Home Blog Page 1871

દાહોદ: આદિવાસીઓના કોને આર્શીવાદ?

દાહોદ: આ લોકસભા બેઠક અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે અનામત છે. દાહોદ ગુજરાતના ઉગતા સૂર્યના પ્રદેશ તરીકે ઓળખાય છે. રાજ્યમાં સૌ પ્રથમ સૂર્ય કિરણ દાહોદમાં પડે છે. દાહોદ એ મોગલ બાદશાહ અકબરના જન્મસ્થાન તરીકે પણ ઓળખાય છે. આ પર્વતીય વિસ્તાર અખૂટ માત્રામાં કુદરતી સંપદાથી સંપન્ન છે. તેમ છતાં વિકાસમાં પાછળ રહી ગયો છે. આ લોકસભા વિસ્તારમાં સાક્ષરતા દર 49.2%નો છે. બેઠકના 75% મતદારો આદિવાસી છે. જ્યારે 91% મતદારો ગ્રામીણ વિસ્તારના છે, જેના કારણે ચૂંટણી દરમિયાન ગ્રામીણ પ્રશ્નો ચર્ચામાં રહે છે.

ઉમેદવાર

ભાજપ: જસવંતસિંહ ભાભોર

વ્યવસાયે સામાજિક સેવક અને ખેડૂત જસવંતસિંહ ભાભોર B.A., B.Ed. થયેલા છે. તેઓ લીમખેડા તાલુકાના દાસા ગામના રહેવાસી છે. 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં દાહોદ બેઠક પરથી જીત્યા છે. 2014માં મોદી સરકારમાં તેમને કેન્દ્રિય કેબિનેટમાં આદિજાતિ વિભાગના રાજ્યમંત્રીનો કાર્યભાર સંભાળ્યો હતો. આ પહેલાં તેઓ પાંચ ટર્મ સુધી ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે અને આ દરમિયાન તેમણે ગુજરાત સરકારમાં મંત્રી તરીકે અનેક ખાતાઓ પણ સંભાળ્યા છે.

કોંગ્રેસ: ડૉ. પ્રભા તાવિયાડ

પ્રભા તાવિયાડ મૂળ સાબરકાંઠાના ધંધાસણા ગામના વતની છે અને વ્યવસાયે ડોક્ટર છે. તેમણે અમદાવાદની બી.જે મેડિકલ કોલેજ ખાતેથી M.D DGOની ડિગ્રી પ્રાપ્ત કરેલ છે. તેમના પતિ કિશોર તાવિયાડ પણ દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે. દાહોદ અને પંચમહાલ જિલ્લાની કાર્યકારી કોંગ્રેસ સમિતિના સભ્ય રહી ચૂક્યા છે. અખિલ ભારતીય મહિલા કોંગ્રેસના ઉપાધ્યક્ષ હતા. 2009માં દાહોદ બેઠક પરથી લોકસભા ચૂંટણી જીતીને સાંસદ બન્યા હતા.

PROFILE

  • દાહોદ લોકસભા બેઠકમાં 7 વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. જેમાં સંતરામપુર, ફતેહપુરા, ઝાલોદ, લીમખેડા, દાહોદ, ગરબાડા અને દેવગઢબારિયા વિધાનસભાનો સમાવેશ થાય છે.
  • 2019માં યોજાયેલી 17મી લોકસભા ચૂંટણીમાં ભાજપના જસવંતસિંહ ભાભોર આ બેઠક પરથી વિજેતા બન્યા હતા. તેઓ 1,27,596 વોટની લીડથી જીત્યા હતા.

