Home Blog Page 4469

ફાસ્ટેગને લઈને સરકારે આપી રાહતઃ રોકડ ચૂકવણીની વ્યવસ્થા પણ ગોઠવાશે

ગાંધીનગરઃ સરકારે 65 ટોલ પ્લાઝા પર ફાસ્ટેગના નિયમોમાં થોડા સમય માટે રાહત આપી છે કેમ કે, અત્યારે ત્યાં હજુ પણ લોકો ટોલ ટેક્સની ચૂકવણી રોકડમાં કરે છે. આ 65 ટોલ પ્લાઝા પર 25 ટકા રસ્તાઓને 30 દિવસ માટે રોકડ ચૂકવણી અને ફાસ્ટેગ લેન બંને લાઈનમાં છૂટ આપવામાં આવી છે. હાઈબ્રિડ અથવા ફાસ્ટેગથી ચૂકવણી અને રોકડ ચૂકવણી કરનારા બંને પ્રકારના વાહનો જઈ શકે છે. બંને વ્યવસ્થામાં બંને પ્રકારના વાહનો જઈ શકે છે.

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા, ટોલ પ્લાઝાઓને આગામી ૩૦ દિવસ સુધીમાં રપ ટકા જેટલી લેનને હાઇબ્રીડ એટલે કે ફાસ્ટ ટેગ લેન અને રોકડ વસુલાત એમ બંને વ્યવસ્થા ધરાવતી લેન બનાવવાની સુચના આપવામાં આવી છે.

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યા પ્રમાણે, આ અસ્થાયી વ્યવસ્થા 30 દિવસની છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાની વિનંતી પર આ પગલું લેવામાં આવ્યું છે, જેથી કરીને નાગરિકોને કોઈ પ્રકારની અસુવિધાનો સામનો ન કરવો પડે.

સરકારે 15 ડિસેમ્બરથી NHAIના તમામ ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ આધારિત ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ લાગુ કરી દીધી છે. તેના અંતર્ગત ટોલ પ્લાઝાની ઓછામાં ઓછી 75 ટકા લેન પર રોકડ ચુકવણી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ટોલ પ્લાઝા પર વધુમાં વધુ 25 ટકા લેન પર રોકડ ચુકવણીની વ્યવસ્થા કરવામાં આવશે. આ 65 ટોલ પ્લાઝા ઉત્તર પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, પંજાબ, ચંડીગઢ અને આંધ્રપ્રદેશમાં સ્થિત છે.

રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, આ 65 ટોલ પ્લાઝા પર ટ્રાફિકની સ્થિતિ અનુસાર 25 ટકા સુધી ‘ફાસ્ટેગ લેન ઓફ ફી પ્લાઝા’ને અસ્થાયી રીતે હાઈબ્રિડ લેનમાં ફેરવી શકાય છે. મંત્રાલય દ્વારા નિવેદનમાં સ્પષ્ટ રીતે જણાવ્યા પ્રમાણે, આ એક અસ્થાયી વ્યવસ્થા છે જે 30 દિવસની છે. તેની પાછળનો હેતુ ટ્રાફિકની સમસ્યાને દૂર કરવાનો છે જેના કારણે કોઈને અસુવિધા ન થાય.

‘કેમ છો?’ ફિલ્મના કલાકાર-નિર્માતા ‘ચિત્રલેખા’ના કાર્યાલયની મુલાકાતે…

આજે, 17 જાન્યુઆરીથી રિલીઝ થયેલી ગુજરાતી કોમેડી ફિલ્મ ‘કેમ છો?’ના અભિનેતા તુષાર સાધુ અને અભિનેત્રી કિંજલ રાજપ્રિયા તથા નિર્માતા શૈલેષ ધામેલિયા હાલમાં જ ‘ચિત્રલેખા’ના મુંબઈ કાર્યાલયની મુલાકાતે આવ્યા હતા અને આ ફિલ્મ વિશે રસપ્રદ વાતો કરી હતી.

જુઓ એમની મુલાકાતનો વિડિયો…

અમદાવાદ-મુંબઈ તેજસ એક્સપ્રેસનું ઉદઘાટન કરાયું

અમદાવાદ – ભારતીય રેલવેની પેટા-કંપની ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)ની બીજી ખાનગી ટ્રેન અમદાવાદ-મુંબઈ તેજસ એક્સપ્રેસને આજે સવારે અમદાવાદ રેલવે સ્ટેશનેથી ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ લીલી ઝંડી બતાવી હતી. આ ટ્રેનની કમર્શિયલ સેવા જોકે 19 જાન્યુઆરીથી શરૂ થશે.

