રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા
સપ્તાહ દરમિયાન તમારા મગજમાં વધુ વિચારો માનસિક થાકની લાગણી અને કામ ટાળવાની વૃતિ જગાવે તેના કારણે ક્યાંક ખોટી વાર્તાલાપકે વાદવિવાદની સંભાવના બની શકે.નાનીનાની વાતમાં ગુસ્સોના આવે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વાહન ધીમે ચલાવવું તેમજ મુસાફરીમાં તકેદારી રાખવી જરૂરી છે. વેપારમાં કામકાજ કરતી વખતે કામમાં ધ્યાન કેન્દ્રિત ઓછું થવાથી તેમજ ક્યાંક ઉતાવળિયા નિર્ણય લેવાયાની લાગણીનો અનુભવ થયા કરે. કોઈને વણમાંગી સલાહસુચનના આપવી, ખટપટકે મજાક કરવાવાળા લોકો થી દુર રહેવામાજ શાણપણ છે. પ્રિયજન સાથે આજે દલીલબાજીન કરવી ઇચ્છનીય છે.
લાગણીશીલ બની જવાય તેવું સપ્તાહ છે. તમારા સ્વભાવમાં કોઈના કામમાં સહભાગી થવાના ગુણ જાગે વળી ક્યાંક અંગત સંબંધ જેવાકે મિત્રતામાં,સગા સ્નેહીમી તમે મજાક કરવાની વૃતિ વાળા બનો. જૂની ઓળખાણ કે જૂની યાદથી ઘણા રોમાંચિત બનો. સામાજિક,ધાર્મિક પ્રસંગમાં તમારી હાજરી પ્રભાવશાળી બની શકે છે, વેપારના કામકાજમાં ઉત્સાહને સફળતા જોવા મળે તેવી સંભાવના વધુ રહેલી છે. જુના મતભેદ ભૂલવાની તક મળી શકેછે. નવી નોકરીકે ફેરબદલી કરવામાટે સમય યોગ્ય કહી શકાય. સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે કોઈ નવી વસ્તુ શીખવી હોયતો આ સમયનો સદઉપયોગ કરવો સારો છે.
સપ્તાહ દરમિયાન ક્યારેય વાણી વિલાસના થાય તેનું દયાન રાખવું ઇચ્છનીય છે. ઘરમાંકે કુટુંબમાં કોઈપણ કામકાજ દરમિયાન થોડી ધીરજ રાખવી જરૂરી છે ઉતાવળીયે કામકાજમાં ગેરસમજ થવાની સંભાવના રહેલી છે. કોઈ જગ્યાએ આકસ્મિક ખર્ચ થાય તેવું પણ બની શકે છે. આરોગ્ય બાબતમા પરેજી પાળવી વધુ જરૂરી બને છે. વેપારના કામકાજમાં ધીરજ અને અનુભવથી કામકાજ કરવું, અન્યની વાતમાં દોરવાઈના જવાય તે માટે ધીરજ જરૂરી છે. નોકરીકે વ્યવસાયમાં સમયનો દુરુપયોગ અને કારણવગરની કામકાજમાં સમસ્યાના થાય તેનું ધ્યાન રાખવું, જરૂરપુરતોજ વ્યવહાર યોગ્ય કહી શકાય, એકંદરે શાંતિ જાળવવી સારી છે.
મિલનમુલાકાતકે હરવાફરવામાં સમય વધુ પસાર થાય, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ક્યાંક નવીન ઓળખાણ થઇ શકે છે તેમાં લાભની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબકે આસપાસના કોઈ જાહેર કાર્યક્રમમાં જવાના યોગ છે તેમાં તમારી હાજરીનું વર્ચસ્વ સારું દેખાય, વેપારના કામકાજમાં તમને ઉત્સાહ અને નવીનકાર્ય કરવાની વૃતિ જાગે. યુવાવર્ગને તેમના મિત્રવર્તુળ માંથી સારી જાણકારીકે વાત સંભાળવા મળે તેમજ મિત્રવર્તુળ માંથી સહયોગ પણ પ્રાપ્ત થઇ શકે છે. ઘણા વખતથી કોઈ વાત મનમાં રહેતી હોય તેને ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે છે. પ્રિયજન સાથે સારી લાગણી વ્યક્ત થઈ શકે છે.
