ભસતાં કૂતરાં કરડે નહિ ને ગાજ્યા મેહ વરસે નહિ |
કેટલાક માણસોને મોટી મોટી વાતો કરવાની ટેવ હોય છે. સાવ નાના મુદ્દાને પણ એ હૂલાવીફૂલાવીને મોટી કરે છે અને એવી આશા ઊભી કરે કે જાણે કેટલુંય કરી નાખશે. આ સંદર્ભમાં કહેવત છે – ગાજ્યા મેહ વરસે નહિ.

આથી ઊલટું, કેટલાક એવા હોય છે કે જાણે બહુ જ શક્તિશાળી અને ક્ષમતા ધરાવતા હોય, વાત વાતમાં ચેલેન્જ ફેંકે, ધમકી આપે અને સામા માણસને દબાવવાનો પ્રયત્ન કરે. વાસ્તવમાં એમની ધમકી સાવ ખોખલી એટલે કે પોલી હોય અને એમનાથી દબાવવાનું અથવા ગભરાવવાનું કોઈ કારણ ન હોય. સામાન્ય રીતે કૂતરાની એક ટેવ એવી હોય છે કે એ પાછળથી આવી અને બચકું ભરી જાય. એ રીતે ચૂપચાપ આવે કે ખબર જ ન પડે. આથી ઊલટું જે કૂતરું ભસે છે તે તો તમને સાવધ કરે છે. મોટા ભાગે આ કારણથી તે કરડી શકતું નથી કારણ કે તમે ચેતી જાવ છો. આમ, બહુ હા-હો કરનાર કે વાત વાતમાં ચેલેન્જ ફેંકનાર માણસથી ગભરાવાની કોઈ જરૂર નથી એ સંદર્ભમાં ભસતા કૂતરા કરડે નહીં એ કહેવત વપરાય છે.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)



જેના કારણે કુબેરનગર મેઈન બજાર, સૈજપુર, સિંધી બજાર, વગેરે વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. લોકોના મકાનો અને દુકાનોમાં પાણી ઘુસી ગયા હતા. આ ઉપરાંત મણિનગરમાં બે, કોતરપુર, મેમ્કો, વટવા, નિકોલ, અને ઓઢવમાં પોણા બે તથા રામોલમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો. સાંજના સમયે મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા અનેક સ્થળે પાણી ભરાવાને કારણે નોકરી- ધંધેથી ઘેર પરત ફરનારા લોકોને હાલાકીનો સામનો કરવો પડયો હતો. તેમજ ઠેર-ઠેર ટ્રાફિક જામના દૃશ્યો જોવા મળ્યા હતા.
શહેરના પૂર્વ પટ્ટાની સરખામણીએ પશ્ચિમ વિસ્તારોમાં ઓછો વરસાદ નોંધાયો હતો. ચાંદખેડા, ઉસ્માનપુરા, રાણીપ, વાસણા બેરેજ, ચાંદલોડિયા, મક્તમપુરા, વગેરે વિસ્તારોમાં અડધો ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. વાસણા બેરેજમાં 131.25 ફુટનું લેવલ નોંધાયું છે અને વાસણા બેરેજના 4 દરવાજા બેથી ત્રણ ફુટ જેટલા ખોલીને પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે.
આમિર ખાન સાથેની ફિલ્મ પછી અભિનયને કારકિર્દી બનાવવાનો નિર્ણય લીધો હતો. દેવેન અનાયાસ જ અભિનયમાં આવ્યો હતો. એ કોલેજમાં ભણતો હતો ત્યારે એનો મિત્ર હાર્દિક નાટક માટે મહેન્દ્ર જોશી પાસે ધક્કો મારીને મૂકી આવ્યો હતો. મહેન્દ્ર જોશી એની સાથે શરૂઆતમાં ખરાબ રીતે રજૂ થયા હતા. પણ દેવેને કરેલા અભિનયથી પ્રભાવિત થઈને એને નાટકમાં જોડાવા કહ્યું હતું. ધીમે ધીમે દેવેન કોલેજમાં નાટકો કરતાં કરતાં બહારના વ્યાવસાયિક નાટકોમાં ભાગ લેવા લાગ્યો હતો. તે ભણવાની સાથે સીએને ત્યાં નોકરી કરતો હતો. તેથી શનિ-રવિમાં જ નાટકોમાં કામ કરતો હતો. ત્યારે દેવેન મહેન્દ્ર જોશીના ‘કેસર ભીના’ નાટકમાં અભિનય કરતો હતો.