તેજસ એક્સપ્રેસ શ્રેણીની આ બીજી ટ્રેન છે. પહેલી ટ્રેન લખનઉ-નવી દિલ્હી વચ્ચે ગયા વર્ષે શરૂ કરવામાં આવી હતી.

અમદાવાદ-મુંબઈ તેજસ એક્સપ્રેસ ટ્રેનને ગુરુવારને બાદ કરતાં અઠવાડિયાના છ દિવસ દોડાવાશે. ગુરુવારનો દિવસ ટ્રેનનું જાળવણી કાર્ય હાથ ધરવા માટે ફાળવવામાં આવ્યો છે. આ ટ્રેનનો નંબર છે – 82902/82901. સંપૂર્ણ એરકન્ડિશન્ડ એવી આ ટ્રેન આજે માત્ર ઉદઘાટન સફરમાં અમદાવાદથી આજે સવારે 9.30 વાગ્યે ઉપડશે અને મુંબઈ સેન્ટ્રલ સાંજે 4.30 વાગ્યે પહોંચશે. વળતી સફરમાં આ ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી સાંજે 5.15 વાગ્યે ઉપડશે અને અમદાવાદ રાતે 11.30 વાગ્યે પહોંચશે.

19 જાન્યુઆરીથી આ ટ્રેન અમદાવાદથી સવારે 6.40 વાગ્યે ઉપડશે અને મુંબઈ સેન્ટ્રલ ખાતે બપોરે 1.10 વાગ્યે પહોંચશે. વળતી સફરમાં, ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી બપોરે 3.40 વાગ્યે ઉપડશે અને અમદાવાદ રાતે 9.55 વાગ્યે પહોંચશે. ટ્રેન 533 કિ.મી.નું અંતર 6 કલાક અને 30 મિનિટમાં પૂરું કરશે.

અમદાવાદથી ઉપડ્યા બાદ ટ્રેન નડિયાદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી, બોરીવલી ઉભી રહેશે. મુંબઈથી ઉપડીને ટ્રેન બોરીવલી, વાપી, સુરત, ભરૂચ, વડોદરા અને નડિયાદ ખાતે ઊભી રહેશે.

ટ્રેનમાં બે એક્ઝિક્યૂટિવ ક્લાસ ચેર કાર છે. દરેક ડબ્બામાં 56 સીટ છે. તે ઉપરાંત આઠ ચેર કાર બોગી છે, જે દરેકમાં 78 સીટની વ્યવસ્થા છે. ટ્રેનની કુલ ક્ષમતા 736 પેસેન્જરો માટેની છે.

ટ્રેનમાં અનેક આધુનિક સુવિધાઓ છે, જેમ કે સ્લાઈડિંગ દરવાજા, વ્યક્તિગત વાંચન માટેની લાઈટ, મોબાઈલ ફોન ચાર્જિંગ પોઈન્ટ્સ, અટેન્ડન્ટ કોલ બટન, બાયો-ટોઈલેટ્સ, ઓટોમેટિક એન્ટ્રી અને એક્ઝિટ દરવાજા, સીસીટીવી કેમેરા, આરામદાયક સીટ.

અમદાવાદ-મુંબઈ તેજસને કારણે બીજી 33 ટ્રેનોનો સમય બદલાયો

તેજસ એક્સપ્રેસ ટ્રેન સમયસર દોડી શકે એ માટે આશરે 33 જેટલી ટ્રેનોના સમયમાં સહેજ ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેનો માટે જુદા જુદા સ્ટેશનો ખાતેના સમયને એડજસ્ટ કરવામાં આવ્યો છે. આમાં અમદાવાદ-ચેન્નાઈ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસ અમદાવાદથી 25 મિનિટ મોડી ઉપડશે, પોરબંદર-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 55 મિનિટ મોડી ઉપડશે. અન્ય 16 મેલ/એક્સપ્રેસ ટ્રેનો તથા ચાર મેમૂ ટ્રેનો પણ અમદાવાદ સ્ટેશનેથી પાંચથી લઈને 10 મિનિટ મોડી રવાના થશે.

