હિન્દુ શ્રદ્ધાળુઓએ હર્ષોલ્લાસપૂર્વક ઉજવ્યો ગુરુપૂર્ણિમા પર્વ

દેશભરમાં હિન્દુ શ્રદ્ધાળુઓએ 13 જુલાઈ, બુુધવારે અનેક મંદિરોમાં જઈને ગુરુપૂર્ણિમા પર્વની પરંપરાગત ધાર્મિક ઉત્સાહ અને ઉમંગપૂર્વક ઉજવણી કરી હતી. ઉત્તર પ્રદેશના સુપ્રસિદ્ધ યાત્રાસ્થળ વૃંદાવનના ગિરિરાજ ગોવર્ધન મંદિર અને બાંકે બિહારી મંદિરમાં શ્રદ્ધાળુઓ વિશેષ પૂજા કરવા માટે મોટી સંખ્યામાં ઉમટ્યાં હતાં.

બેંગલુરુુના શ્રી સત્ય ગણપતિ શિર્ડી મંદિરમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે દર્શન કરવા લોકો મોટી સંખ્યામાં ઉમટ્યાં છે.