સપ્તાહ દરમિયાન થોડો માનસિક ઉદ્ગ્વેગ જોવા મળી શકે છે ક્યાંકને ક્યાંક અશાંતિ રહ્યા કરે. વિચારોની માયાજાળમાં ફસાયેલા રહો. કોઇની વાતના કારણે કોઈના પર ગુસ્સોના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વેપારના કામકાજમાં ધીરજનો અને અનુભવનો અભાવ વર્તાય અને તેની અસર પણ કામકાજમાં દેખાઈ આવે, શરદી,ખાસી,કફ,તાવ જેવી નાનીનાની તકલીફથી પણ પરેશાની રહે તેવી સંભાવના રહેલી છે. તમારી લાગણી દુભાતી હોય તેવું તમને માનસિક રીતે વધુ લાગે પણ જો શાંતિ જાળવો અને ભક્તિમાં ધ્યાન અને મન પોરવી રાખોતો ઘણી રાહતની લાગણીનો અનુભવ કરી શકશો અને તમારામાં ધીરજ જળવાઈ રહશે.
મનની ઈચ્છા પૂરી થતી હોય તેવા એંધાણ દેખાવાની સંભાવના વધુ રહેલી છે. કોઈ તમારી પસંદગીની વાત જાણે અજાણે પ્રત્યક્ષકે પરોક્ષ રીતે કોઈ કરી જાય તેવા સંજોગો સંભવિત વધુ બને છે. ધાર્મિકભાવના વધુ દેખાઈ આવે તમને કોઈ સામાજિકકે ધાર્મિક કાર્યમાં કઈ પ્રવૃત્તિ કરવાનું મન થાય,વેપારના કામકાજમાં કોઈ નવીન સમાચાર તમારા આત્મવિશ્વાસમાં વધારો કરી શકે છે. ઘણી જૂની ઓળખાણ તાજી થાય અને તેમાં તમારું મન આનંદની લાગણી અનુભવી શકે છે. વિદ્યાર્થીવર્ગકે યુવાવર્ગ જે કોઈ નોકરીકે વ્યવસાયમાં નવીનતા ઇચ્છતું હોય તેમના માટે કોઈ સારી વાત જાણવા મળે તેવી પણ સંભાવના રહેલી છે.
વિદેશ જવા ઈચ્છા ધરાવતી વ્યક્તિ માટે કોઈ લાભનાકે સારી જાણકારી પ્રાપ્ત થાય તેવા સંજોગ ઉભા થઇ શકે છે. લગ્નની વાતચીત ક્યાય ચાલતી હોય તેવા યુવાવર્ગ માટે પણ આ સપ્તાહ દરમિયાન સારા સંજોગ ઉભા થવાની સંભાવના રહેલી છે જૂની વાત ક્યાય અટકેલી હોય તેમાં પણ પ્રયત્ન કરવામાં આવેતો નસીબ જોગ સંજોગ પણ સાથ આપી શકે છે. વેપારના કામકાજમાં ગણતરી અને આયોજન પૂર્વકના કામકાજમાં પણ સફળતા સંભવિત બની શકે છે. મુસાફરીકે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે તેમાં તમે આનંદ ઉત્સાહ અનુભવી શકો છે. તમારામાં સહકાર આપવાનીની ભાવના વધુ જાગે તેવું પણ બની શકે છે.
જાહેરજીવનમાં તમને લોકો વચ્ચે થોડી મજાકમસ્તી કરવાની વૃતિ વધુ જાગે પરંતુ તેમાં તમારાથી કોઈની લાગણીના દુભાયકે કોઈની ઉશ્કેરાટના ભોગના બનાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. ઘરમાંકે નજીકના સગા સ્નેહીમાં કોઈ અણબનાવકે મનદુઃખ થયું હોય તો તેવા સંબંધને સુધારવાની કોશિશ કરતા તેમાં પણ સફળતા દેખાઈ શકે છે. વેપારના કામકાજમાં તમને યોગ્ય પ્રતિસાદ મળી શકે છે. તમારો મોભો પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામમાં સારી ઉપસી આવે તેવું બનવા જોગ છે , નવીનકાર્ય કરવામાં તમને અન્યનો સાથ સહકારકે માર્ગદર્શન સારું મળી રહે અને તેના કારણેતે કામ માટે તમારો ઉત્સાહ વધી શકે છે.
