મહેસાણા: પાટીદારોનો ગઢ એટલે મહેસાણા. વર્તમાન રાજકીય સ્થિતિ જોઈએ તો 2009થી આ લોકસભા બેઠક પર સતત ભાજપનો દબદબો છે. 1984થી 1996 સુધી ભાજપે સતત જીત મેળવી હતી. જો કે 1999 અને 2004ની ચૂંટણીમાં કોંગ્રેસને મહેસાણાએ તક આપી હતી. ગુજરાતની રાજનીતિ માટે ટેસ્ટ લેબ કહેવાતી આ બેઠક પર વર્ષોથી પાટીદાર સાંસદ જ રહ્યા છે. જેથી આ બેઠક માટે પાટીદાર મતો નિર્ણાયક છે.
ઉમેદવાર
ભાજપ: હરિભાઈ પટેલ
હરિભાઇ પટેલ નિવૃત્ત શિક્ષક છે અને હાલમાં તેઓ મહેસાણા જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ છે. ફાઈન આર્ટસ કોલેજના પ્રિન્સિપાલ રહી ચૂક્યા છે. 2019માં નિવૃત્ત થયા બાદ સંપૂર્ણ સક્રિયતાથી રાજકારણમાં નજર આવી રહ્યા છે.
કોંગ્રેસ: રામજી ઠાકોર
પાટીદારોનો ગઢ ગણાતી મહેસાણા બેઠક પર કોંગ્રેસે 26 વર્ષ બાદ કોઈ ઠાકોર ઉમેદવારને તક આપી છે. રામજીભાઈ મહેસાણાના તરેટી ગામના વતની છે. છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે અને વર્ષ 2017માં ખેરાલુ વિધાનસભા બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો હતો. 
PROFILE
- મહેસાણા લોકસભા બેઠકમાં 7 વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. ઊંઝા, વિસનગર, બેચરાજી, કડી(SC), મહેસાણા, વિજાપુર, માણસા
- 2019માં યોજાયેલી 17મી લોકસભા ચૂંટણીમાં ભાજપના શારદાબહેન પટેલ આ બેઠક પરથી વિજેતા બન્યા હતા. તેમણે કૉંગ્રેસના દિગ્ગજ નેતા એ. જે. પટેલને 2,81,519 મતોથી હરાવ્યા હતા.

- મતદારોની સંખ્યા
કુલ મતદારો 17,60,766
પુરુષ મતદાર 9,07,713
સ્ત્રી મતદાર 8,52,996
- વિધાનસભા બેઠકોની સ્થિતિ
| બેઠક | પક્ષ | વિજેતા | વોટ | લીડ |
| વિસનગર | ભાજપ | ઋષિકેશ પટેલ | 88,356 | 34,405 |
| બેચરાજી | ભાજપ | સુખાજી ઠાકોર | 69,872 | 11,286 |
| કડી(SC) | ભાજપ | કરશનભાઈ સોલંકી | 1,07,052 | 28,194 |
| મહેસાણા | ભાજપ | મુકેશ પટેલ | 98,816 | 45,794 |
| વિજાપુર | કોંગ્રેસ | સી. જે. ચાવડા | 78,749 | 7,053 |
| માણસા | ભાજપ | જયંતિભાઈ પટેલ | 98,144 | 39,266 |
| ઊંઝા | ભાજપ | કિરીટ પટેલ | 88,561 | 51,468 |

મહેસાણા બેઠકની વિશેષતા
- 1984માં ભાજપનો માત્ર બે બેઠક ઉપર વિજય થયો હતો, જેમાં મહેસાણા પણ સમાવિષ્ટ હતી. આમ મહેસાણા બેઠક પરથઈ ભાજપનો ઉદય થયો કહેવાય. ભાજપના એ. કે. પટેલ આ બેઠક પરથી જીત્યા હતા.
- દૂધસાગર ડેરી સાથે સંકળાયેલા પશુપાલક આ બેઠક ઉપર નિર્ણાયક ભૂમિકા ભજવે છે.
- જાતિગત સમીકરણ પર એક નજર કરીએ તો, 6 % પાટીદાર 15.8 % ઠાકોર 12.9 % સવર્ણો 2.3 % ક્ષત્રિય 3.4 % ચૌધરી 5.6 % મુસ્લિમ 11.7 % દલિત વસ્તી છે.






GSLમાં વિજેતા ટીમને રૂ. 11 લાખનું ઇનામ આપવામાં આવશે. જ્યારે રનર્સ અપ રહેનારી ટીમને રૂ. 5 લાખનું ઇનામ મળશે. આ સાથે જ, સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કરાનારા ખેલાડીઓને જુદી-જુદી આઠ કેટેગરીમાં રૂ. 25,000નું ઇનામ આપવામાં આવશે, તેમજ દરેક મેચના પ્લેયર ઑફ ધ મેચને રૂ. 5,000નું ઇનામ આપવામાં આવશે. ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે પ્રેક્ટિસથી શરૂ કરીને ફાઇનલ મેચ સુધી દરેક દિવસનું રૂ. 1500-2000 સુધીનું દૈનિક ભથ્થું આપવામાં આવશે. GSFAના ઓનરરી જનરલ સેક્રેટરી મૂળરાજસિંહ ચુડાસમાએ ટ્રોફી અનાવરણની વિધિનું સંચાલન કર્યું હતું. આ પ્રસંગે GSFAના હોદ્દેદારો તથા એક્ઝિક્યુટિવ કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માને જ્યારે પૂછવામાં આવ્યું હતું કે T20 વર્લ્ડ કપ માટે કયા વિકેટકીપરને તક મળશે? એ સવાલના જવાબમાં શર્માએ કહ્યું હતું કે ધોનીને મનાવવો મુશ્કેલ હશે. તે અમેરિકા આવી રહ્યો છે, પરંતુ ક્રિકેટ નહીં, પણ ગોલ્ફ રમવા. ત્યાર બાદ સોશિયલ મિડિયા પર રોહિત શર્માનું નિવેદન ખૂબ વાઇરલ થયું હતું.
મધ્યમ વર્ગે સ્વાર્થી ન બનવું જોઈએ









કર્ણાટક સરકારના નિયંત્રણાધીન નોકરીઓ અને શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશમાં અનામત માટે કર્ણાટકના બધી મુસ્લિમ ધર્માવલંબીઓને OBCની રાજ્યની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે, એમ NCBCના અધ્યક્ષ હંસરાજ ગંગારામ આહીરે જણાવ્યું હતું. કર્ણાટક સરકારના પછાત વર્ગ કલ્યાણ વિભાગે રાષ્ટ્રીય પછાત વર્ગ પંચને લિખિત રૂપે જાણ કરી હતી કે મુસ્લિમ અને ખ્રિસ્તી જેવા સમાજ ના તો જાતિ છે અને ના તો ધર્મ. કર્ણાટકમાં મુસ્લિમ વસતિ 12.92 ટકા છે. રાજ્યમાં મુસ્લિમોને ધાર્મિક અલ્પસંખ્યક માનવામાં આવે છે. વર્ષ 2011ની જન ગણતરી મુજબ રાજ્યમાં મુસ્લિમોની જનસંખ્યા 12.32 ટકા છે.