૧૫ જૂલાઈ, ૨૦૨૩
૧૫ જૂલાઈ, ૨૦૨૩
રાશિ ભવિષ્ય 15/07/2023
રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા
![]()
આજનો દિવસ સામાન્ય છે, કોઈપણ કામમાં ધાર્યા કરતા વધુ વ્યસતા રહે તેને કારણે થોડી અસ્વસ્થા જેવું લાગ્યા કરે, સહકર્મચારી સાથે થોડો ઓછો સહયોગ પ્રાપ્ત થાય તેવી લાગણી અનુભવાય, કોઈ કામકાજ માટે ટીકા કરે અને તમે ઉશ્કેરટની સ્થિતિમાં આવી શકો છો. વેપારમાં નાનુંજ કામ કરવું હિતાવહ છે.
આજનો દિવસ સામાન્ય છે, તમને મિત્રોનો સહકારમળી શકે છે, માર્કેટિંગક્ષેત્ર આયોજનથી કામ કરવાથી કામ કર્યાનો સંતોષ મળે, નાનાકેમોટા પ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની કોઈ ઈચ્છા હોય તે પૂરી થઇ શકે તેવું બની શકે છે, વેપારમાં નાનું કામ કરવુંજ યોગ્ય છે, પ્રિયજનસાથે સારો સમય પસાર થઈ શકે.
આજનો દિવસ થોડો પ્રતિકુળતાવાળો કહી શકાય, તમારી લાગણીની કદરના થતી હોય તેવું વધુ લાગે, મન પરાણે મોટું રાખવું પડતું હોય તેવી લાગણીઓ રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ખોટાશબ્દપ્રયોગ ના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.
આજનો દિવસ સારો છે તમારામાં આત્માવિશ્વાસ સારો જોવા મળે, કોઈ પ્રસંગમાં તમારી હાજરી તમારી શોભા વધારી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં જૂનીઓળખાણ મુજબ કામકાજ કરવામાં આવેતો સારી સફળતા મળે તેવા સંજોગો બની શકે છે, વેપારમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે, ઉત્સાહ સારો જોવા મળે.
આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારા કુટુંબકે મિત્રો સાથેની મિલનમુલાકાતમાં નાણાકીયખર્ચ થાય તેવું બની શકે છે, ધાર્મિકકે સામાજિક કામકાજ અર્થે પ્રવાસનું આયોજન થઇ પણ શકે, માર્કેટિંગક્ષેત્રમાં સારો ઉત્સાહ જોવા મળે, વેપારમાં નાનું કામકાજ કરવું યોગ્ય છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, સ્વભાવમાં થોડું ચિડીયાપણું જોવા મળી શકે છે, ઈર્ષાળુલોકો થી દુર રહેવું, આજે વિચારો વધુ આવે તેના કારણે માનસિકથાક વધુ લાગે, કામટાળવાની વૃતિ જોવા મળે કોઈની સાથે વિવાદમાં ન ઉતરવું, માર્કેટિંગમાં મહેનત વધુ પડે, વેપારના કામકાજમાં જોખમન કરવું.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમય વ્યસ્તાને લીધે થોડી માનસિકઅશાંતિ રહે, યુવાવર્ગ માટે ક્યાય વાર્તાલાપમાં ઉત્તેજનાને લીધે ગેરસમજના થાય તેનું ખાસ ધ્યાન રાખવું, આકસ્મિકનાણાકીયખર્ચ થાય અને તેની વ્યથા તમારા ચહેરા પર સ્પષ્ટ દેખાઈ પણ આવે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે.
આજનો દિવસ સારો છે, તમારા પસંદગીના કાર્ય કરવાની તક મળેકે કોઈ ગમતી વાત સંભાળવા મળી જાય.કોઈ સામાજિકકે ધામિક કામકાજમાં તમે તમારું યોગદાન આપી શકો. નોકરીકે વ્યવસાયમાં જરૂરી માર્ગદર્શન માટે કે ભલામણ માટે જવાનું હોય તો તેમાં પણ પ્રતિસાદ સારો મળી શકે છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, કામકાજમાં થાકની લાગણી વધુ જોવા મળે, સહકર્મચારી સાથે કામકાજમાં સુમેળ થોડો ઓછો જોવા મળી શકે.છે, કામકાજમાં થોડો વિલંબ જોવા મળે પરંતુ છેવટે કામકાજ પૂર્ણ થયાનો સંતોષ પણ મળે. વેપારના કામકાજમાં જોખમ ન કરવું સલાહ્ભર્યું છે.