 

  • મતદારોની સંખ્યા

કુલ મતદારો    18,64,891

પુરુષ મતદાર   9,23,318

સ્ત્રી મતદાર     9,41,540

  • વિધાનસભા બેઠકોની સ્થિતિ
બેઠક પક્ષ વિજેતા વોટ લીડ
સંતરામપુર(ST) ભાજપ કુબેર ડિંડોર 49,664 15,577
ફતેહપુરા(ST) ભાજપ રમેશભાઈ કટારા 59,581 19,531
ઝાલોદ(ST) ભાજપ મહેશભાઈ ભુરિયા 82,745 35,222
લીમખેડા(ST) ભાજપ શૈલેશ ભાભોર 69,417 3,663
દાહોદ(ST) ભાજપ કનૈયાલાલ કિશોરી 72,660 29,350
ગરબાડા(ST) ભાજપ મહેન્દ્રભાઈ ભાભોર 62,427 27,825
દેવગઢબારિયા ભાજપ બચુભાઈ ખાબડ 1,13,527 44,201

દાહોદ બેઠકની વિશેષતા

  • 1952ની દેશની પ્રથમ ચૂંટણીમાં બેઠકનું નામ દાહોદ-પંચમહાલ કમ બરોડા ઇસ્ટ હતું. જે દાહોદ-પંચમહાલ જિલ્લાની સયુંક્ત લોકસભા બેઠક હતી.
  • 1957માં દાહોદ લોકસભા બેઠક અસ્તિત્વમાં આવી.
  • 1962 અને 1967માં દાહોદ બેઠક અનુસૂચિત જાતિ (SC) ઉમેદવાર માટે અનામત બેઠકમાં રૂપાંતરિત થઈ હતી.
  • 1967માં દાહોદ બેઠક પુનઃ અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે અનામત બની, જે આજ સુધી યથાવત રહી છે.
  • 1957માં નવી રચાયેલી દાહોદ બેઠક પર કોંગ્રેસના જાલજીભાઈ ડિંડોર વિજયી બન્યા હતા.
  • સ્વતંત્ર ગુજરાતની 1962ની પહેલી ચૂંટણીમાં સ્વતંત્ર પક્ષના હીરાભાઈ બારિયા જીત્યા હતા.
  • આદિવાસી વિસ્તાર તરીકે જાણીતા દાહોદ જિલ્લો 2 ઓક્ટોબર – 1997ના રોજ અસ્તિત્વમાં આવ્યો.
  • કોંગ્રેસના સોમજી પુંજાભાઈ ડામોરનું સતત સાત લોકસભા ચૂંટણી જીતી વિક્રમ બનાવ્યો છે.
  • 2009માં કોંગ્રેસના મહિલા ઉમેદવાર ડૉ. પ્રભાબહેન તાવિયાડે ભાજપથી સતત ત્રીજી ચૂંટણી લડતા સોમજી ડામોરને 536 મતે હરાવી સૌને અચરજમાં મૂકી દીધા હતા.
  • દાહોદ બેઠકમાં પુરુષ કરતાં મહિલા મતદારોનું પ્રમાણ વધુ છે.

TMKOC: દિલીપ જોષી પહેલા આ પાંચ અભિનેતાઓને ‘જેઠાલાલ’ના રોલની મળી હતી ઓફર

મુંબઈ: લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા ઘણા સમયથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોનું દરેક પાત્ર પોતાનામાં ખાસ છે. દિલીપ જોષીએ જેઠાલાલના પાત્રને જીવંત કર્યું છે. પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે દિલીપ જોશી જેઠાલાલ માટે પહેલી પસંદ ન હતા. તેમની પહેલા આ ભૂમિકા 5 કલાકારોને ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેઓએ કોઈને કોઈ કારણસર ના પાડી દીધી હતી.

રાજપાલ યાદવ


પોતાની કોમેડીથી લોકોને પેટ પકડીને હસાવનારા રાજપાલ યાદવને જેઠાલાલ બનવાનો મોકો મળ્યો હતો. પરંતુ તેમણે પોતાના અન્ય પ્રોજેક્ટને કારણે ઓફર ઠુકરાવી દીધી. તે ફક્ત તેના બોલિવૂડ કરિયર પર ફોકસ કરવા માંગતા હતા.

કીકુ શારદા

‘ધ કપિલ શર્મા શો’માં જોવા મળેલા કીકુ શારદાને પણ ‘જેઠાલાલ’નો રોલ ઑફર કરવામાં આવ્યો હતો. તે પણ કપિલ શર્માના શોમાં વ્યસ્ત હતા તેથી તેમણે આ ઓફરનો અસ્વીકાર કર્યો હતો.