અમદાવાદ-મુંબઈ તેજસ એક્સપ્રેસ માટે તત્કાલ ક્વોટા કે પ્રીમિયમ તત્કાલ ક્વોટાની ટિકિટો રાખવામાં આવી નથી. આમાં માત્ર જનરલ અને ફોરેન ટુરિસ્ટ ક્વોટા જ છે. ફોરેન ટુરિસ્ટ ક્વોટામાં એક્ઝિક્યૂટિવ ચેર કારમાં 6 સીટ રાખવામાં આવી છે જ્યારે ચેર કાર બોગીઓમાં 12 સીટ વિદેશી પર્યટકોને ફાળવવામાં આવી છે.

આ ટ્રેનમાં પ્રવાસીઓને ટ્રાવેલ વીમાનું કવચ આપવા ઉપરાંત IRCTC કંપની જો ટ્રેન એક કલાકથી વધુ સમય મોડી પડશે તો દરેક પ્રવાસીને રૂ. 100નું વળતર આપશે અને બે કલાકથી વધુ સમય મોડી પડશે તો અઢીસો રૂપિયાનું વળતર આપશે.

અમદાવાદ-મુંબઈ તેજસ એક્સપ્રેસ ટ્રેનનું બુકિંગ માત્ર IRCTCની વેબસાઈટ પરથી અથવા Paytm, Ixigo, PhonePe, Make My Trip, Google, Ibibo, Railyatri જેવા તેના ઓનલાઈન ટ્રાવેલ પોર્ટલ પાર્ટનર્સ મારફત કરી શકાશે. રેલવે રિઝર્વેશન કાઉન્ટરો પરથી આની ટિકિટ નહીં મળે.

BSEમાં કમર્શિયલ પેપર્સનો નવો વિક્રમ; લિસ્ટિંગ રૂ. 2 લાખ કરોડને પાર

મુંબઈ – હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઈનાન્સ કોર્પોરેશન, ટાટા સ્ટીલ, રિલાન્યસ જિયો ઈન્ફોકોમ, બીએએસએફ ઈન્ડિયા અને આઈઆઈએફએલ વેલ્થ ફાઈનાન્સે તેમનાં કમર્શિયલ પેપરના અનુક્રમે રૂ.3,650 કરોડ, રૂ.2,500 કરોડ, રૂ.1000 કરોડ, રૂ.300 કરોડ અને રૂ.200 કરોડના ઈશ્યુને લિસ્ટ કરવા માટેની અરજી કરી છે. બીએસઈમાં આ ઈશ્યુઓનાં કમર્શિયલ પેપર્સ 17 જાન્યુઆરી, 2020થી લિસ્ટ થશે.

અત્યાર સુધીમાં 84 ઈશ્યુઅરોના રૂ.2,05,532 કરોડના કમર્શિયલ પેપર્સના 685 ઈશ્યુઓ લિસ્ટ કરવામાં આવ્યા છે. આ ઈશ્યુઝની સરેરાશ 148 દિવસની મુદત પરનું વેઈટેડ એવરેજ યીલ્ડ 6.52 ટકા રહ્યું છે.

બીએસઈ દેશની કંપનીઓને મૂડી એકત્ર કરવામાં સહાય કરી રહ્યું છે. બીએસઈ બોન્ડ પ્લેટફોર્મ જુલાઈ 2016માં લોન્ચ કરવામાં આવ્યું ત્યારથી અત્યાર સુધી (16 જાન્યુઆરી, 2020)માં ભારતીય કંપનીઓના રૂ.5,56,194 કરોડ (78.62 અબજ યુએસ ડોલર)ના ડેટનું લિસ્ટિંગ કરવામાં આવ્યું છે. આમાંથી બીએસઈએ સફળતાપૂર્વક રૂ.2,36,894 કરોડનું ભંડોળ (33.42 અબજ ડોલર) એકત્ર કરી આશરે 60 ટકા બજાર હિસ્સો પ્રાપ્ત કર્યો છે. છે. નાણાકીય વર્ષ 2019-20માં (16 જાન્યુઆરી, 2020) સુધીમાં બીએસઈએ સફળતાપૂર્વક રૂ.9,43,376 કરોડ (133.09 અબજ ડોલર) એકત્ર કર્યા છે.

Chitralekha Marathi – January 27, 2020

  E-Magazine – Desktop Version PDF Version
This post is only available to members.

