ઓનલાઇન શિક્ષણ એટલે આત્મનિર્ભર ભારત બનવા તરફનું પહેલું પગથિયું

કોરોના વાઇરસના આગામી તબક્કાથી દેશને બચાવવા માટે આગામી શૈક્ષણિક વર્ષથી ઓનલાઇન શિક્ષણનો વિકલ્પ દેશની તમામ શાળાઓ અને યુનિવર્સિટીઓએ અપનાવવાની જરૂર છે. સમગ્ર દેશના સ્ટુડન્ટ્સ માટે ઓનલાઇન ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉપલબ્ધ છે, જેનાથી અસમાનતા ઘટાડી શકાય છે. આપણી પાસે અનેક કોલેજો છે, પણ બધી ફેકલ્ટીઓ લાયકાત ધરાવતિ નથી. કેટલીક વાર કોલેજો ભ્રષ્ટાચારને કારણે શિક્ષણની ગુણવત્તાનો ભોગ બને છે.

ઓનલાઇન ક્લાસિસ અને ડિજિટલ મિડિયા દ્વારા ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવાથી આત્મ નિર્ભરતા મિશનને પણ મદદ મળશે. છેવટે તો ગુણવત્તાયુક્ત શિક્ષણ જ ભવિષ્યના નાગરિકોને સોસાયટી માટે અને રાષ્ટ્રના ભાવિ માટે શું સાચું છે કે ખોટું છે- સમજવામાં મદદ કરશે.

નાણાપ્રધાને પણ જાહેર કરેલા 20 લાખ કરોડના પેકેજમાં કહ્યું હતું કે  સરકાર પણ મોટા પાયે ઓનલાઇન શિક્ષણને મહત્ત્વ આપી રહી છે. એણે ઓનલાઇન શિક્ષણને સકારાત્મક અને આવકારદાયક ગણાવ્યું હતું.

ઓનલાઇન શિક્ષણના લાભાલાભ

  1.  દેશમાં મોટા ભાગનાં ઘરોમાં ઇન્ટરનેટ પહોંચી ગયું છે અને જો એને વધુ સારી રીતે પહોંચાડવામાં આવે તો- 12 નવી ઓનલાઇન શૈક્ષણિક ચેનલ્સની મદદથી બધા સ્ટુડન્ટ્સ માટે ગુણવત્તાયુક્ત લેકચર્સ ઉપલબ્ધ થઈ શકે છે, વળી દૂરનાં ગામોના સ્ટુડન્ટ્સ માટે પહોંચાડી શકાય એમ છે.
  2.  અમારા બાળકોને કોરોના વાઇરસથી બચાવવા અને શિક્ષણની સાતત્યતાની ખાતરી માટે ઓનલાઇન વર્ગો જ  શ્રેષ્ઠ ઉપાય છે.
  3.  બાળકો ઘરેથી સુરક્ષિત રીતે અભ્યાસ કરી શકશે, જેથી માતાપિતા માટે ચિંતાનું કોઈ કરાણ રહેશે નહીં.
  4.  શિક્ષકો પણ તેમના ઘરેથી સ્ટુડન્ટ્સને ભણાવી શકે છે અને સ્ટુડન્ટ્સ પણ સ્વયં અભ્યાસ અને સંશોધન માટે વધુ સમય આપી શકશે.
  5. જો 10 કરોડથી વધુ શાળાના વિદ્યાર્થીઓ શારીરિક ધોરણે શાળામાં ન જાય અને એને બદલે તેમના  ઘરેથી અભ્યાસ કરશે તો રસ્તાઓ પર ટ્રાફિક અને ભીડ ઓછાં થશે.
  6. કોરોના વાઇરસ ચેપ લાગવાની અને સમુદાયમાં ફેલાવાની શક્યતા ઓછી થશે.
  7. કિડ્સ (નાનાં બાળકો) નવી ટેકનોલોજી શીખવામાં હોશિયાર હોય છે અને ઓનલાઇન શિક્ષણનો આનંદમાણી શકશે.
  8.  વિદ્યાર્થીઓને સ્કૂલમાં ભારે સ્કૂલ બેગ લઈ જવાની જરૂર રહેશે નહીં અને બસો અને રિક્ષાઓમાં ભીડ થશે નહીં
  9.  વિદ્યાર્થીઓ પાઠય પુસ્તકો દ્વારા અને ઓનલાઇન વર્ગો દ્વારા તેમના ઘરે જાતે જ અભ્યાસ કરવાનું શીખી શકશે,

આ ઉપરાંત વિદ્યાર્થીઓ વધુ સ્વતંત્ર બનશે અને જેમ-જેમ મોટાં થશે તેમ-તેમ આત્મનિર્ભર ભારત બનાવવામાં અને આ મૂલ્યોને આગળ વધારવામાં મદદ કરી શકશે.

ડો. ઇન્દુ રાવ, પીએચ.ડી.

પ્રોફેસર અને ડિરેક્ટર –એકેડેમિક સ્ટાફ કોલેજ

વેલ્લોર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી

વેલ્લોર, તામિલનાડુ