ભીતરના અવકાશમાં

મનુષ્યની પૂર્ણ શક્તિઓ અમાપ છે તેને માપી શકાય નહી. મનુષ્યનો સ્વભાવ અને અણુની રચનામાં ઘણું સામ્ય છે. અણુના કેન્દ્રમાં હકારાત્મકતા (ઘન ભાર) છે. જ્યારે નકારાત્મક કણો પરિધિ માં હોય છે. તે જ રીતે માણસમાં રહેલી નકારાત્મકતા એ એનો મૂળ સ્વભાવ નથી એ નકારાત્મકતા ફક્ત બહારની જ હોય છે. પરંતુ જ્યારે વ્યક્તિ કેન્દ્રિત હોય, પોતાના સ્વમાં સ્થિત હોય ત્યારે તે ખૂબ જ શાંત, સ્થિર અને ખુશહાલ હોય છે. હિંસા મનુષ્યનો સ્વભાવ નથી. પરંતુ તે દર્શાવે છે કે વ્યક્તિ મૂળ સ્વભાવ થી હટી ગઈ છે.

આપણે કઈ રીતે જાણી શકીએ કે આપણને જે જ્ઞાન છે તે સાચું છે કે નહિ? અરે, 10000 વર્ષ પહેલા પણ લોકો જાણતા હતા કે ગુરુના ગ્રહને ૧૨ ઉપગ્રહો છે. તેઓ વ્યક્તિગત તરીકાઓ જેમ કે અંતઃસ્ફૂરણા, મનને શાંત કરવું અને એ દ્વારા જાણકારી હાંસલ કરવી. જ્યારે મન શાંત હોય ( એટલે કોઈ વ્યક્તિ સૂતી હોય છતાં પણ સજગ હોય) ત્યારે મનમાં હેતુ ઉદ્દભવે છે અને તેની સાથે અંતઃસ્ફૂરણા, જ્ઞાન તેમજ પ્રેરણા ઉદ્દભવે છે.આજ માર્ગને અપનાવીને પ્રાચીન કાળથી મનુષ્યએ બ્રહ્માંડનું જ્ઞાન હાંસિલ કર્યું હતું. અને તેની સાથે ગાણિતિક તકનિક પણ વિકસાવી જે આજે પણ ખૂબ જ પ્રચલિત છે.

પ્રાચીન કાળથી ચાલી આવતા પંચાંગમાં ગ્રહણ ક્યારે થશે તેની સ્પષ્ટ માહિતી મળે છે. આમ જ્યોતિષ વિજ્ઞાન અને ખગોળ વિજ્ઞાનનો આજ રીતે ઉદ્દભવ થયો હતો.પ્રાચીન કાળથી માણસ જાણતો હતોકે સૂર્ય, સૂર્યમાળાના કેન્દ્રમાં છે અને બાકીના ગ્રહો તેની ચારે બાજુ ફરતા છે જે અંતઃ સ્ફુરણા થી જાણતો હતો. તે જ રીતે મનુષ્ય એ પણ જાણતો હતો કે તેના શરીરનો પ્રત્યેક કોષ જીવંત છે અને મન શાંત છે. આ અવસ્થા એ સમાધિ અવસ્થા છે.

આપણે પણ વર્ષ માં બે ત્રણ દિવસ મૌનમાં રહીને આપણા વિચારો,લાગણીઓનું અવલોકન કરીશું તો સમજાશે કે મૌન શું છે? વિચારોની માયાજાળ થી મુક્તિ એ અંતઃ સ્ફુરણાના પાયામાં છે અને અંતઃ સ્ફુરણા એ નવા આવિષ્કારનો જ ભાગ છે.

આપણા રોજબરોજના સામાન્ય જીવનમાં ઘણા બધા વિચારો અને ઉત્તેજનાઓ ઉભરાતા હોય છે પરંતુ તેના પર ધ્યાન કે અવરોધ હોતો નથી. આજે બાળકોમાં ધ્યાનની ઉણપ સિંડ્રોમની સમસ્યા ખૂબ જ વર્તાય છે અને માટે જ વસ્તુ કે પરિસ્થિતિને ખાળવાની ક્ષમતા ગુમાવી બેઠા છે. જ્યારે તમે શાંત હોવ છો ત્યારે તમારી બુદ્ધિમત્તા ગુમાવતા નથી પરંતુ તેથી વિપરિત તમારી બુદ્ધિ તીક્ષ્ણ બને છે અને ધ્યાનનો વ્યાપ વધે છે. ધ્યાન અથવા એવી જ કોઈ આત્મવિકાસ લક્ષી પ્રક્રિયા ધારણા ધારણ કરવાની ક્ષમતા વધારે છે અને તેના પરિણામ સ્વરુપ આપની અભિવ્યક્તિને વધારે નિખારે છે. એક અભિગમ તનાવ થી મુક્ત થવાનો છે અને બીજો અભિગમ એ છે કે તનાવનો પ્રવેશ જ ન થાય. આ બીજા અભિગમ માટે આપણે આપણી આસપાસ ઘટતી ઘટનાઓ પ્રતિ આપણી અભિવ્યક્તિમાં પરિવર્તન લાવવું જરુરી છે.

આપણે ગરમી કે દાહકતાને હસતા હસતા સહન કરીએ. એક આરામદાયક અભિગમ અપનાવીએ અને તે પણ ખૂબ જ આત્મવિશ્વાસ પૂર્વક. વ્યક્તિએ મનને એવું કેળવવું જોઈએ કે તનાવ આપણા મનમાં પ્રવેશી શકે જ નહિ. પરંતુ તનાવ હોય જ નહિ તે શક્ય જ નથી. કંઈ પણ રીતે તનાવ થઈ શકે છે પણ તે તનાવને ખાળતા શીખવું જોઈએ. તમે જો સહજતાથી તમારી આસપાસના વાતાવરણ અને પરિસ્થિતિનો સામનો કરો છો તો મારા મતે તમારી શક્તિનો પૂર્ણ પણે ઉપયોગ થયો ગણાશે. જ્યારે તમારામાં પૂર્ણ શક્તિ વ્યાપ્ત હોય છે ત્યારે કંઈ પણ તમને વિચલિત કરી શક્તુ નથી અને એ જ તમારા મુખ પર સ્મિત અને આત્મવિશ્વાસ આણે છે.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)