તમે પણ બની શકો છો સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર

નવી દિલ્હી: જો તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હશો તો આ તસવીરો ચોક્કસ તમારા મગજમાં સ્ટોર થઈ ગઈ હશે. ઈન્સ્ટાગ્રામના ફેવરીટ કપલ કહેવાતા રશિયન ફોટોગ્રાફર મુરાદ ઉસ્માન અને તેમની ગર્લફ્રેન્ડ નતાલિયા જખરોવા થોડા વર્ષો પહેલા ઈન્સ્ટાગ્રામ પર ‘ફોલો મી ટૂ’ નામની એક ફોટો સીરીઝ મારફતે રાતો રાત આખી દુનિયામાં લોકપ્રિય થઈ ગયા હતા. આ બંનેએ જૂદા જૂદા દેશોમાં આ પ્રકારની તસવીરો પાડીને ખૂબ લોકપ્રિયતા મેળવી. સાધારણ લાગતી આ તસવીરો ખૂબસૂરતીની સાથે અલગ રીતે આ કપલની કહાની રજૂ કરતી હતી. આ તસવીરોએ ઈન્સ્ટાગ્રામ પર ફોટોગ્રાફી અને ‘ટ્રાવેલ એન્ડ રિલેશનશિપ ગોલ’ના કોન્સેપ્ટને એકદમ નવી દીશા આપી અને લાખો લોકોને ઈન્સ્ટાગ્રામ પર સુંદર તસવીરો પોસ્ટ કરવા માટે પ્રોત્સાહિત કર્યા.

આંકડાઓ અનુસાર વિશ્વભરમાં લગભગ 1 અરબ લોકો ઈન્સ્ટાગ્રામનો વપરાશ કરે છે. આ હિસાબથી ઈન્સ્ટાગ્રામ વિશ્વનું ત્રીજા નંબરનું સૌથી લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. સ્વભાવિક છે કે, દરેક એ યૂઝર્સ ઈન્સ્ટાગ્રામ પર છે તે ઈન્ટ્રાગ્રામ ઈન્ફલુએન્સર છે. પણ એવું તે શું અલગ કરે છે ઈન્સ્ટા એન્ફ્લુએન્સર, જે તેમને લાખો લોકોના ચહિતા બનાવી દે છે? આવો જાણીએ ઈન્સ્ટાગ્રામ એન્ફ્લુએન્સર્સની કેટલીક એવી વાતો, જે બનાવે છે તેમની તસવીરો અને ટ્રાવેલિંગની કહાનીને એટલી ખાસ કે, તે રાતો રાત લોકપ્રિય બની જાય છે.

ટ્રાવેલ પ્લાનિંગ

સોશિયલ મીડિયાના આ જમાનામાં ઈન્સ્ટાગ્રામ યૂઝર્સ સમગ્ર વિશ્વમાં ટ્રાવેલ એન્ડ ટૂરિઝ્મ ઈન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવામાં મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે. ઈન્સ્ટા ઈન્ફ્લુએન્સર તેના ટ્રાવેલ ડેસ્ટિનેશનની સાથે સાથે નાની વસ્તુઓનું પ્લાનિંગ કરતા હોય છે. પછી તે ડેસ્ટિનેશનની પસંદગી હોય, ટ્રાવેલિંગ મોડ કે પછી સાઈટ વિઝિટ, રેસ્ટોરન્ટ, શોપિંગ. ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સર દેશમાં હોય કે વિદેશમાં સતત તેના

ઈન્સ્ટાગ્રામ મુખ્યરીતે એક ફોટો શેરિંગ મીડિયા છે, એટલા માટે સ્વાભાવિક છે કે, અહીં લોકોને આકર્ષિત કરવાની પહેલી શરત એ છે કે, એવી તસવીરો કે જે ખૂબસૂરત હોવાની સાથે બીજા કરતા અલગ પણ હોય. આના માટે તેઓ સારા કેમેરા,ટ્રાઈપોડ, ફોટોગ્રાફરની મદદ લેતા હોય અને સાવધાની પૂર્વક લોકેશનની પસંદગી કરતા હોય છે જેથી અલગ એન્ગલથી સુંદર તસવીરો ખેંચી શકાય. ટ્રાવેલ ઈન્ફ્લુએન્સર્સ અનેક ઓનલાઈન ફોટો એડિટિંગ ટૂલ્સ અને એપ્સની મદદથી તેમની તસવીરોને વધુને વધુ સુંદર બનાવવાનો પ્રયત્ન કરે છે અને આકર્ષક કેપ્શન સાથે તેમને પોસ્ટ કરે છે.

