વાસ્તુદોષ કરતાં મનોદોષ વધુ નુકસાન કરે

આપણે ત્યાં કહેવત છે, ‘છીંડે ચડે તે ચોર.’ બારણે થતું બધું જ માફ હોય છે, પરંતુ કોઈના વિશે ફેલાયેલી અફવા પણ તેના ચરિત્ર પર સવાલ ઊભા કરી શકે છે. Charitra ફિલ્મમાં પણ આ જ વાત રજૂ કરવામાં આવી છે.

વળી, ચરિત્ર શું માત્ર શરીર સાથે જ જોડાયેલું છે? આપણા ઇતિહાસમાં એવી કેટલીક ગણિકાઓનાં ઉદાહરણો છે, જેમણે ઈશ્વરભક્તિનો માર્ગ અપનાવ્યો હતો. માણસના સંજોગો પરથી તેના ચરિત્રનું મૂલ્યાંકન કરી શકાય નહીં. જેનો આત્મા સ્વચ્છ છે, તે જ સાચા અર્થમાં ચારિત્રવાન ગણાય.

કોઈ ગમવું, કોઈને ચાહવું અથવા કોઈની ચાહતની ઈચ્છા રાખવી એ સ્વાભાવિક છે. પરંતુ વફાદારી એ સૌથી મોટો ગુણધર્મ છે.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો નીચે જણાવેલા ઈ-મેઇલ પર જરૂરથી પૂછી શકો છો.

સવાલ: હું ગુજરાતને અડીને આવેલા એક રાજ્યમાં રહું છું, પરંતુ વારંવાર ગુજરાત આવવાનું થતું હોવાથી ગુજરાતી શીખી ગયો છું. હું કલા સાથે સંકળાયેલી એક સંસ્થામાં મેનેજર છું. હજી સુધી મારા લગ્ન થયા નથી. અથવા એમ કહું કે થતાં નથી.

હું અનામત કેટેગરીમાં આવું છું, એટલે અમારી જ્ઞાતિમાં લગ્નની યોગ્યતા ધરાવતી વ્યક્તિ મળતી નથી અને અન્ય જ્ઞાતિમાં પણ લોકો સહેલાઈથી તૈયાર થતા નથી. ચોક્કસ ઉંમર પછી માણસની કેટલીક શારીરિક જરૂરિયાતો હોય જ છે. જોકે એક સાહેબે મને સમજાવ્યું હતું કે પોતાનું કામ કઢાવવા માટે લોકો ઘણી વખત ગમે તે કરવા તૈયાર થઈ જતા હોય છે. બસ, એ તક પારખતાં શીખી જા.

થોડા સમય પહેલાં એક કલાકારનું એક્ઝિબિશન (Exhibition) હતું. તેમને જોતા જ લાગતું હતું કે તેઓ ખૂબ સમૃદ્ધ છે. સામાન્ય રીતે અમે કોઈને ખાસ મદદ કરતા નથી, પરંતુ તેમણે કહ્યું કે, “હું આ જગ્યાએ નવો છું, તમે મને બિલ આપી દેજો.” અમને પણ આનંદ થયો. જતી વખતે તેમણે અમને એક મોંઘી ભેટ પણ આપી.

ત્યારબાદ જ્યારે પણ તેમને કોઈ કામ હોય ત્યારે હું સંપર્ક કરતો. ચાર મહિના પહેલાં એક સરકારી તાલીમ કાર્યક્રમ દરમિયાન બે યુવતીઓને અમારી સંસ્થાની જરૂર પડી. એમાંથી એક સમૃદ્ધ પરિવારની હતી. તેણે સ્પષ્ટ કહી દીધું કે અહીં જે છું તે બહાર નથી. બીજી યુવતી સામાન્ય પરિવારની હતી. અંતે તેણે ઘરે કહ્યું કે કાર્યક્રમ એક દિવસ લંબાયો છે અને તેને રહેવા માટે જગ્યા જોઈએ છે. પેલા કલાકાર એ જ ગામમાં રહેતા હતા. મેં તેમને ફોન કર્યો. તેમણે તરત જ કહ્યું, “અમારા ઘરે રહી જાઓ.” પરંતુ મેં કહ્યું કે ટેક્નિકલ કારણોસર તે શક્ય નથી.

અંતે તેમણે બીજી એક જગ્યાની ચાવી આપી, જ્યાં રહેવાની વ્યવસ્થા થઈ ગઈ. રાત વીતી ગઈ. જતી વખતે તે બહેને કહ્યું, “મારું સર્ટિફિકેટ તમે રાખો. હું કહીશ કે લેવા આવવાનું છે, એટલે સાંજે ફરી આવીશ.”

પરંતુ એવું બન્યું નહીં. અંતે સર્ટિફિકેટ તે કલાકાર પાસે જ રાખવામાં આવ્યું અને વિનંતી કરવામાં આવી કે કોઈ લઈ જશે. મારા ગયા પછી તે બહેનને તે કલાકારમાં રસ પડ્યો. કુરિયર દ્વારા સર્ટિફિકેટ મોકલાવવાને બદલે તેણે વ્યક્તિગત રીતે મળવાનો આગ્રહ રાખ્યો. પેલા ભાઈ સમજાવતા રહ્યા, પરંતુ વાત વણસી ગઈ. આ સમગ્ર ઘટનામાં મેં તે કલાકારનું અપમાન કર્યું. ત્યારથી તેમણે મને બ્લોક કરી દીધો છે. હવે મને પસ્તાવો થાય છે. હું શું કરું?

જવાબ: સૌપ્રથમ તો તમારા જીવનને સ્થિરતા આપવાનો પ્રયાસ કરો. લગ્ન માટે ગંભીરતાથી પ્રયત્ન કરો. તમારા પત્ર પરથી એવું લાગે છે કે કેટલીક જગ્યાએ તમે તમારી વ્યક્તિગત વાસનાઓ અને લાગણીઓને કારણે એવા નિર્ણયો લીધા, જે યોગ્ય નહોતા. જીવનમાં ક્ષણિક આકર્ષણ અને સાચા સંબંધ વચ્ચેનો ભેદ સમજવો જરૂરી છે.

પ્રેમ અને વાસનામાં તફાવત છે. ભૂખ લાગે એટલે ઝેર ખાઈ લેવું યોગ્ય નથી. તેવી જ રીતે, એકલતા કે શારીરિક જરૂરિયાતોને કારણે કોઈપણ માર્ગ અપનાવવો યોગ્ય નથી.

જો તમારી ભૂલથી કોઈનું દિલ દુભાયું હોય, તો એક વખત નિખાલસપણે માફી માગવાનો પ્રયાસ કરો. જો સામેની વ્યક્તિ સ્વીકાર ન કરે તો પણ એ નિર્ણયનો આદર કરો. જીવનમાં દરેક સંબંધ ફરી પાછો મેળવી શકાય એવો નથી. જીવનમાં રિવર્સ ગિયર હોતો નથી. ભૂલમાંથી શીખવું અને આગળ વધવું એ જ શ્રેષ્ઠ માર્ગ છે.

સૂચન:
શિવપૂજા અને સૂર્યપૂજાના સમન્વયથી મન વધુ સ્થિર અને મજબૂત બની શકે છે.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com )