![]() દૂબળો જોઈને લડવું નહીં ને તગડો જોઈને ડરવું નહીં |
માણસની શારીરિક ક્ષમતાનો આધાર એનું વજન કેટલું છે, એ કેવો તગડો અને જાડોપાડો છે એના પર નથી. કસરતી શરીર કસાયેલું હોય એટલે પ્રમાણમાં દૂબળું હોય પણ શક્તિનો ભંડાર હોય.
આમ, તમારા પ્રતિસ્પર્ધીની તાકાત એ કેટલો તગડો છે એના પર નહીં પણ એની શારીરિક ક્ષમતા કેટલી છે તેના પર આધારિત છે. આ અર્થમાં ઉપરની કહેવત વપરાય છે.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)