રુલ ઓફ થર્ડ્સ

ફોટોગ્રાફીમાં કોમ્પોઝિશન ખૂબજ જરૂરી છે. કોમ્પોઝિશન જ નક્કી કરે છે કે, તસવીરમાં કઈ વસ્તુની કેવી વ્યવસ્થા હશે. રુલ ઓફ થર્ડ્સનો નિયમ તમને સુંદર શોટ્સ લેવામાં મદદ કરશે.

રુલ ઓફ થર્ડ હેઠળ ફોટો 9 બરાબર ભાગમાં વિભાજિત થાય છે અને તમારો સબ્જેક્ટ વચ્ચેની બદલે ગ્રિડના સાઈડમાં આવે છે. આના કારણે તમારા ફોટોમાં નાટકિયતા અને રુચી પેદા થાય છે. આ ઉપરાંત, મોટાભાગના સ્માર્ટફોનમા એક ગ્રિડ સેટિંગ આપવામાં આવે છે જેને તમે એક્ટીવ કરી શકો છો. આની મદદથી તમારે તમારી સ્ક્રીન પર લાઈનોનો અંદાજ નહીં લગાવવો પડે.

નેચરલ લાઈટ

નેચરલ લાઈટ તમારા ફોટોને બગાડી પણ શકે છે અને સુધારી પણ શકે છે. નેચરલ લાઈટ હંમેશા સારા ફોટો લેવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત ફિલ્ટરનો ઉપયોગ પણ સાવચેતી પૂર્વક કરવો જોઈએ. કારણ કે સ્ટ્રોન્ગ ફિલ્ટર નેચરલ લાઈટને બર્બાદ કરી શકે છે.

દરેક વાતમાં નવો અંદાજ

મોટાભાગના સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સનો કામ કરવાનો અંદાજ સામાન્ય યૂઝર્સ કરતા અલગ હોય છે. તેઓ રજા પર હોય છતાં પણ તેમના ફોલોઅર્સ સાથે સતત કનેક્ટેડ રહે છે અને તેમની તસવીરો સાથે પોતાના અનુભવને તેમના ફોલોઅર્સ સાથે શેર કરે છે.

એટલા માટે અહીં એ ખૂબ જ જરૂરી છે કે, આ અનુભવ એવો હોય કે, અન્ય યૂઝર્સને પ્રોત્સાહિત કરે. તેઓ ગમે તે સ્થળે જાય ત્યાંની દરેક વસ્તુ વિડિયો કે તસવીર સ્વરૂપે રેકોર્ડ કરે છે- પછી ભલે તે કોઈ સ્થળ હોય, ખાવાનું હોય, કે પછી શોપિંગ હોય દરેક વસ્તુને ખૂબ જ સુંદરતાથી લોકોની સામે રજૂ કરે છે. તેમની આ જ વાત અન્ય યૂઝર્સ કરતા અલગ તારવી આપે છે.

સામાન્ય લાગતી વસ્તુને પણ ખાસ અંદાજમાં રજૂ કરવી જ ઈન્સ્ટાગ્રામ ટ્રાવેલ ઈન્ફ્લુએન્સર બનવાનો સરળ ફોર્મૂલા છે. તો જો તમે ફરવાના શોખીન હોવ, સારી ફોટોગ્રાફી સાથે ક્રિએટિવ છો અને સ્માર્ટ વર્ક કરવાનું જાણતા હોવ તો, વિશ્વાસ રાખો તમે પણ ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સર બની શકો છો.

આજના જમાનામાં દરેક વ્યક્તિ સોશિયલ મીડિયા પર એક્ટિવ હોય છે. એક વ્યક્તિ સરેરાશ એક કલાક સોશિયલ મીડિયા પર વિતાવે છે. જો તમે ઈચ્છો તો એક કલાકમાં સોશિયલ મીડિયા પર કમાણી કરી શકો છો. આજકાલ દરેક કંપની તેમની પ્રોડક્ટ્સના પ્રમોશન માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહી છે કારણ કે, અહીં યુથ સાથે સરળતાથી કનેક્ટેડ થઈ શકાય છે. જેથી કંપનીઓને તેમની પ્રોડક્ટ્સના પ્રમોશન માટે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરનો સંપર્ક કરે છે. તો તમે પણ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર બનીને લાખો રુપિયા કમાઈ શકો છો.

