દેડકાંની પાંચશેરી
|
દેડકું સતત કૂદાકૂદ કરતો જીવ છે. આવા દેડકાંને ભેગા કરી ત્રાજવાના પાલ્લામાં મૂકવા હોય તો એકને મૂકો ત્યાં બીજું કૂદીને નીકળી જાય.
આ કારણથી ક્યારેય પાંચ શેર વજન થાય એટલી સંખ્યામાં દેડકાં ભેગા થાય નહીં. અને એ કામ ક્યારેય પૂરું થાય નહીં.
આમ એક ઉધમાતિયું ટોળું અથવા શિસ્ત વગરના સમૂહને એક કરવો અશક્ય છે. ગમે તેમ ગોઠવતાં પણ વ્યવસ્થિત ગોઠવાય નહિ એવી સ્થિતિ. દેડકાંથી પાંચશેરી બંધાય નહિ, તે ઉપરથી જે કામ સમૂહથી કરવાનું હોય તે થાય નહિ ત્યારે આ પ્રયોગ વપરાય છે.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)
