ગુજરાતમાં લલનીનો કારણે સામાન્ય કરતા વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં તમામ વિસ્તારમાં મેઘરાજા મન મૂકી વરસ્યા છે. ભારે વરસાદના પગલે તમામ જળાશયો ધરખામ પાણીની આવક નોંધયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવરમાં 31,5836 મિલિયન ક્યુબિક ફૂટ જળસંગ્રહ છે, જે કુલ સંગ્રહ ક્ષમતાના 94.54 ટકા છે. આ ઉપરાંત તરફ રાજ્યના 206 જળાશયોમાં 86.70 ટકા જળસંગ્રહ છે.
ગુજરાતના તમામ જળાશયોમાં પાણીની ધરખમ આવક નોંધાય છે. જેમાં રાજ્યના 117 જળાશયો ચોમાસાની સિઝન દરમિયાન 100 ટકા ભરાય ચૂક્યા છે. જ્યારે 51 જળાશયો 70 ટકાથી 100 ટકા, 18 જળાશયો 50 ટકાથી 70 ટકા, 13 જળાશયો 25 ટકાથી 50 ટકા ભરાયેલા છે. જ્યારે 7 જળાશયોમાં હજુ પણ જળસ્તર 25 ટકાથી ઓછું છે. આમ 149 જળાશયો હાઈ એલર્ટ, 11 જળાશયો એલર્ટ અને 8 જળાશયો વોર્નિંગ હેઠળ છે.ઉત્તર ગુજરાતના 15માંથી 2, મધ્ય ગુજરાતના 17માંથી 9, દક્ષિણ ગુજરાતના 13માંથી 9, કચ્છના 20માંથી 14, સૌરાષ્ટ્રના 141માંથી 83 જળાશયો 100 ટકાથી વધુ ભરાયા છે. સરદાર સરોવરમાં એક મહિના અગાઉ 88.35 ટકા જળસંગ્રહ હતો. આ ઉપરાંત એક મહિના અગાઉ 100 ટકા ભરાયેલા હોય તેવા જળાશયોની સંખ્યા 53 હતી.
રાજ્યમાં હવામાન વિભાગની આગાહી પર નજર કરીએ તો આજે અને આવતીકાલે અનેક જિલ્લામાં હળવાથી મધ્યમ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં અલગ-અલગ સ્થળોએ એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ, ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.
ગાંધીનગરઃ વડા પ્રધાન મોદી ત્રિદિવસ ગુજરાતના પ્રવાસ છે તેમણે ચોથી ગ્લોબલ રિ-ઇન્વેસ્ટ સમિટ અને એક્સપોનું ઉદઘાટન કર્યું હતું. PM મોદીએ મહેમાનોને સંબોધતાં જણાવ્યું હતું કે મને પૂરો વિશ્વાસ છે કે આવનારા ત્રણ દિવસ સુધી એનર્જીનું ફ્યુચર, ટેકનોલોજી અને પોલિસી પર ગંભીર ચર્ચા થશે. આ કોન્ફરન્સથી એકબીજા પાસેથી શીખીશું.
આ સમિટ 16થી 18 સપ્ટેમ્બર, 2024 દરમિયાન ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરમાં યોજાશે. આ ઉદ્ઘાટન સમારંભમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા. તેમની સાથે ઊર્જા મંત્રી પ્રહલાદ જોશી, ગુજરાતના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈ આ પ્રસંગે હાજરી આપી છે.
વડા પ્રધાને આ સમિટમાં કહ્યું હતું કે ભારતની જનતાને 60 વર્ષ પછી લગાતાર આ સરકારને ત્રીજી વાર ચૂંટી કાઢી છે. 140 કરોડ ભારતીય ભારતને ઝડપથી ટોચનાં ત્રણ અર્થતંત્રોમાં પહોંચડવાના સંકલ્પ સાથે કામ કરે છે. આજની ઇવેન્ટ આઇસોલેટેડ ઇવેન્ટ નથી, એક મોટા મિશનનો હિસ્સો છે. આ સમિટ ગુજરાતમાં પ્રથમ વખત યોજાઈ રહ્યું છે. તેમણે એ પછી સૂર્ય ઘર યોજનાના લાભાર્થીઓના ઘરની મુલાકાત લીધી હતી. તેમણે લાભાર્થીઓ સાથે વાતચીત પણ કરી હતી. રિ-ઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટમાં ભાગ લેવા માટે ચંદ્રબાબુ નાયડુ અને મધ્ય પ્રદેશના CM મોહન યાદવ પણ પહોંચી ગયા છે.
Addressing the 4th Global Renewable Energy Investor’s Meet in Gandhinagar.https://t.co/WvFwcsHeuj
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા મંદિરમાં પ્રદર્શન નિહાળ્યું હતું અને ચરખો પણ ચલાવ્યો હતો. ત્યાર બાદ રાજ્યના CM તેમનું શાલ ઓઢાડીને સ્વાગત કર્યું હતું. રાજ્ય આગામી દિવસોમાં ગુજરાત ગ્રીન હાઇડ્રોજન હબ બને એ માટે ઊર્જા સંગ્રહ માટે રાજ્યમાં 50 જગ્યા નક્કી કરવામાં આવી છે.