રાશિ ભવિષ્ય 17/01/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, કામમા વ્યસતા વધુ રહે તેવુ બની શકે છે, વેપારમા નાનુ કામ કરવુ હિતાવહ છે, કોઈ જાહેરપ્રસંગમા જવાના યોગ છે તેમા જરૂરપુરતીજ વાર્તાલાપ કરવી યોગ્ય છે કોઈની મશ્કરીકે ખોટીદોરવણીમા ના આવી જવાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, શાંતિ અને ધીરજ રાખવી સારી


આજનો દિવસ સામાન્ય રીતે પસાર થાય, તમને તમારા કોઈ કામકાજમા મિત્રોનો સહકાર સારો મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા તમારુ સારુ પ્રભુત્વ જણાય, કોઇ પ્રસંગઅર્થે પ્રવાસનુ આયોજન થઈ શકે છે,મનની ઈચ્છા પૂરી થાય તેવા કોઈ એંધાણ જોવા મળે, વેપારમા નાનુ કામ કરવુ યોગ્ય કહી શકાય,


આજનો દિવસ તકેદારી અને સાવચેતીસૂચક કહી શકાય, તમારા ગુસ્સાને કાબુમા રાખવો જરૂરી છે જેથી ખોટાવિવાદ ટાળી શકાય, વાહન ધીમે ચલાવવુ અગત્યનુ છે, ખટપટથી દુર રહેવુ ડહાપણ ભર્યું છે, વણમાગી સલાહસુચન ના આપવી, વેપારમા કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવુ.


આજનો દિવસ તમારા માટે સારો કહી શકાય, તમારામા આજે આત્મવિશ્વાસ સારો દેખાય, જૂનીઓળખાણ અચાનક તાજી થાય, મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવા સંજોગો બની શકે છે, વેપારમા અનુભવથી કોઈ કામ કરોતો તેમા તમને લાભ થઈ શકે છે, યુવાવર્ગને પસંદગીના કામકે વાત થાય તેવુ બની શકે છે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારા કુટુંબકે મિત્રો સાથેની મિલનમુલાકાતમા નાણાકીયખર્ચ થાય તેવું બની શકે છે, ધાર્મિકકે સામાજિકકામકાજ અર્થે પ્રવાસનુ આયોજન થઇ પણ શકે, માર્કેટિંગક્ષેત્રમા સારો ઉત્સાહ જોવા મળે, વેપારમા નાનુ કામકાજ કરવુ યોગ્ય છે,


આજનો દિવસ સાવચેતી અને ધીરજથી પસાર કરવો ઇચ્છનીય છે, ઉશ્કેરાટના ભોગ ના બનાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, ઘરકે ઓફીસમા વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી,કોઈની સાથે વધુ દલીલબાજી ના કરવી, વેપારમા જોખમ ભર્યા કામ ન કરવા, જીવનસાથી સાથે ઉગ્રતા ના થાય તેની કાળજી રાખવી.


આજનો દિવસ સામાન્ય છે, કામમા સમયવ્યસ્તા ધાર્યા કરતા વધુ જોવા મળી શકે અને તેને કારણે થોડી માનસિકઅશાંતિ જેવુ રહે, વાણીવર્તણુકમા ધીરજનો અભાવ જોવા મળે અને તેના કારણે ક્યાંક અણગમતા વર્તનના ભોગ ના બનવુ પડે તેનુ ધ્યાન રાખવુ, વેપારમા નાનુ કામ અનુભવના આધારેજ કરવુ યોગ્ય છે.


આજનો દિવસ સારો છે,  થોડી મજાકમસ્તીની વૃતિ જોવા મળે પરતુ કોઈની લાગણી ના દુભાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, જુનામતભેદ સુધારવાની તકમળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા સારો પ્રતિભાવ જોવા મળે, વેપારમા લાભ થઈ શકે છે, યુવાવર્ગને અચાનક કોઈ જૂનીઓળખાણ તાજી થવાથી ઉત્સાહી થઈ જવાય.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમને કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, ઓફીસમા પરાણે કામકાજ કરતા હોવ તેવી લાગણી ઉદભવે, સહકર્મચારી સાથે કામની બાબતમા થોડો અસતોષ રહે, વેપારમા જોખમભર્યા કામ ન કરવા, વડીલવર્ગ આજે થોડી કામ ટાળવાની વૃત્તિ રાખે તેવુ બની શકે છે.


