ડાંગે માર્યાં પાણી જુદા ન થાય

       ડાંગે માર્યાં પાણી જુદા ન થાય

 

પાણીનો પ્રવાહ વહેતો હોય તેના પર લાકડી કે તલવારથી ઘા કરવામાં આવે તો પણ એ જુદું પડતું નથી. એક હોય તે અંતે એક જ રહે છે. મારી મા રામાયણમાંથી લક્ષ્મણ અને મેઘનાદના યુદ્ધની વાત કહેતી. જ્યારે લક્ષ્મણ મેઘનાદ દ્વારા શક્તિના પ્રહારથી બેભાન થઈ જાય છે ત્યારે પોતાના મૂર્છિત ભાઈની પાસે ભગવાન શ્રી રામ આક્રંદ કરતાં કહે છે –

કડવી હોજો લીમડી

પણ એની શીતળ હોજો છાંય

બંધુ હોજો બોલકા

તોય પોતાની બાંય

માના જણ્યા ભાઈઓ કદાચ કોઈ કારણસર ઝગડી પડે તો પણ જ્યારે બીજો ભાઈ આફતમાં હોય, પોતે બોલતા ન હોવા છતાં કે ઝઘડેલા હોવા છતાં પણ ભાઈ માટે ભાઈનો જ જીવ બળે છે.