તીર્થ યાત્રાઓનો હેતુ શું છે?

કુંભ મેળાના વાતાવરણમાં આખો સમાજ જાણે જાગતૃ થઈ ગયો છે, ઘણા સ્તરો પર લોકો વિચારવા લાગ્યા છે કે આ શું છે. જે સ્થળે મેળો ભરાયો છે તેને તીર્થ કહેવામાં આવે છે. તીર્થ શબ્દ ખૂબ જ જૂનો છે, તે ભારતીય  આધ્યાત્મિક્તાની શોધ છે. તે પદ્મ પુરાણ, દેવી ભાગવત અને વેદોમાં પણ જોવા મળે છે. એવું લખેલું છે કે તે નદીના કિનારે અથવા પર્વત પર હોવું જોઈએ, અને પાણી શુદ્ધ હોવું જોઈએ જેથી લોકો તેમાં સ્નાન કરી શકે. પરંતુ, આજના વૈજ્ઞાનિક વિશ્વમાં એ શંકા ઊભી થાય છે કે શું ફક્ત પવિત્ર સ્થાનના પાણીમાં સ્નાન કરવાથી પાપો ધોવાઈ જાય છે? એનો અર્થ એ કે જો તમે કોઈની હત્યા કરો અને નદીમાં ડૂબકી લગાવો, તો શું તમારો ગુનો ધોવાઈ જશે? ના, પાપો ધોવા એટલા સરળ કે સસ્તા નથી અને ભારતીય ઋષિઓ એટલા ના સમજ ન હતા.તીર્થ વિશે પુરાણો શું કહે છે તેના પર ધ્યાન આપો. પદ્મ પુરાણ કહે છે, “જેના અંગો, મન, જ્ઞાન, તપ અને કીર્તિ તેના નિયંત્રણમાં છે, જે શરીરથી પવિત્ર છે, અહંકારથી રહિત છે, સુંતષ્ટ છે અને જે ક્યારેય દાન સ્વીકારતો નથી. તેને તીર્થ સ્થાનોમાં જવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે.”દેવી ભાગવતમમાં, ઋવિ ચ્યવન એ એક વાર પ્રહલાદને કહ્યું હતું: “એવા લોકો જે હૃદયથી શુદ્ધ છે તેમને જ પવિત્ર સ્થળો ઉપર જવાથી લાભ મળે છે. ગંગાના કિનારા ગામડાઓ અને શહેરોથી ભરેલા છે, ત્યાં અનેક પ્રકારના લોકો રહે છે તેઓ પવિત્ર નદીમાં સ્નાન કરે છે અને પવિત્ર જળ પીએ છે, પરંતુ તેઓ મોક્ષ પ્રાપ્ત કરી શકતા નથી. કારણ કે તેમનું મન અને હૃદય શુદ્ધ નથી.” પરંતુ લાંબો સમય જતાં સત્ય ઉપર ધૂળ પડી જાય છે અને તેનો મૂળ આશય ખોવાઈ જાય છે.ઓશોએ દરેક પ્રકિયાને ધૂળમાંથી ઉપાડીને તેને ચમકાવી છે અને તેનું વૈજ્ઞાનિક કારણ સમજાવ્યું છે. તેઓ કહે છે કે, તીર્થ સ્થાનો બનાવવાનો હેતુ એવા ચાર્જ્ડ, ઊર્જાથી ભરેલા સ્થળો ઉતપન્ન કરવાનો હતો. જ્યાંથી કોઈપણ વયક્તિ સરળતાથી આંતરિક યાત્રા કરી શકે.

તીર્થ સ્થળ એક એવું સ્થાન હતું જ્યાંથી ચેતનાનો પ્રવાહ આપ મેળે વહે છે, અને તેને વહેતો રાખવા માટે  સદીઓથી મહેનત કરવામાં આવી છે. જો તમે ફક્ત તે પ્રવાહમાં ઊભા રહેશો, તો તમારી ચેતનાનું શઢ ખેંચાઈ જશે અને તમે આધ્યાત્મિક યાત્રા પર નીકળી પડશો. જેટલી મહેનત તમારે એકલા એ કરવી પડે તેના કરતાં ઘણી ઓછી મહેનતે યાત્રા શક્ય બની શકે છે. જો ધ્યાન સમયે નકારાત્મક તરંગો હોય, તો ધ્યાન ઘણું મોંઘુ સાબિત થઈ શકે છે, તેથી જ તીર્થનું ઊર્જા ક્ષેત્ર મહત્વપૂર્ણ છે. હકીકતમાં વાસ્તવિક તીર્થ સ્થાન પોતાની અંદર છે. કબીર સાહેબ કહે છે, ‘શરીરની અંદર અડસઠ તીર્થ સ્થાનો છે, હું મારા મન અને ગંદકીને ત્યાં જ ધોઈશ.’ જો બાહ્ય યાત્રા તમને આંતરિક યાત્રા માટે તૈયાર કરે છે તો યાત્રા સફળ થાય છે.

અમૃત સાધના

(અમૃત સાધના લાંબા સમયથી ઓશોના શિષ્ય છે અને ઓશો ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનની મેનેજમેન્ટ ટીમના સભ્ય છે. ઓશો પ્રેસ અને મીડિયાનું ધ્યાન રાખે છે. તે ભારતના ઘણા અગ્રણી પ્રકાશનોમાં લખે છે. સમગ્ર વિશ્વમાં ઓશો ધ્યાન અને સ્વ-વિકાસ કાર્યશાળાઓનું સંચાલન કરે છે.)