આ RE-ઇન્વેસ્ટ ગ્લોબલ રિન્યુએબલ એનર્જી મીટ એન્ડ એક્સ્પોમાં 40થી વધુ સત્રો, 5 પ્લેનરી ચર્ચાઓ અને 115થી વધુ B2B (બિઝનેસ ટુ બિઝનેસ) મીટિંગ્સ યોજાશે. જેમાં 140 દેશોના 25,000 પ્રતિનિધિઓ, 200થી વધુ વક્તાઓ ભાગ લેશે. આ કાર્યક્રમના સહયોગી દેશો ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, જર્મની અને નોર્વે છે, જ્યારે સહયોગી રાજ્યોમાં આંધ્રપ્રદેશ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને તેલંગાણાનો સમાવેશ થાય છે. યુએસએ, યુકે, બેલ્જિયમ, યુરોપિયન યુનિયન, ઓમાન, યુએઈ, સિંગાપોર અને હોંગકોંગના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ આ સમિટમાં હાજર રહેશે.
વડા પ્રધાન મોદી ગ્લોબલ રિ-ઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટની શરૂઆત કરાવ્યા પછી બપોરે 1.30 વાગ્યે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો સેવાને લીલી ઝંડી આપશે. અને સેક્ટર એકથી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં મુસાફરી કરશે. ત્યાર બાદ 3:30 વાગ્યે અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં ભાજપ કાર્યકર સંમેલનમાં હાજરી આપશે. જ્યાં રૂ. 8000 કરોડનાં વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરશે. સાંજે 6 વાગ્યે રાજભવન જશે.
ત્યાર બાદ PM મોદી રાત્રે રાજભવનમાં જ રોકાણ કરવાના છે અને આજે તેઓ ગુજરાતમાં અન્ય વિકાસ કામોનું શિલાન્યાસ અને ખાતમુહૂર્ત કરવાના છે.
મુંબઈ: આંધ્ર પ્રદેશ સરકારે રવિવારે ત્રણ વરિષ્ઠ IPS અધિકારીઓને સસ્પેન્ડ કરવાના અલગ-અલગ આદેશો જારી કર્યા છે. જેમાં ડીજી રેન્કના અધિકારીનો પણ સમાવેશ થાય છે. આ ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારીઓ પર મુંબઈ સ્થિત અભિનેત્રી અને મોડલ કાદમ્બરી જેઠવાની વિરુદ્ધ નોંધાયેલા કેસમાં યોગ્ય તપાસ કર્યા વિના ઉતાવળમાં ધરપકડ કરવામાં અને હેરાન કરવામાં સામેલ હોવાનો આરોપ છે.
આ 3 IPS અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા
સરકારી આદેશ અનુસાર પૂર્વ ગુપ્તચર વડા પી. સીતારામ અંજનેયુલુ (ડાયરેક્ટર જનરલ રેન્ક)ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભૂતપૂર્વ વિજયવાડા પોલીસ કમિશનર કાંતિ રાણા ટાટા (ઇન્સ્પેક્ટર જનરલ રેન્ક) અને તત્કાલીન ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (વિજયવાડા) વિશાલ ગુન્ની (પોલીસ અધિક્ષક)ને અભિનેત્રી જેઠવાની ઉત્પીડનમાં તેમની ભૂમિકા જાહેર થયા બાદ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
પોલીસ અધિકારીઓએ અભિનેત્રીને ધમકી આપી
અભિનેત્રી કાદમ્બરીએ આરોપ લગાવ્યો હતો કે અગાઉની સરકાર દરમિયાન પોલીસ અધિકારીઓએ તેને ધમકી આપી હતી કે જો તે મુંબઈમાં કોર્પોરેશનના ટોચના અધિકારી સામે નોંધાયેલ કેસ પાછો નહીં ખેંચે તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે. અભિનેત્રીની આ વર્ષની શરૂઆતમાં અગાઉની વાયએસઆર કોંગ્રેસ સરકાર દરમિયાન પક્ષના એક નેતા સામે છેતરપિંડીનો આરોપ લગાવતી ફરિયાદના આધારે ધરપકડ કરવામાં આવી હતી.
અભિનેત્રીની ધરપકડ કરવાનો આદેશ
એવો આરોપ છે કે તત્કાલિન ગુપ્તચર વડાએ અન્ય બે અધિકારીઓને અભિનેત્રીની ધરપકડ કરવાનો નિર્દેશ આપ્યો હતો, જો કે તે તારીખ સુધી તેની વિરુદ્ધ કોઈ ગુનો નોંધવામાં આવ્યો ન હતો. સરકારી આદેશ અનુસાર, રેકોર્ડ મુજબ, અભિનેત્રી કાદમ્બરી જેઠવાની વિરુદ્ધ 2 ફેબ્રુઆરીના રોજ સવારે 6:30 વાગ્યે FIR નોંધવામાં આવી હતી, જ્યારે અંજનેયુલુએ FIR નોંધતા પહેલા 31 જાન્યુઆરીએ કાંતિ રાણા ટાટા અને વિશાલ ગુન્નીને સૂચનાઓ આપી હતી.