યોગેશ ત્રિપાઠી

‘ભાબીજી ઘર પર હૈ’ અને ‘હપ્પુ કી ઉલ્તાન પલટન’માં જોવા મળેલા યોગેશ ત્રિપાઠીને ‘જેઠાલાલ’ માટે અપ્રોચ કરવામાં આવ્યો હતો, પરંતુ તે એક સાથે અનેક પ્રોજેક્ટ્સમાં કામ કરવા માંગતા ન હતા. એટલા માટે તેણે મેકર્સને ના પાડી હતી.

અહસાન કુરેશી

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતાઓએ સ્ટેન્ડઅપ કોમેડિયન અહસાન કુરેશીનો પણ સંપર્ક કર્યો હતો, પરંતુ તેણે ‘જેઠાલાલ’ની ભૂમિકા ભજવવાની ના પાડી દીધી હતી.

અલી અસગર

 

કપિલ શર્માની ઓનસ્ક્રીન દાદી એટલે કે અલી અસગરને પણ જેઠાલાલનો રોલ ઓફર કરવામાં આવ્યો હતો. તેની પાસે પહેલેથી જ ઘણી વ્યાવસાયિક પ્રતિબદ્ધતાઓ હતી, જેના કારણે તેણે આ ભૂમિકાને ભજવવાની ના પાડી હતી.

Nutshell in 99

લાફ્ટર ક્વીન ભારતી સિંહ હોસ્પિટલમાં દાખલ, જાણો અચાનક શું થયું?

મુંબઈ: ટેલિવિઝનની લાફ્ટર ક્વીન ભારતી સિંહને આજે કોણ નથી જાણતું? ભારતીએ જમીનથી આકાશ તરફ જવાની સફરને ઘણી મુશ્કેલીઓ સાથે ખેડી છે. પોતાની પ્રોફેશનલ લાઈફ સિવાય ભારતી પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં હોય છે. કોમેડિયન પણ તેના ચાહકો સાથે તેના દૈનિક વ્લોગ્સ શેર કરે છે. હવે તાજેતરમાં જ ભારતીએ એક વ્લોગ દ્વારા ખુલાસો કર્યો છે કે તેને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું.

ભારતીના યુટ્યુબ હેન્ડલ પર ઘણા ફોલોઅર્સ છે, જેમાં તે અવારનવાર તેના પતિ હર્ષ લિમ્બાચીયા સાથે તેના રોજિંદા વીડિયો શેર કરે છે. જોકે, તેના નવા વિડિયોએ તેના ચાહકોને ચિંતામાં મૂકી દીધા કારણ કે ભારતીએ શેર કરેલા વીડિયોમાં તે હોસ્પિટલના રૂમમાં જોવા મળી હી છે અને તેના હાથ પર IV ડ્રિપ હતો.

વ્લોગમાં, ભારતીએ ખુલાસો કર્યો કે તે છેલ્લા કેટલાક દિવસોથી પેટમાં તીવ્ર દુખાવાથી પીડાઈ રહી હતી, પરંતુ તેણે તેને એસિડિટી ગણાવીને નજરઅંદાજ કર્યુ હતું. જો કે, જ્યારે તેણીનો દુખાવો અસહ્ય બન્યો ત્યારે તેણી ડૉક્ટર પાસે ગઈ અને તેને ખબર પડી કે તેણીના પિત્તાશયમાં પથરી છે. તેણે કહ્યું કે હવે તે આ સમસ્યાને દૂર કરવા માટે ઓપરેશન કરાવશે. આ સમાચાર સાંભળીને ભારતીના ચાહકો ખૂબ જ ચિંતિત થઈ ગયા છે અને તેના સારા સ્વાસ્થ્યની કામના કરી રહ્યા છે.

વ્લોગના અંતે ભારતી તેના ચાહકોને કહેતી જોવા મળી હતી કે તે તેના બે વર્ષના પુત્ર ગોલાને કેટલી મિસ કરે છે અને તે તેના ઘરે પરત જવા માંગે છે. આ પછી તે કેમેરા પર રડી પડી અને કહ્યું કે જ્યારથી તેનો દીકરો જન્મ્યો છે ત્યારથી તેણે તેને ક્યારેય રાત્રે એકલો છોડ્યો નથી.