આજનો દિવસ સારો છે, પરિચિતો સાથે વાર્તાલાપ દરમિયાન તમને કોઈ સારી વાત પણ જાણવા મળી જાય તેવા સંજોગો બની શકે છે, જાહેરપ્રસંગોમાં તમારો પ્રભાવ અલગજ તારી આવે અને તમને આનંદની લાગણીનો સારો અનુભવ કરી શકો, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમારી ક્યાય ખટપટ થાયકે તમારી વાત જાણવાની જીજ્ઞાસા અન્યને વધી શકે છે પરંતુ તેમાં તમને કોઈ મોટી તકલીફન થઇ શકે. માર્કેટિંગક્ષેત્રમાં થોડી નિરાસા જોવા મળી શકે છે. વેપારમાં જોખમ ન કરવું, પ્રિયજન સાથે કોઈ મતભેદ કે મનદુખના થાય તેની કાળજી રાખવી.
આજનો દિવસ સારો છે, ફરવા અને ખરીદી કરવાના યોગ બને છે. વડીલવર્ગને ભૂતકાળમાં કોઈ સામાજીક કે ધાર્મિકકાર્યમાં યોગદાન આપેલ હોય તેની કદરકે સંભારણા થાય તેવું બની શકે છે. નોકરીકે વ્યવસાયમાં ફેરબદલી ઇચ્છનારને યોગ્ય માર્ગદર્શન પણ મળી શકે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.
આઇસી15 ઇન્ડેક્સમાં 650 પોઇન્ટની વૃદ્ધિ
મુંબઈઃ અમેરિકન સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન સામે ચાલી રહેલા રિપલ લેબ્સના કેસમાં ડિસ્ટ્રિક્ટ ન્યાયમૂર્તિએ આંશિક રીતે રિપલની તરફેણમાં ચુકાદો આપ્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર ક્રીપ્ટોકરન્સી ઉદ્યોગમાં હર્ષનું મોજું ફરી વળ્યું હતું, જેની અસર તળે માર્કેટનો બેન્ચમાર્ક – આઇસી15 ઇન્ડેક્સ 650 પોઇન્ટ વધ્યો હતો. રિપલમાં સૌથી વધુ એટલે કે 68.18 ટકાનો વધારો જોવા મળ્યો હતો. સોલાના, કાર્ડાનો અને અવાલાંશ 16થી 28 ટકાની રેન્જમાં વધ્યા હતા.
દરમિયાન, એચડીએફસી બેન્કે ભારતીય સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી – ડિજિટલ રૂપી માટે ઉપયોગમાં લઈ શકાય એવા યુપીઆઇ આધારિત ક્યુઆર કોડની જાહેરાત કરી છે. સીબીડીસી અને યુપીઆઇ બન્નેના વ્યવહારો પરસ્પર થઈ શકે એ માટેની આ વ્યવસ્થા છે.
૩.૦ વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.61 ટકા (650 પોઇન્ટ) વધીને 41,089 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 40,439 ખૂલીને 41,550ની ઉપલી અને 40,351 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો
વડાપ્રધાન મોદીએ નિહાળી ફ્રાન્સની ‘બેસ્ટિલ ડે પરેડ’



એશિયન ચેમ્પિયનશિપઃ તેજીન્દરપાલ સિંહે ગોળા ફેંકમાં જીત્યો ગોલ્ડ મેડલ
બેંગકોકઃ ભારતીય ગોળા ફેંક એથ્લીટ તેજીન્દરપાલ સિંહે એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ સુવર્ણ પદક જાળવી રાખતાં આધિપત્ય સ્થાપિત કર્યું છે. જોકે બીજા થ્રોમાં સર્વશ્રેષ્ઠ પ્રયાસ પછી તે લંગડાતા પગે બહાર આવ્યો હતો. એશિયન રેકોર્ડધારી તૂરે બીજા થ્રોમાં 20.23 મીટરના અંતરે ગોળો ફેંક્યો હતો. ઇરાનના સાબેરી મેહદી (19.98 મીટર)એ રજત પદક અને કજાકિસ્તાનના ઇવાન ઇવાનોવ (19.87 મીટર)એ કાંસ્ય પદક જીત્યો હતો. તૂર (28 વર્ષ) ત્રીજો ગોળા ફેંક એથ્લીટ છે, જેણે એશિયન ચેમ્પિયનશિપ પદક જીત્યો હતો.