ધીરજનો અભાવ અને અધીરા પણું વધુ જોવા મળી શકે છે, પાડવા,વાગવાકે લાપસવા જેવી બાબત ઉપરાંત શરદી,ઉધરસ,તાવ,ઇન્ફેકશન લાગવા જેવી બાબતથી તકેદારી રાખવી. ખટપટ કરનાર વર્ગથી દુર રેહવાની જરૂર છે જેથી ખોટી વાતમાં દોરવાઈના જવાય. વેપારના કામકાજમાં ધીરજ અને તકેદારી રાખવી જરૂરી છે. સલાહ,ઠપકોકે કઈ પણ પ્રકારનું માર્ગદર્શન કોઈને આપતા પહેલા વિચાર કરવો જરૂરી છે જેથી તેને કોઈ ગેરસમજના થઇ જાય. વાર્તાલાપ દરમિયાન વધુ પડતા સ્પષ્ટ શબ્દો પણના વાપારવા તેમજ તમે ધીરજ અને કુનેહપૂર્વકથી વર્તશોતો ઘણી શાંતિનો અનુભવ થાય તેવું બની શકે છે.
યાત્રાકે જાત્રા થાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે. તમારામાં ધાર્મિકભાવના વધુ જાગે, લોકકલ્યાણના વિચારો વધુ જાગે તેવું સંભવિત છે સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવામાં અઘરો પડતો હોયતો તે વિષય શીખવામાં વધુ મહેનત કરવાથી સારા ફળની પ્રાપ્તિ થઇ શકે છે, વેપારના કામકાજમાં લાભની કોઈ વાત સંભવિત બની શકે છે. લગ્નમાટેની વાતચીત ગોઠવવી અને તેમાં મિલનમુલાકાત કરવી તેમાં કોઈનો સહયોગ લેવો વધુ ફાયદાકારક બની શકે છે, વિદેશજવા ઈચ્છા રાખનારવર્ગ આ સપ્તાહ દરમિયાન તેમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરેતો તેમાં પણ યોગ્ય પ્રતિસાદ મળી શકે તેવું સંભવિત છે.
કામકાજમાં વ્યસ્તતા અને માનસિક થાકની લાગણી અનુભવો. કામકાજમાં સમયનો વ્યય પણ વધુ થઇ શકે કોઈનો સહયોગ થોડો ઓછો જોવા મળે તેવી સંભાવના રહેલી છે માટે ધીરજ અને પોતાના આત્મવિશ્વાસથી કામમાં રચ્યાપચ્યા રેહવું વધુ યોગ્ય છે. વેપારમાં કામકાજ દરમિયાન નિર્ણયશક્તિનો થોડો અભાવ દેખાવ પરંતુ કામકાજ થઇ શકે. ઘરમાં વડીલવર્ગકે ઓફીસમાં ઉપરીઅધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચાર મતભેદ થવાની સંભાવના રહેલી છે માટે સયમ રાખવાની નીતિ અપનાવી વધુ યોગ્ય છે. મુસાફરી,પ્રવાસ થોડો કંટાળાજનક અને સમયના વ્યય થાય તેવો રહી શકે છે એકંદરે દિવસ સાધારણ રીતે પસાર થાય.
સપ્તાહ દરમિયાન ક્યાંક લાભની વાતની આપ-લે થઇ શકે છે, મિત્રો,સગા સ્નેહી સાથે મિલનમુલાકાતમાં તમે તમારી કોઈ ગમતી વાત સંભાળવાકે રજુ કરવાની તક મળી શકે છે. વેપારના કામકાજમાં પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે. માર્કેટિંગક્ષેત્રમાં તમારી જૂની મિલનમુલાકાતની યાદી બનાવી તેમાં કામ કરવાથી લાભ સંભવિત બની શકે છે. મુસાફરીકે પ્રવાસનું આયોજન સંભવિત બની શકે છે, પેટ,અપચાની તકલીફ સંભવિત છે, વડીલવર્ગને જુના સંભારણા વધુ તાજા થાય અને કોઈ સામાજિકકે ધાર્મિકકામકાજમાં જોડાવા ની વૃતિ વધુ જાગે તેમજ તમને કોઈ પ્રવૃત્તિમાં અન્યનો સાથસહકાર સારો મળી શકે તેવું સંભવિત છે.
