અમદાવાદ: ગુજરાતી ભાષા અને સાહિત્યના પ્રચાર, સંરક્ષણ અને વિકાસ માટે સમર્પિત પારસ ફાઉન્ડેશન દ્વારા પારસચંદ્રક પુરસ્કાર સમારોહ 2025-2026નું આયોજન કરવામાં આવ્યું. હોટલ તાજ સ્કાયલાઇન ખાતે ઉત્સાહભર્યા માહોલમાં કાર્યક્રમ યોજાયો. જેમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
પારસ ફાઉન્ડેશનના સ્થાપક પારસ પટેલે કાર્યક્રમમાં સૌને આવકારતા જણાવ્યું કે જે સમાજ પોતાના સાહિત્યકારોને સન્માન આપે છે, ઈતિહાસ એક દિવસ એ સમાજને સન્માન આપે છે. ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના અધ્યક્ષ ભાગ્યેશ જહાએ પ્રસંગોચિત ઉદબોધનમાં આ પ્રકારના ઉપક્રમની પ્રતિષ્ઠા કરી હતી.
ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે પદ્ય, ગદ્ય, અને સાહિત્ય સેવા માટે નોંધપાત્ર યોગદાન આપનાર દસ પ્રતિષ્ઠિત સાહિત્યકારોનું સન્માન આ કાર્યક્રમમાં કરવામાં આવ્યું. જેમાં શ્રેષ્ઠ સર્જક – પદ્ય, શ્રેષ્ઠ સર્જક – ગદ્ય, શ્રેષ્ઠ યુવા સર્જક – પદ્ય, શ્રેષ્ઠ યુવા સર્જક – ગદ્ય એમ અલગ-અલગ કેટેગરીમાં વિજેતા જાહેર કરવામાં આવ્યા. સાહિત્ય સેવા માટે પારસ ફાઉન્ડેશન દ્વારા પ્રત્યેક વિજેતાને રૂપિયા બે લાખની ધનરાશિ તથા પારસચંદ્રક અર્પણ કરાયા હતા.
પારસચંદ્રક પુરસ્કાર 2025
- રાજેન્દ્ર શુક્લ – શ્રેષ્ઠ સર્જક (પદ્ય)
- પદ્મશ્રી કુમારપાળ દેસાઈ – શ્રેષ્ઠ સર્જક (ગદ્ય)
- હર્ષવી પટેલ – શ્રેષ્ઠ યુવા સર્જક (પદ્ય)
- અજય સોની – શ્રેષ્ઠ યુવા સર્જક (ગદ્ય)
- હરદ્વાર ગોસ્વામી – સાહિત્ય સેવા

પારસચંદ્રક પુરસ્કાર 2026
- સંજુ વાળા – શ્રેષ્ઠ સર્જક (પદ્ય)
- મણિલાલ એચ. પટેલ – શ્રેષ્ઠ સર્જક (ગદ્ય)
- અનિલ ચાવડા – શ્રેષ્ઠ યુવા સર્જક (પદ્ય)
- મયુર ખાવડુ – શ્રેષ્ઠ યુવા સર્જક (ગદ્ય)
- હિતેન આનંદપરા – સાહિત્ય સેવા
સભાને સંબોધતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે સાહિત્યકાર એ ઝહળતા દીપક સમાન છે. જે સ્વયં પ્રકાશ ફેલાવીને સમાજને સાચી દિશા બાતાવે છે. તેમના હસ્તે જાણીતા કવિ, લેખક, ઉદ્યોગપતિ અને સમાજસેવક પારસ પટેલ રચિત ગુજરાતી વાર્તાસંગ્રહ “પારસ પટેલની વાર્તાઓ – ભાગ 1”નું વિમોચન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં પદ્મશ્રી રઘુવીર ચૌધરી, પદ્મશ્રી કુમારપાળ દેસાઈ, પદ્મશ્રી રતિલાલ બોરીસાગર તેમજ અગ્રણી કવિઓ, લેખકો, શિક્ષણવિદો અને સાહિત્યરસિકો ઉપસ્થિત રહ્યા હતા.