આજનો દિવસ સારો છે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ કામની જૂની ગુચ હોય તને  ઉકેલી શકાય તેવા સંજોગો બને, માંર્કેટિંગક્ષેત્રમા સારુ પ્રભુત્વ જણાય, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમા સમય વધુ ફાળવોતો કોઈ વિષયપર આવડત વધી શકે છે, વેપારમા લાભ થઈ શકે છે, કામમા ઉત્સાહ સારો રહે.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો, ખોટાવિવાદથી દુર રહેવુ શાણપણ ભર્યું છે, વાહન ધીમે ચલાવવુ, આરોગ્યબાબતે થોડુ સાચવવુ, વેપારમા જોખમ ન કરવુ, માર્કેટિંગક્ષેત્રમા થોડી મહેનત વધુ પડે અને તેને કારણે ઉત્સાહ ઓછો જોવા મળી શકે, બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવુ વધુ સારુ.


આજનો દિવસ સારો છે, તમારામા ઉત્સાહ અને ઉમંગ સારા જોવા મળે, કોઈ કારણોસર મુસાફરી થઈ શકે છે, ધાર્યાકામ થાય તેવુ બની શકે છે, માર્કેટિંગક્ષેત્રમા ઓળખાણમા કામકાજ કરવાથી  સારુ ફળ મળી શકે તેમજ નવીનકાર્યની તક પણ મળી શકે છે, વેપારમા લાભ થઈ શકે છે.

વાસ્તુ: ઈશાનમાં રહેતી વ્યક્તિની જીદ સમગ્ર પરિવારને તકલીફ આપે

સાહેબ, મારું ગયું વર્ષ અને આ વર્ષ બંને સરખા ન જાય તો સારું. તમને લખું છુ ત્યારે મારાએમને ન ગમ્યું એટલે મારા પતિએ પૂછ્યું તો મેં જણાવ્યું કે તમે કેટલા જ્ઞાની છો અને તમને કેટલા બધા એવોર્ડ મળ્યા છે. તો મને કે કે,” એવોર્ડને શું બટકા ભરવાના છે?” આવા સ્વભાવ વાળા માણસ સાથે કેમ રે’વાય? જોકે મારોય વાંક છે. હું બહુ જલ્દી લોકો પર વિશ્વાસ કરી દઉં છુ. મારા દીકરાને વાયફાય માટે ફાયબર કોઈક કંપનીનો લેવો હતો. ને મેં મોટું નામ જાણીને પૂછ્યા વિના પૈસા ભરી દીધા. હવે સ્પીડ નથી આવતી એટલે બાપ દીકરો મારી સાથે બોલતા નથી. મંદિરમાં અભિષેકના પૈસા આપવાની મારા પતિએ નાપાડી. તોય મેં સાડા ત્રણ હજારની પાવતી ફડાવી અને પછી મહારાજે અષ્ટમપષ્ટમ વિધિ કરાવી એ માય ચાલુ પૂજાએ મહારાજને ફોનમાં કોઈની સાથે ઝગડો થઇ ગયો. મારા પતિને બધા શ્લોક આવડે છે. તો મારા પર ખીજાયા. કે શિવ મંદિરમાં પુજાના પૈસા થોડા હોય? અને સાવ આવી પૂજા? હું ધાર્મિક છુ એટલે આવું થઇ જાય. પણ એ વાત કોઈ સમજતું નથી. બે દિવસ પહેલા એક ભાઈ ઘરમાં ઉભા હતા. મેં એમને પાણી આપ્યું અને મારા પતિને બોલાવવા ગઈ ત્યારે  એ ઘરમાંથીવસ્તુ ઉપાડતા હતા. મારો દીકરો આવી ગયો એટલે ખબર પડી કે એ ચોર હતો. મારા પતિએ જીંદગીમાં પહેલી વાર મને ખખડાવી.આવું કેમ થાય છે? કોઈ ઉપાય ખરો? વાસ્તુશાસ્ત્ર મને મદદ કરે ખરું?

વરંપર્વતદુર્ગેશુ ભ્રાનતમ વનચરેઈ: સહ. ન મુર્ખ જન્સંપર્ક: સુરેન્દ્ર ભવન્નનેષ્વપિ.

હિશક પશુઓ સાથે જંગલ કે પહાડો પર વિચરણ કરવું ઘણું સારું છે પરંતુ મુર્ખ માણસ સાથે સ્વર્ગમાં રહેવું પણ યોગ્ય નથી.