હાસ્ય કલાકારે વધુમાં ઉમેર્યું, “તે મારા રૂમમાં આવે છે અને હું ભગવાનને પ્રાર્થના કરું છું કે કોઈ પણ માતાને તેના બાળકથી દૂર ન રહેવું જોઈએ અને હું તેની પાસે પાછો જવા માંગી છું.”

કોંગ્રેસ ઉમેદવાર પણ વિવાદના વંટોળમાં, જીભ લપસી તો પણ ક્ષત્રિયો માટે જ!..

રાજકોટ: લોકસભા ચૂંટણી નજીક આવતાની સાથે રાજકોટના રાજકારણનો પારો ઉપર ચડી રહ્યો છે. ચૂંટણી પ્રચારને લઈ નેતાઓ એક બીજ પર વાણી વિલાસ કરતા હોય છે. ત્યારે નેતાઓની જીભ લપસી હોવાના ઘણા કિસ્સા સામે આવતા હોય છે. જેમાં રાજકોટ નેતાઓના વાણી વિલાસની ચર્ચામાં રહેતી બેઠક બની ચૂકી છે. જ્યાં શરૂઆત ભાજપ ઉમેદવારથી થતી. રાજકોટ ભાજપ ઉમેદવાર બાદ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બાદ હવે રાજકોટ બેઠકના કોંગ્રેસ ઉમેદવાદના વાણી વિલાસ પર વિવાદના વંટોળ ઊભા થયા છે.

રાજકોટનાં કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી છે. જેમાં થોડા સમય પહેલા ક્ષત્રિયો અને પટેલોને હરખપદુડા કહેવા બદલ ભાજપે ફરિયાદ કરી હતી. કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીનો વીડિયો વાયરલ થયો હતો. ચૂંટણી વિભાગનાં રિટર્નિગ ઓફીસરે આ સમગ્ર બાબતે તપાસ શરૂ કરી છે.

પરેશ ધાનાણીનું નિવેદન

રાજકોટ લોકસભાનાં ઉમેદવાર પરેશ ધાનાણીએ કોંગ્રેસની સભામાં બોલ્યા કે “1995માં આપણે 18 વર્ણ એક થઇ ભ્રષ્ટાચાર નાબુદ કરવા ભાજપનું બી વાવ્યું. બધાયે લોહી પરસેવાના ટીપે સિંચીને વટવૃક્ષ બનાવ્યું. અને એમાં અમે પટેલીયાઓ અને બાપુ બેય હરખપદુડા. ભાજપના બીને દરરોજ ઉઠીને 10 ડોલ પાણી પાયું. કે આ જલ્દી ઝાડ મોટું થાય અને ભરઉનાળે છાંયો મળશે. 2015માં અમારે અખતરો કરવાનો થયો ને ત્યારે ખબર પડી કે વાંહા ફાટી ગ્યા. આ જ ભાજપના નેતાઓ, એની સરકાર, એની સૂચનાથી, એની પોલીસે અમારી મા, બેન, દીકરીઓને મારી મારીને લોટ બાંધી દીધો. એના શીયળની લાજ બચાવવા માટે બોર-બોર જેવડા આંસુ પડે..એના આંસુડા એના અહંકારને ઓગાળી ન શક્યા…હું તે દિવસે કહેતો હતો વારા ફરતી વારો અને મેં પછી ગારો. કોઇ બાકી રહ્યું છે ખરા?” નિવેદના બાદ ક્ષત્રિય સમાજ અને પટેલ સમાજમાં રોષનો માહોલ જોવા મળ્યો.

રાજકોટ બેઠક અવર નવાર નેતાઓના વાણી વિલાસથી ચર્ચીત રહ્યું છે ત્યારે રાજકોટ બેઠક પરના આચાર સંહિતાના ભંગ સામે નોંધાયેલી ફરિયાદની વાત કરીએ તો, રાજકોટમાં આચારસંહિતાના ભંગની કુલ 305 ફરિયાદ કરવામાં આવી છે. જેમાં સૌથી વધુ રાજકોટ પશ્ચિમ વિધાનસભામાં 132 ફરિયાદ નોંધાય છે.