સામાન્ય રીતે વપરાતા પ્લાસ્ટિક કે ફ્લેક્સ બેનરોના સ્થાને આ મેગા ઇવેન્ટમાં સંપૂર્ણપણે કુદરતી સામગ્રીમાંથી બનેલું સ્ટેજ બેકડ્રોપ આકર્ષણનું કેન્દ્ર બનશે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ના ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇન આર્ટસના ત્રણ આસિસ્ટન્ટ પ્રોફેસરો – કૃતિબેન પટેલ, કિનલબેન પટેલ, માનસીબેન ચાંદિવાલા અને ૧૫ વિદ્યાર્થીઓની ટીમે રાત-દિવસ એક કરીને ૪૮ બાય ૧૪ ફૂટનું ભવ્ય હેન્ડમેડ બેકડ્રોપ તૈયાર કર્યું છે.
સુરતના ટેક્સટાઇલ હબના ગૌરવને ઉજાગર કરતા આ આર્ટવર્કમાં વાંસના માળખા પર ગુજરાતની પરંપરાગત કલાઓ જેવી કે ભાતીગળ બાંધણી, અજરખ પ્રિન્ટ, બ્લોક પ્રિન્ટ અને આભલા વર્ક (મિરર વર્ક) નો અદ્ભુત સમન્વય કરવામાં આવ્યો છે. 
શૂન્ય ટકા પ્લાસ્ટિક અને સો ટકા કુદરતી સામગ્રીથી બનેલું આ બેકડ્રોપ દેશભરમાં પ્રકૃતિ સંરક્ષણ અને સસ્ટેનેબિલિટીનો એક વિરાટ સંદેશ આપશે.
આ કોન્ફરન્સનું આયોજન એમિરેટ્સ સ્કોલર સેન્ટર ફોર રિસર્ચ એન્ડ સ્ટડીઝ (ESCRS) અને અબ્રાહમિક ફેમિલી હાઉસ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું.
UAE દ્વારા વર્ષ ૨૦૨૬ને “યર ઓફ ધ ફેમિલી” જાહેર કરાયું છે, જે અંતર્ગત આ વર્ષની થીમ “નવા માધ્યમો અને AIનો કુટુંબ અને સમાજ પર પ્રભાવ” રાખવામાં આવી હતી.
મંદિરના વડા પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ ડૉ. અબ્દુલ્લા બેલ્હૈફ અલ નુઐમી અને ડૉ. ખલીફા અલ ધાહેરીના હસ્તે આ એવોર્ડ સ્વીકાર્યો હતો.
આ પ્રસંગે તેમણે ટેક્નોલોજી અને પરિવારના સંબંધો પર એક પ્રેરણાદાયી વક્તવ્ય આપતાં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના ‘ઘર સભા’ ના સંદેશને યાદ કર્યો હતો.
આ એવોર્ડ કોવિડના સમયમાં અને વૈશ્વિક સંકટોમાં મંદિર દ્વારા કરવામાં આવેલાં ‘કેર ઈન ક્રાઈસીસ’ જેવાં રાહતકાર્યો અને હજારો સ્વયંસેવકોના સામૂહિક સમર્પણનું પ્રતિબિંબ છે.




આ ઉમદા હેતુ સાથે મલાડ પશ્ચિમ ખાતે આવેલી ઓરિસ સેરેનિટી સોસાયટીના સભ્યોએ પોતાના ઘર આંગણે અધિક મહિનાના પાવન અવસર દરમ્યાન ૧ જૂનથી ૭ જૂન સુધી શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કર્યું છે, જ્યાં શાસ્ત્રીજી શ્રી કપિલ મહારાજ પોતાની આગવી સંગીતમય શૈલીમાં શ્રાવકોને કથા રસપાન કરાવે છે.
ઓરિસ સેરેનિટી સોસાયટીમાં તાજેતરમાં વસાહતીઓ દ્વારા વસાહતમાં જ વૈષ્ણવ સંઘ શરૂ કરવામાં આવ્યો છે, જયાં વસાહતીઓ ભેગા મળીને આપણા ધાર્મિક ઉત્સવો પંરપરાગત રીતે ઉજવે છે. શ્રીમદ્ ભાગવત મહાપુરાણ ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મનો જીવંત ગ્રંથ છે.
સનાતન પરંપરા સાથેનો સેતુસંધાન

VYO દ્વારા વૈશ્વિક સ્તરે આ અભ્યાસક્રમ શીખવવાની શરૂઆત થઈ છે. વિશ્વના આઠ દેશોમાં ચાલીસ જેટલાં કેન્દ્રોમાં આ સનાતન પરંપરા પ્રેરિત અભ્યાસક્રમ દ્વારા બાળકો અને યુવાઓને મૂલ્ય શિક્ષણ સાથે સુખ અને શાંતિની સાચી પરિભાષા શીખવવામાં આવે છે. સનાતન પરંપરા અને પુષ્ટિમાર્ગના આદર્શો માત્ર ધાર્મિક જીવન પૂરતા મર્યાદિત નથી, પરંતુ વ્યક્તિને પ્રેમ, સહઅસ્તિત્વ અને માનવતાના માર્ગે આગળ વધવામાં પણ માર્ગદર્શન આપે છે. પાઠશાળામાં આ અભ્યાસક્રમ દ્વારા બાળકો અને યુવાનોને આપણા પ્રાચીન ઋષિમુનિઓના જ્ઞાન, ભારતીય સંસ્કૃતિની વૈભવી પરંપરા અને સનાતન ધર્મની વૈશ્વિક મહત્તાનો પરિચય કરાવવામાં આવશે. આપણા દેશની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક શ્રેષ્ઠતાનો ગૌરવપૂર્ણ ઇતિહાસ જાણવાથી નવી પેઢીમાં આત્મવિશ્વાસ અને ગર્વની ભાવના વિકસે તે માટે આ પાઠશાળા નિષ્ઠાપૂર્વક કાર્ય કરી રહી છે.