શ્રેષ્ઠ વિચાર: પુણ્યનું ખાતું જમા કરવાનો આધાર

આ પ્રભાવ જન્મો જન્મ આત્માની સાથે રહે છે અને વારંવાર તેને પાપ કરવા તરફ લઈ જશે. પરિણામે પ્રભાવ ખૂબ ઊંડો બનતો જશે તથા આ રીતે ખરાબ વિચાર, ખરાબ દ્રષ્ટિ તથા ખરાબ વર્તનનું ઉકેલી ન શકાય તેવું ખરાબ ચક્ર બની જશે.

જેવી રીતે પાપનો આધાર ખરાબ વિચાર છે તે જ રીતે પુણ્યનું ખાતું જમા કરવાનો આધાર શ્રેષ્ઠ વિચાર છે, જે પવિત્રતા તથા ભગવાનની યાદ સાથે સંબંધિત હોય છે. આ પ્રકારના વિચારોના નિર્માણ દ્વારા વ્યક્તિમાં પવિત્રતાનું બળ તથા યોગનું બળ જમા થઈ જાય છે. બંને બળ સંસાર રૂપી સાગરને પાર કરાવવા વાળી નાવ ના બે હલેસા સમાન હોય છે. જેને આપણે બે પાંખો પણ કહી શકીએ છીએ, જે આત્માને હલકા, ફરિસ્તા સમાન બનાવીને સ્થૂળ સંસારથી ઉપર ઉડાવીને લઈ જાય છે. આ બંને બળ કાતરના બે ભાગ બરાબર પણ છે જે અનેક જન્મોના વિકર્મોના સંસ્કારોની દોરીઓને કાપી આત્માને સંપૂર્ણતાની ચમકીલી ડ્રેસ થી સજાવી દે છે.

એ તો પાક્કું છે કે જ્યારે કોઈ વ્યક્તિ દુઃખ આપનાર કાર્ય કરે છે તો તે દેહ ભાન રૂપી ભૂતના વશમાં તથા વિકારોની હાથકડીમાં જકડાયેલ હોય છે. પાપના સંકલ્પ તથા કર્મો તેની આત્મામાં જમા શક્તિને તે રીતે નષ્ટ કરે છે જે રીતે એક કીડો અનાજના દાણાને અંદરથી ખોખલો કરી દે છે. આ પ્રકારના દાણાને જો જમીનમાં વાવવામાં આવે તે જમીનમાંથી જરૂરી તત્વોને લેવા માટે અસમર્થ હોવાના કારણે પોતાને વિકસિત નથી કરી શકતો. તેવી જ રીતે આત્મા પણ બીજ છે, વિકર્મો કરીને જો તે આંતરિક શક્તિ ગુમાવી દે છે તો શરીર છોડ્યા પછી પણ માતાના ગર્ભમાં પ્રવેશ કર્યા બાદ પણ પોતાના શરીરનો પૂરો વિકાસ કરી શકતો નથી. પરિણામે આવી આત્મા અંધ, લંગડી, લુલી કે અન્ય કોઈ વિકૃતિ સાથે જન્મ લે છે. પ્યારા શિવબાબા એ ઘણીવાર પોતાના મહાવાક્યોમાં કહ્યું છે કે ખરાબ દ્રષ્ટિ રાખવા વાળી વ્યક્તિ બીજા જન્મમાં લુલી-લંગડી બની જાય છે.

ખરાબ દ્રષ્ટિ એતો કોઈ ખરાબ વિચારનું પહેલું પ્રત્યક્ષ પરિણામ છે. જો ખરાબ દ્રષ્ટિ રાખવા વાળી વ્યક્તિ બીજા જન્મમાં લુલી- લંગડી બને છે તો વ્યક્તિ જ્યારે ખરાબ દ્રષ્ટિ બાદ ખરાબ વચન, ખરાબ કર્મ સુધી પહોંચી જાય છે, તો તેની સજા કેવી ભયંકર ભોગવવી પડશે? બીજી બાજુ દેવતાઓનું દિવ્ય શરીર પણ આપણે જોઈએ છે તેમના ચિત્રોની સમક્ષ આપણે નમન કરીએ છીએ તેમની સુંદરતા તથા પવિત્રતાને ને પોતાને ધન્ય માનીએ છીએ. આટલું દિવ્ય સ્વસ્થ સુંદર શરીર તે જ આત્મા ધારણ કરી શકે છે કે જેના સંકલ્પમાં પણ કામ, ક્રોધ વગેરે વિકારો નથી હોતા. આવી આત્મા જ વિષ્ણુના કુળમાં જન્મ લે છે. વિષ્ણુનો અર્થ જ છે જહેર (વિષ)ને અણુની જેમ અદ્રશ્ય કરી સમાપ્ત કરવા વાળી વ્યક્તિ.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)