બધા પાસાઓ પર પાકિસ્તાનનો ટ્રેક રેકોર્ડ સૌથી વધુ સંદિગ્ધઃ ભારત

નવી દિલ્હીઃ ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ઇસ્લામાબાદના એમ્બેસેડર દ્વારા કરવામાં આવેલી વિનાશકારી અને હાનિકારક ટિપ્પણીની ટીકા કરતાં કહ્યું હતું કે પાકિસ્તાનના બધા પાસામાં સૌથી સંદિગ્ધ ટ્રેક રેકોર્ડ છે. આ સભામાં બોલતાં ભારતનાં સ્થાયી પ્રતિનિધિ- રાજદૂત રુચિરા કમ્બોજે કહ્યું હતું કે અમે આ પડકારજનક સમયની વચ્ચે શાંતિની સંસ્કૃતિ વિકસિત કરવાના પ્રયાસ કરી રહ્યા છે. અમારું ધ્યાન રચનાત્મક વાતચીત પર સ્થિર રહે છે. અમે એ પ્રતિનિધિ મંડળને સન્માન અને કૂટનીતિના કેન્દ્રીય સિદ્ધાંતોની સાથે જોડવા માટે પ્રોત્સાહિત કરીશું, જેમણે હમેશાં અમારી ચર્ચાનું માર્ગદર્શન કરવું જોઈએ.શું એ દેશની પાસે પૂછવા માટે વધુ બાબતો છે, જે પોતાનો સંદિગ્ધ ટ્રેક રેકોર્ડ રાખવા ઇચ્છે છે.

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સંબોધન કરતાં પાકિસ્તાનના સંયુક્ત રાષ્ટ્રદૂત મુનીર અકરમ દ્વારા કાશ્મીર, નાગરિકતા (સંશોધન) અધિનિયમ (CAA) અને અયોધ્યામાં રામ મંદિર સંદર્ભે ભારતની વિરુદ્ધ લાંબી ટિપ્પણી કર્યા બાદ UNમાં ભારતનાં સ્થાયી પ્રતિનિધિ રુચિરા કમ્બોજે આકરી પ્રતિક્રિયા આપી હતી.

UNમાં ભારતીય પ્રતિનિધિએ કહ્યું હતું કે આતંકવાદ, શાંતિની સંસ્કૃતિ અને બધા ધર્મોની મૂળ શિક્ષાના સીધા વિરોધમાં છે. એ કલહ ફેલાવે છે. દુશ્મની પેદા કરે અને સદભાવનાં મૂલ્યોને નબળાં બનાવે છે.

તેમણે કહ્યું હતું વિશ્વ ભૂરાજકીય તણાવ અને અસમાન વિકાસથી મહત્ત્વના પડકારોનો સામનો કરી રહ્યું છે. ચર્ચો, મઠો, મસ્જિદો, મંદિરો અને આરાધનાલયો સહિત પવિત્ર સ્થળો પર વધતા હુમલાથી અમે વિશેષ ચિંતિત છીએ.આવાં કૃત્યો માટે વૈશ્વિક સમાજે ત્વરિત અને એકજુટ પ્રતિક્રિયાની જરૂર છે.

ભારતમાં ના માત્ર હિન્દુ ધર્મ, બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ અને શીખ ધર્મનું જન્મસ્થાન છે, બલકે ઇસ્લામ, યહૂદી ધર્મ, ખ્રિસ્તી ધર્મ, અને પારસી ધર્મનો ગઢ પણ છે, એમ તેમણે કહ્યું હતું.

 

 

 

 

 

 

 

મહેંદીના માધ્યમથી મતદાન જાગૃતિની મહેંક 

સુરત: લોકસભા ચૂંટણીમાં ત્રીજા તબક્કાનું મતદાન 7મી મેના રોજ યોજાશે. જેમાં ગુજરાતની 25 સીટો પર મતદાન કરવામાં આવશે. ત્યારે ઠેર ઠેર લોકો મતદાન જાગૃતિ માટે નવતલ પ્રયોગ કરતા હોય છે. ત્યારે સુરતમાં મતદાન જાગૃતિ માટે સામૂહિક મહેંદી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