આ સાથે એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મહિલાઓની 100 મીટર વિઘ્નદોડમાં સુવર્ણ પદક જીત્યો હતો. જેથી આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન વાય એસ. જગન મોહન રેડ્ડીએ જ્યોતિ યારાજીને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ સાથે ભારતે એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપના બીજા દિવસે ત્રણ ગોલ્ડ અને બે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. આ સાથે એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં જે ભારતીયોએ મેડલ જીત્યા છે, એમાં જ્યોતિ યારાજી –મહિલાઓની 100 મીટરની હર્ડલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ, અબદુલ્લા અબુબકર –પુરુષોના ટ્રિપલ જમ્પમાં ગોલ્ડ મેડલ, અજયકુમાર સરોજ- પુરુષોની 1500 મીટરમાં ગોલ્ડ મેડલ, અભિષેક પાલ-પુરુષોની 10,000 મીટરમાં બ્રોન્ઝ મેડલ, ઐશ્વર્યા કૈલાશ મિશ્રા- મહિલાઓની 400 મીટરમાં બ્રોન્ઝ મેડલ અને તેજસ્વિન શંકરે પુરુષોની ડેકાથલોન બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
ભારતે અત્યાર સુધી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ત્રણ ગોલ્ડ અને ત્રણ બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. જોકે ભારતે એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ભુવનેશ્વર, 2017માં કર્યું હતું, જેમાં ભારતીય એથ્લીટોએ એ વર્ષ નવ ગોલ્ડ મેડલ સહિત 27 મેડલ હાંસલ કર્યા હતા.
મહારાષ્ટ્રમાં પ્રધાનમંડળમાં ફેરફારઃ અજિત પવારને નાણાં, આયોજન ખાતાની ફાળવણી
મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ એમના પ્રધાનમંડળમાં આજે મોટા ફેરફારો કર્યા છે. નવા નિમાયેલા નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારને નાણાં અને આયોજન, એમ બે ખાતા આપવામાં આવ્યા છે. અન્ય નવા પ્રધાન છગન ભુજબળને અન્ન અને નાગરિક પુરવઠા ખાતું સોંપવામાં આવ્યું છે. આ બંને નેતા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) છોડીને શિંદેની સરકારમાં જોડાઈ ગયા છે.
કેબિનેટ પ્રધાન અનિલ પાટીલને રાહત અને પુનર્વસન તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ખાતા, રાધાકૃષ્ણ વિખે-પાટીલને રેવેન્યૂ , અદિતી સુનિલ તટકરેને મહિલાઓ અને બાળવિકાસ ખાતું, ધનંજય મુંડેને કૃષિ, હસન મુશ્રીફને મેડિકલ શિક્ષણ, સંજય બનસોડેને સ્પોર્ટ્સ, મંગલપ્રભાત લોઢાને કૌશલ્ય વિકાસ, દીપક કેસરકરને શાળાશિક્ષણ, અબ્દુલ સત્તારને અલ્પસંખ્યક વિકાસ, ઉદય સામંતને ઉદ્યોગ, ગુલાબરાવ પાટીલને પાણીપુરવઠા, ધર્મરાવ અત્રામને ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન અને દિલીપ વળસે-પાટીલને સહકારી ખાતું ફાળવવામાં આવ્યું છે.
સીમા હૈદર વર્લ્ડ કપ જોઈને પાછી ફરશેઃ પાકિસ્તાની પ્રેમીનો દાવો
કરાચીઃ પાકિસ્તાનના કરાચી શહેરમાંથી કાયદેસર દસ્તાવેજો વગર ભારતની સરહદો ઓળંગીને ભારત આવેલી પાકિસ્તાની નાગરિક સીમા હૈદર પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈની જાસૂસ હોવાની શંકા વ્યક્ત કરાઈ હોવા છતાં ઉત્તર પ્રદેશના નોઈડામાં કેટલાક લોકો સીમાને આવકારી રહ્યાં છે. દરમિયાન, સોશિયલ મિડિયા પર એક વિડિયો વાઈરલ થયો છે. એમાં એક પાકિસ્તાની પત્રકાર અને સીમાનો પ્રેમી હોવાનો દાવો કરતો એક તરુણ વાતચીત કરતા દેખાય છે.
