વગર ભણ્યે બમણી સંધ્યા

    વગર ભણ્યે બમણી સંધ્યા

 

માણસમાં અક્કલ ઓછી હોય અને તેમાંય ભણતર એટલે કે કેળવણીનો લગભગ અભાવ હોય ત્યારે પોતાની જાતને પુરવાર કરવા માટે કોઈ પણ વસ્તુમાં જે જરૂરી હોય એના કરતાં વધારે વખત અથવા સામગ્રી અથવા ખર્ચો એ કરે છે. સવાર બપોર ને સાંજ – એમ ત્રણ વખત સંધ્યા કરીએ એને ત્રિકાળ સંધ્યા કહેવાય.

એ ત્રણ વખત જ થાય, વધારે વખત ન થાય. પછી પેલો ઓછું ભણેલો પોતાના ઉત્સાહમાં ત્રણ ને બદલે છ વખત સંધ્યા કરે તો એનો કોઈ અર્થ નથી. આવડત ઓછી હોય ત્યારે સમજ વગર મજૂરી કરી શક્તિ અને સંસાધનો વેડફવાની પરિસ્થિતી આ કહેવત થકી ઉજાગર થાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)