લોભને થોભ ન હોય

                  લોભને થોભ ન હોય

 

માણસ લોભી હોય ત્યારે એની અપેક્ષાની કોઈ સીમા નથી હોતી. ગમે તેટલું મળે તોય એને સંતોષ નથી થતો. માણસ પ્રમાણભાન ભૂલી જાય છે અને વધુને વધુ મેળવવા માટે પ્રયત્નશીલ બને છે. થોભવું એટલે રોકાવું. જ્યારે માણસ લોભીવૃત્તિનો શિકાર બને ત્યારે સંતોષ વિદાય લે છે અને લોભ/લોભીવૃત્તિ ચાલ્યા કરે છે.

આ પરિસ્થિતી વર્ણવવા આ કહેવત વપરાય છે. સંસ્કૃતમાં આશા એટલે કે અપેક્ષાને કોઈ મર્યાદા નથી એ બોધ આપતો શ્લોક છે –

अङ्गं गलितं पलितं मुण्डं दशनविहीनं जातं तुण्डम् ।

वृद्धो याति गृहीत्वा दण्डं तदपि न मुञ्चत्याशापिण्डम् ॥

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)