તા.7મી મેના રોજ યોજાનારી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મતદારોની ભાગીદારી વધારવા સુરત જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ. સૌરભ પારધીના નેતૃત્વ હેઠળ મતદાન જાગૃત્તિના વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જે અંતર્ગત સુરત જિલ્લા પંચાયત, આરોગ્ય વિભાગ અને આઇ.સી.ડી.એસ. વિભાગ દ્વારા સંયુક્ત રીતે મતદાન દિવસે જિલ્લા આરોગ્ય અધિકારીઓ ડૉ. અનિલ પટેલના માર્ગદર્શન હેઠળ સુરત જિલ્લાના કુલ 28 આરોગ્ય સબ સેન્ટરો ખાતે “સામૂહિક મહેંદી કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ, આંગણવાડી કાર્યકરો અને આશા બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અને મહેંદી વડે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં મતદાન જાગૃતિના વિવિધ સૂત્રો લખાવી વધુમાં વધુ મતદારોને મતદાન કરવાનો અનેરો સંદેશ આપ્યો હતો.

પ્રતીક ગાંધીની ‘ગાંધી’ સીરિઝમાં આ હોલીવૂડ સ્ટાર્સ પણ મળશે જોવા

મુંબઈ: હંસલ મહેતાની પ્રતીક ગાંધી સ્ટારર ‘ગાંધી’ સીરિઝની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. આ દરમિયાન હંસલ મહેતાએ એક જાહેરાત કરી છે, જે સાંભળીને દર્શકોનો ઉત્સાહ બેગણો થઈ જશે. ‘ગાંધી’ સીરિઝમાં એન્ટ્રી થઈ રહી છે હોલીવૂડના નામી કલાકારોની. હા, પ્રતીક ગાંધીની સીરિઝમાં હેરી પોટર ફેમ ટોમ ફેલ્ટન જોવા મળશે. આ સાથે જ લિબી મે, મોલી રાઈટ, રાલ્ફ અડેની, જેમ્સ મુરે, લિન્ડન એલેક્ઝાન્ડર, જોનો ડેવિસ, સિમોન લેનન સહિતના સ્ટાર્સ પણ કામ કરશે. પ્રતીક ગાંધી ગાંધીજીના પાત્રમાં તો કસ્તુરબાના પાત્રમાં તેમની પત્ની ભામિની ઓઝા જોવા મળશે.

(તસવીર: હંસલ મહેતા ઈન્સ્ટાગ્રામ)

હંસલ મહેતાઓ કહ્યું આવું

એપ્લોઝ એન્ટરટેઈનમેન્ટની મોસ્ટ અવેઈટેડ સીરિઝ ‘ગાંધી’, જેનું નિર્દેશન હંસલ મહેતા દ્વારા કરવામાં આવી રહ્યું છે, તેનું શૂટિંગ ઘણા રસપ્રદ સ્થળોએ થઈ રહ્યું છે, જે એક પાવરફુલ પીરિયડ ડ્રામા હશે. આજે નિર્માતાઓએ જાણીતા આંતરરાષ્ટ્રીય કલાકારોના નામ જાહેર કર્યા છે જેઓ આ સીરિઝને વધુ સફળ બનાવવા માટે જોડાશે.આ સિરીઝમાં ટોમ ફેલ્ટન જોવા મળશે જે પ્રખ્યાત પ્રોજેક્ટ ‘હેરી પોટર’માં જોવા મળ્યો હતો. ફેલ્ટનની સાથે આ સિરીઝમાં પ્રતિક ગાંધી લીડ રોલમાં છે. ભામિની ઓજા કસ્તુરબા ગાંધીની ભૂમિકા ભજવશે.

 

View this post on Instagram

 

A post shared by Hansal Mehta (@hansalmehta)