વિડિયોમાં પત્રકારે સવાલ પૂછતાં ઓસામા નામનો તરુણ કહે છે, ‘સીમા મારી મિત્ર હતી. બે વર્ષથી અમે બંને સંપર્કમાં હતાં. ક્રિકેટ વર્લ્ડ કપ જોવા ભારત જવું છે એવું ત્યારે વારંવાર કહેતી હતી. આવતા ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં રમાનાર વર્લ્ડ કપ સ્પર્ધા જોયા પછી સીમા પાકિસ્તાનમાં એનાં પતિ ગુલામ હૈદર સાથે સાઉદી અરેબિયા પાછી જશે.’
દરમિયાન, સોશિયલ મિડિયા પર ફરી રહેલા એક અન્ય વિડિયોમાં સીમાએ પોતાનું નામ બદલીને સીમા ઠાકુર રાખ્યું હોવાનું અને પોતાને ઠકુરાઈન કહેવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આની સામે રાજપૂત ઉત્થાન સભાએ વાંધો ઉઠાવ્યો છે. સંસ્થાના અધ્યક્ષ ઠાકૂર ધીરજસિંહે કહ્યું છે કે, ‘ઠકુરાઈન શબ્દ વાપરવાનો સીમાને કોઈ અધિકાર નથી. ઠકુરાઈન શબ્દ વાપરીને તેણે સંપૂર્ણ રાજપૂત સમાજનું અપમાન કર્યું છે.’
ઇસરોના ત્રીજા મૂન મિશન પર વિશ્વઆખાની નજર
નવી દિલ્હીઃ દેશનું ત્રીજું મૂન મિશન આશરે 40 દિવસોની યાત્રા પછી ચંદ્રમાના દક્ષિણ ધ્રુવની પાસે લેન્ડિંગ કરશે. ચંદ્ર મિશન 2019ના ચંદ્રયાન-2નું ફોલોઅપ મિશન છે. ચંદ્રયાન-2 મિશન દરમ્યાન અંતિમ ક્ષણોમાં લેન્ડર વિક્રમ પથ પર સોફ્ટ લેન્ડિંગ કરવામાં સફળ નહોતું થયું. જો આ વખતે આ મિશનમાં સફળતા મળશે તો ભારત એવી સફળતા હાંસલ કરીને અમેરિકા, ચીન અને પૂર્વ સોવિયત સંઘ જેવા દેશોની ક્લબમાં સામેલ થઈ જશે. ચંદ્રયાન-3 પર વિશ્વઆખાની નજર છે.
ચંદ્રયાન-3 લોન્ચિંગ પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને ઇસરોના વૈજ્ઞાનિકોની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું હતું કે ચંદ્રયાન-3એ ભારતની અંતરિક્ષ યાત્રામાં એક નવો અધ્યાય લખ્યો છે. એ દરેક ભારતીયના સપનાં અને મહત્ત્વાકાંક્ષાઓની ઊંચી ઉડાન ભરે છે. આ અમારા વૈજ્ઞાનિકોના અથાગ સમર્પણનું પ્રમાણ છે. હું તેમની ભાવના અને પ્રતિભાને સલામ કરું છું.
Chandrayaan-3 scripts a new chapter in India's space odyssey. It soars high, elevating the dreams and ambitions of every Indian. This momentous achievement is a testament to our scientists' relentless dedication. I salute their spirit and ingenuity! https://t.co/gko6fnOUaK
— Narendra Modi (@narendramodi) July 14, 2023
ચંદ્રયાન-3 મિશન અંગે મહત્ત્વની માહિતી
|
ચંદ્રયાન-3 મિશન કેમ ખાસ?
ચંદ્રયાન મિશન દ્વારા ઇસરો ચંદ્ર પર થતી ઘટનાઓ અને રસાયણો માલૂમ કરશે. ઇસરોએ આ મિશન 2008માં શરૂ કર્યું હતું. આ મિશન શરૂ થયા પછી 312 દિવસ પછી ચંદ્રયાનથી ઇસરોનો સંપર્ક તૂટી ગયો હતો. ઇસરોના વડાએ જણાવ્યું હતું કે ચંદ્રયાન-1એ એનું 95 ટકા કામ પૂરું કર્યું હતું. ત્યાર બાદ 2019માં ચંદ્રયાન-2 મિશન લોન્ચ કર્યું હતું. આ મિશન આંશિક રૂપે સફળ થયું હતું. જોકે આ મિશન સફળ થશે તો ભારત ચંદ્રમાના દક્ષિણી ધ્રુવ પર સફળ રૂપે ઊતરનાર પહેલો દેશ બની જશે.










