9 મેની રાત્રે અમેરિકાથી ફોન આવ્યો અને મને કહ્યું…., : PM મોદી

ઓપરેશન સિંદૂર અને પહેલગામ આતંકવાદી હુમલા પર લોકસભામાં ચર્ચા દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ પોતાનો મુદ્દો રજૂ કર્યો. તેમણે ગૃહમાં સ્પષ્ટતા કરી કે ઓપરેશન સિંદૂરનો ઉદ્દેશ્ય આતંકવાદીઓના ઠેકાણાઓનો નાશ કરવાનો હતો, તેથી લક્ષ્ય પ્રાપ્ત થયા પછી, અમે અમારી શરતો પર યુદ્ધવિરામ કર્યો. પીએમએ વધુમાં કહ્યું કે 9 મેની રાત્રે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિનો ફોન આવ્યો, તેમણે કહ્યું કે પાકિસ્તાન મોટો હુમલો કરવા જઈ રહ્યું છે.

પીએમ મોદીએ લોકસભામાં સ્પષ્ટતા કરી કે વિશ્વના કોઈ પણ નેતાએ ભારતને ઓપરેશન સિંદૂર બંધ કરવા કહ્યું નથી. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિએ ચોક્કસપણે 9 મેની રાત્રે મને ફોન કર્યો હતો.

9 મેની રાત્રે અમેરિકાથી ફોન આવ્યો

પીએમ મોદીએ કહ્યું કે 9 તારીખની રાત્રે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિએ મને ફોન કરવાનો પ્રયાસ કર્યો. હું સેના સાથે મીટિંગમાં હતો, મેં તેમને ફરીથી ફોન કર્યો. પછી ઉપરાષ્ટ્રપતિએ ફોન પર કહ્યું કે પાકિસ્તાન ખૂબ મોટો હુમલો કરવા જઈ રહ્યું છે. મેં જવાબ આપ્યો કે જો પાકિસ્તાન હુમલો કરશે તો અમે તેનાથી પણ મોટો હુમલો કરીશું અને ગોળીનો જવાબ ગોળાથી આપીશું. 9 અને 10 મેની રાત્રે અમે પાકિસ્તાનની લશ્કરી તાકાતનો નાશ કર્યો.