દિગ્દર્શક હંસલ મહેતાએ કહ્યું, ‘અસાધારણ પ્રતિભાશાળી કલાકારો સાથે કામ કરવું એ એક વિશેષાધિકાર છે. સીરિઝમાં પ્રતિભાશાળી ઈન્ટરનેશનલ કલાકારોનું સામેલ થવું વધુ રોમાંચક છે કારણ કે અમે આ શ્રેણીને વિશ્વભરના પ્રેક્ષકો સુધી ખૂબ જ પ્રેમ અને મહેનત સાથે લઈ જવા માટે આતુર છીએ. મોહનદાસ કરમચંદ ગાંધીની વાર્તા,ખાસ કરીને લંડન અને દક્ષિણ આફ્રિકામાં વિતાવેલા તેમના વધુ રચનાત્મક વર્ષો, એક એવા યુવાનની અસ્પૃશ્ય પરંતુ શક્તિશાળી વાર્તા જે સ્વ-શોધની સફર પર નીકળે છે, તે જાણતા નથી કે તેની શું અસર થાય છે. શું તે ઇતિહાસ અને આપણી સામૂહિક ચેતના પર હશે? આ વાર્તાને જીવંત કરવાની તક મળી તે માટે હું ખરેખર ગૌરવ અનુભવું છું.’

ટોમ ફેલ્ટન શું કહે છે?

એક અહેવાલ અનુસાર ટોમ ફેલ્ટન જણાવે છે કે ‘લંડનમાં ગાંધીજીના શરૂઆતના વર્ષોની વાર્તા કહેવાની યાત્રાનો ભાગ બનવા માટે હું ઉત્સાહિત છું. આ ઈતિહાસનું એક મહત્વનું પાસું છે જે પહેલા પડદા પર કહેવામાં આવ્યું નથી અને હંસલ મહેતા અને પ્રતીક સાથે કામ કરવું સન્માન અને આનંદની વાત છે.

સીરિઝની વાર્તા ખાસ હશે

અહીં નોંધનીય છે કે પહેલીવાર હોલીવુડના ઘણા પ્રખ્યાત સ્ટાર્સ વેબ સીરીઝમાં જોવા મળશે. આટલું જ નહીં વેબ સિરીઝમાં બોલિવૂડ સ્ટાર્સનું દમદાર કામ પણ જોવા મળશે. આ વેબ સિરીઝ તમને આઝાદી પહેલાની સફર પર લઈ જશે. આ વેબ સિરીઝમાં મહાત્મા ગાંધીના શરૂઆતના વર્ષોની વાર્તા પણ જોવા મળશે. તમને યાદ અપાવી દઈએ કે હંસલ મહેતા અને પ્રતીક ગાંધી આ પહેલા ‘સ્કેમ 1992’ કરી ચૂક્યા છે.

રાહુલ માટે સોનિયા ગાંધી ફરી બન્યાં સહારો

નવી દિલ્હીઃ કોંગ્રેસે અમેઠીથી કિશોરી લાલ શર્માને અને રાયબરેલીથી રાહુલ ગાંધીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. રાહુલ ગાંધી કેરળના વાયનાડથી પણ ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે કેએલ શર્મા ગાંધી પરિવારની નજીકની વ્યક્તિ છે. તેઓ સોનિયા ગાંધીના સાંસદ પ્રતિનિધિ છે. રાહુલ ગાંધી 12.15 કલાકે નામાંકન ભરશે. અમેઠી અને રાયબરેલીમાં પાંચમા તબક્કામાં 20 મેએ મતદાન થશે.

રાહુલ ગાંધી માટે રાયબરેલીની સીટ કોઈ સુરક્ષા કવચથી ઓછી નથી. આજથી 20 વર્ષ પહેલાં 2004માં સોનિયા ગાંધીએ અમેઠીની સીટ રાહુલ ગાંધી માટે છોડી હતી, કેમ કે તેઓ રાજકારણમાં રાહુલ ગાંઘીને લોન્ચ કરવા માગતા હતા. તેમણે અમેઠીની સીટ રાહુલ માટે કુરબાન કરી દીધી હતી. એ સુરક્ષિત સીટ પુત્રને સોંપી દીધી હતી.

હવે રાહુલની અમેઠીથી થયેલી પહેલી જીત એક તરફ સોનિયા ગાંધીની કેટલાંય વર્ષોની મહેનતનું પરિણામ હતું. હવે ફરી એક વાર 20 વર્ષ પછી સોનિયાએ રાયબરેલી સીટ છોડી દીધી છે. તેમણે અહીંથી રાહુલ ગાંધીને આગળ કર્યા છે. અહીં લોકપ્રિય સોનિયા જ છે, પણ સીધી મદદ રાહુલની થવાની છે. રાયબરેલીમાં હજી પણ એક મોટો વર્ગ ગાંધી પરિવારની સાથે મજબૂતીથી ઊભો છે.

