ભક્તો-દર્શનાર્થીઓ માસ્ક પહેરવા અને સામાજિક અંતર રાખવા જેવી કોવિડ-19 માર્ગદર્શિકાઓના પાલન સાથે લાઈનમાં ઊભેલાં અને મંદિરમાં જઈ દર્શન કરતાં જોવા મળ્યાં હતાં. (તસવીરોઃ દીપક ધુરી)