બહેન, આપનો જન્મ ખોટી સદીમાં થયો હોય તેવું આપને લાગે છે. આપને ચોરમાં પણ મહેમાન દેખાય છે. ભોળા હોવું એ ખુબજ સારું છે પણ મુર્ખ તો નહિજ. આજના જમાનામા ભોળા માણસોને મુર્ખમાં ખપાવી દેવામાં આવે છે. વળી વધારે પડતું ભોળપણ પણ સારું નહિ. કેટલા સાબુ લોકોને ગોરા બનાવી શકે છે? કેટલા ક્રીમ લગાવવાથી નોકરી મળે જાય છે? કોઈ માં પોતાના દીકરાને અલગ રહેવા પ્રોત્સાહિત કરે ખરી? આવા સવાલો પૂછ્યા વિના આપણે વિજ્ઞાપનો પર વિશ્વાસ કરી લઈએ છીએ. માત્ર નામ મોટું હોય એ જરૂરી નથી.વળી ઘરમાં કોઈને પૂછ્યા વિના સમગ્ર પરિવારને અસર કરે તેવોનિર્ણય વિચાર્યા વિના ન લેવાય ને? તમે તમારા પરિવારનો વિશ્વાસ ખોઈ બેઠા છો. આધ્યાત્મિક હોવું જરૂરી છે માત્ર ધાર્મિક નહિ. તમે અંધશ્રદ્ધા તરફ જઈ રહ્યા છો. ઈશ્વરની બાબતમાં કદાચ આપના પતિના વિચારો વધારે યોગ્ય છે. મહેમાન એ ભગવાન છે. પણ સાવ અજાણ્યો માણસ ઘરમાં દેખાય અને તમે પાણી આપીને બેસાડો તો કોઈને પણ ગુસ્સો આવે. અને જયારે એ ચોર હોય ત્યારે તો ખાસ. તમારે આજના યુગને સમજીને નિર્ણય લેવા જરૂરી છે. તમે સારા છો.ક્યારેક આંધળો વિશ્વાસ તકલીફ આપી શકે છે. કોઈ પણ નિર્ણય લેતા પહેલા થોડું વિચારો. જરૂર પડેતો આપના પતિ અથવા પુત્રની સાથે ચર્ચા કરીને નિર્ણય લો. પણ હા, ચર્ચા ઉગ્ર ન હોય તે ખુબજ જરૂરી છે. બે વ્યક્તિઓ એક સાથે સાચી હોઈ શકે. બંનેની વિચારવાની દિશા અલગ હોય તેવું બને.

તમારા ઘરમાં ઈશાનની બંને બાજુની દિશાઓથી બનતો ત્રિકોણ નકારાત્મક છે. તમે ઈશાનમાં સુવો છો અને વાયવ્યમાં તમારા ઘરનું દ્વાર છે. વળી બ્રહ્મમાં તમે પાણી ભરી અને તેમાં લીલી વાવ્યા છે. આના કારણે તમને એવું લગે છે કે તમને કોઈ સમજી શકતું નથી. પણ તમે અન્યને સમજવા પ્રયત્ન કરો છો ખરા? તમારો સ્વભાવ જીદ્દી છે તેનું પણ આજ કારણ છે. ઈશાનમાં રહેતી વ્યક્તિની જીદ સમગ્ર પરિવારને તકલીફ આપે. અહી એવુજ જોવા મળી રહ્યું છે. અગ્નિનો દોષ ચોરી કરાવી શકે. તમારા ઘરમાં ચોરી થતી રહી ગઈ છે. પણ સજાગતો રહેવુજ જોઈએ. ચોરની આગતાસ્વાગતા ન કરાય. સર્વ પ્રથમતો બ્રહ્મમાંથી પાણી કાઢી અને એક સરખું લેવલ કરી દો. અગ્નિમાં બે ચંદનના છોડ વાવી દો. મુખ્ય દ્વાર પર આસોપાલવનું તોરણ લગાવી અને વેદોક્ત રીતે ઉંબરો પૂજી લો. તમે યોગ્ય રીતે ગાયત્રી મંત્ર કરો. અને નૈરુત્ય તરફના બેડરૂમમાં સુવાનું રાખો. તમારા ઘરનું વાતાવરણ ચોક્કસ સારું થશે અને એકબીજા માટેની સમજણ વધશે.