કિશોરી લાલ શર્મા કોણ છે?

અમેઠીથી કોંગ્રેસના ઉમેદવાર કિશોરી લાલ શર્મા પંજાબના મૂળ રહેવાસી છે. તેઓ ચાર દાયકાથી અમેઠી અને રાયબરેલીમાં સોનિયા ગાંધીના સાંસદ પ્રતિનિધિના રૂપે કામ કરતા આવ્યા છે. આ બે જિલ્લાઓમાં તેમને એકેએક ગલી માલૂમ છે. રાજીવ ગાંધીના વખતથી તેમને પ્રચાર પ્રસારનું કામ કરવા UPમાં મોકલવામાં આવ્યા હતા.

 

 

 

 

 

 

કોંગ્રેસ નેતા ભૂલ્યા ભાન, જાણો શું નિવેદન આપ્યું..

લોકસભા ચૂંટણીને ચાર દિવસ બાકી છે. તમામ પાર્ટીઓ ચૂંટણી પ્રચાર તેજી કર્યો છે. ફરી એક વખત ચૂંટણી ઢંઢેરામાં રાજકોટના નેતા ભાન ભૂલ્યા છે. જ્યાં એક બાજુ રાજકોટના ભાજપ ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના નિવેદનથી રાજોકટ રાજકારણમાં ગરમાયેલો છે. ત્યારે ચૂંટણી પ્રચાર વખતે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યની જીભ લપસી હતી. ઈન્દ્રનીલ રાજ્યગરુએ રાહુલ ગાંધીની રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી સાથે સરખામણી કરીને તેમજ અપમાનજનક નિવેદન આપ્યું છે.

રાજકોટ બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીની પ્રચાર સભા હેદર ચોકમાં યોજાઈ હતી. આ દરમિયાન ઈન્દ્રનીલ રાજ્યગુરુએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી પર અપમાનજનક નિવેદન આપ્યું હતું.  પૂર્વ ધારાસભ્યના નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતો. રાજ્યગુરુએ મંચ પરથી બોલ્યા હતા કે ‘આવતા દિવસોમાં મારા શબ્દો લખવા હોય તો લખી લેજો, આ દેશમાં બીજો ગાંધી પાકશે તો એ રાહુલ ગાંધી હશે.’ પૂર્વ ધારાસભ્યએ ધુમાં કહ્યું હતું કે ‘રાહુલ ગાંધી તો સંપુર્ણપણે નિખાલસ અને સાચો માણસ છે, કે જેને પપ્પુ ઠેરવવાનો પ્રયત્ન કરાયો અને તેના માટે અબજો કરોડો રૂપિયા વાપર્યા તેમ છતાં દેશ આજે સ્વીકારે છે કે આ (રાહુલ ગાંધી) માણસ બરાબર છે.’

ઈન્દ્રનીલ રાજ્યગુરૂની સ્પષ્ટતા

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ નિવેદના બાદ સ્પષ્ટતા આપી હતી. નિવેદન પર સ્પષ્ટતા આપતા કહ્યું કે ‘મે જે વાત કરી છે તે ઈતિહાસમાં લખાયેલી વાત છે. ગાંધીજીએ તેમની કુશળતા દેશને અર્પણ કરી,રાહુલ ગાંધી એ બીજા ગાંધીજી છે, ગાંધીજીને બદનામ કરનારા ગાંધીજીની ચિંતા કરે છે, રાહુલ ગાંધી મજબુતાઈ અને નિષ્ઠાથી લડવા નીકળ્યા છે. ભાજપ રાહુલ ગાંધીને બદનામ કરી રહી છે, રાહુલ ગાંધીમાં ગાંધીજી જેવી ચતુરાઈ અને કુશળતા છે. ગોડસેની પુજા કરનારા ગાંધીજીની ચિંતા કરે તે મને ગમ્યુ, રાહુલ ગાંધી દ્રઢતા, નિષ્ઠા અને સત્યાગ્રહ રાખે છે,મે ઈતિહાસને વાગોળ્યો છે.’