એક સમાન લક્ષ્ય બધાને નજીક લાવી દે છે

સંગઠનમાં રહેવા છતાં એકબીજા ઉપર આધારિત ન રહેતા સ્વનિર્ભરતાથી ચાલવું. કોઈપણ કામ મન લગાવીને કરવું, પરંતુ બદલામાં મળતી પદવીને મનથી સ્વીકાર ન કરવી. પોતાનાથી ક્યારેય ભારે ન થવું. આ ગુણ સંગઠનની દરેક વ્યક્તિમાં હોય તો એકતાની દોરી દોરડામાં બદલાઈ જાય છે..

એક સમાન લક્ષ્ય બધાને નજીક લાવી દે છે.આ લક્ષ્ય જો થોડા સમયનું અને હદનું હોય થોડા સમયની અને હદની એકતા ઉત્પન્ન થાય છે. સંપૂર્ણતાને પ્રાપ્ત કરવા માટે બધાનું એક સમાન લક્ષ્ય હોય કે આપણે બધા પિતા પરમાત્મા સમાન ગુણવાન અને શક્તિવાન બનીએ. સૃષ્ટિ રૂપી સાગર માં તરતા આપણા બધાનું લક્ષ્ય પણ પરમપિતા પરમાત્મામાં સમાઈ જવાનું છે. તેમના સમાન બની જવાનું છે. એક સમાન લક્ષ્ય થી એક ધર્મ, એક જાતિ, એક કુળ તથા એક ભાષા વાળા વિશ્વની સ્થાપના થઈ શકે છે.

સમાચાર પત્રોમાં વારંવાર આતંકવાદીઓ ને શરણ ન આપવા માટે અમેરિકા દ્વારા ચેતવણી આપવામાં આવી રહી છે. વિવિધ દેશોની સરકારો પણ પોતાના દેશમાં જે ભાગમાં આતંકીઓનો ભય છે તે અંગે નિષ્ણાતો તથા ગુપ્તચર વિભાગની સલાહ લઈને તે વિસ્તારો માં સલામતીના જરૂરી પગલા લે છે. પોલીસ તથા જરૂર પડે સેનાની પણ મદદ લે છે. ટીવી તથા અન્ય પ્રચાર માધ્યમો દ્વારા વારંવાર સાવધાની આપવામાં આવે છે. અપ્રિય ઘટનાઓ માટે માનસિક રીતે તૈયાર રહેવા ની અપીલ નાગરિકોને કરવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય અપરાધીઓને પકડવા માટે સરકારો બીજા દેશોની મદદ લે છે તથા અપરાધીઓને જીવતા કે મરેલા પકડી લાવવા માટે ઇનામ પણ જાહેર કરે છે.

 

અપરાધ નો ઇતિહાસ નવો નથી. આપણા દેશમાં પણ અગાઉ ડાકુઓના જૂથ હોતા હતા, જે ક્યારેક શહેરોમાં આવીને આતંક મચાવતા હતા અથવા જંગલોમાં રહીને વેપારીઓના કાફલાને લૂંટી લેતા હતા. આ ડાકુઓને પકડી લેનાર તથા સમર્પણ કરાવનાર વ્યક્તિઓને રાજાઓ દ્વારા મોટા મોટા ઇનામો તથા ઉપાધીઓ આપવામાં આવતી હતી.

અપરાધનો ઈતિહાસ જૂનો ભલે હોય પરંતુ તે કાયમનો નથી. આપણે એવું ન કહી શકીએ કે પહેલાના સમયથી અપરાધ થતા આવ્યા છે. સૃષ્ટિના શરૂઆતના સમય અંગે પ્રાચીન ભારતીય, મુસ્લિમ તથા ક્રિશ્ચિયન સાહિત્યમાં વર્ણન છે કે તે સમયે મનુષ્ય સૃષ્ટિ સ્વર્ગ હતી. તે સમયે સંપૂર્ણ સુખ, શાંતિ તથા પવિત્રતા હતી. તે દુનિયાને ખુદાનો બગીચો કહેવામાં આવે છે, જેને નષ્ટ કરવાનું કામ પાંચ વિકાર ( રાવણ ) કરે છે. ત્યારથી પુરુષોએ પરસેવો પાડી કમાવાનું શરૂ કરવું પડ્યું અને સ્ત્રીઓએ સંતાન પેદા કરવાનું દુઃખ સહન કરવાની સાથે પુરુષની દાસી બનીને રહેવું પડ્યું. ભારતીય વિદ્વાનોએ પણ આ સંબંધમાં મનજીતે- જગતજીત કહીને સાવધાની આપી. આ પણ મનને જીતવા પર મળવા વાળા ઇનામની જાહેરાત છે. દરેક કાર્ય નો આધાર મન છે પરંતુ એ પણ સત્ય છે કે મન દરેક સમયે ખોટું નથી વિચારતું. મનમાં તો સારા અને કલ્યાણકારી વિચાર પણ આવે છે.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)