ખોટો કેસ નોંધાયો
અભિનેત્રીએ હાલમાં જ કેટલાક પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ નોંધાવી હતી કે તેની સામે ખોટો કેસ નોંધવામાં આવ્યો હતો અને તેણીને હેરાન કરવામાં આવી હતી.
સોશિયલ મીડિયાના વધતા જતાં ક્રેઝ અને રીચ જોઈને કોઈપણ દુકાનદાર કે વેપારીના મનમાં એક જ વિચાર આવે છે કે લાખો રૂપિયા ખર્ચીને મારી પ્રોડક્ટની જાહેરાત કરવાના બદલે સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅનસરને બોલાવી માત્ર હજારો રૂપિયામાં એડ કરી લઉં. બીજી તરફ યંગસ્ટર્સને પણ આંગળીના ટેરવે બધી જ વસ્તુ સર્ચ કરવાની કે મેળવવાની આદત પડી ગઈ છે. સોશિયલ મીડિયા પર જઈને બસ જરૂરિયાત પ્રમાણેના કી-વર્ડ નાખીને સર્ચ કરો અને જરૂરિયાત પૂરી કરી લો.
સોશિયલ મીડિયા પર સૌથી વધુ સર્ચ થતી કોઈ રિલ હોય તો એ છે ફૂડ કે રેસ્ટોરન્ટની. કારણ કે મોટાથી લઈને નાના શહેરોમાં ફૂડ બ્લોગર્સનો રાફડો ફાટી નીકળ્યો છે. આ જૂથમાં ફૂડ બ્લોગિંગ કરીને પોતાની જગ્યા બનાવવી તે કોઈ નાની વાત નથી.એમાં પણ જો ફૂડ બ્લોગર એર દિવ્યાંગજન હોય તો! જી હા, તમે બરાબર વાંચ્યું છે. આજે અમે અમારા દીવાદાંડી વિભાગમાં દેશના પ્રથમ દિવ્યાંગ ફૂડ બ્લોગર અંકિત બરનવાલ વિશે વાત કરવાના છીએ. અંકિત સોશિયલ મીડિયા પર ચટોરા અંકિત તરીકે ખૂબ જ પ્રખ્યાત છે. અંકિતભાઈ વિશે વાત શરૂ કરીએ તે પહેલાં તેમનો આ વીડિયો જોઈ લો.
અંકિતને જન્મથી સ્પાઈનલ કોડમાં ટ્યૂમર હતું. જે દૂર કરવામાં ન આવે તો તે ફાટી જવાની સંભાવના હતી. જેના કારણે તેમનું મૃત્યુ પણ થઈ શકતું હતું. આથી માતા-પિતાએ ત્રણ મહિનાના અંકિતનું ઓપરેશન કરાવ્યું હતું. અંકિત એક વર્ષના થયા ત્યાં સુધી કોઈ મુવમેન્ટ કરતા ન હતા આ વાતની નોંધ માતાએ લીધી. ત્યારબાદ ડોક્ટરને બતાવતા તેમણે કહ્યું કે ઓપરેશન દરમિયાન જ અંકિતના પગની કોઈ નસ દબાઈ ગઈ કે કટ થઈ ગઈ હશે. જેના કારણે તેઓ સામાન્ય વ્યક્તિની જેમ હરી-ફરી શકતા નથી.અંકિતભાઈએ હિંમત ન હારી અને કોમર્સમાં ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો. અભ્યાસ બાદ નોકરી પણ કરી. જો કે કોરોનાકાળમાં તેમની નોકરી છૂટી ગઈ અને ત્યારબાદ અનેક પ્રયત્નો પછી પણ બીજી નોકરી મળી નહીં. એ દરમિયાન મિત્રોએ સૂચન કર્યું કે અંકિતભાઈએ ફૂડ બ્લોગિંગ કરવું જોઈએ. કારણ કે મિત્રો તેમના ફૂડ પ્રત્યેના વિશેષ પ્રેમથી સારી રીતે પરિચિત હતા. અંકિતભાઈને ખાવાનો એટલો બધો શોખ કે ઘરમાંથી કપડાં કે બીજી કોઈ વસ્તુ માટે પોકેટ મની મળે તો એ પણ તેઓ ખાવા પાછળ જ ખર્ચી નાખતા હતા. આ સાથે વીડિયોગ્રાફિનો પણ શોખ હતો. મિત્રો સાથે મળીને શોર્ટ ફિલ્મસ પણ બનાવી હતી. આથી તેમના જીવનના અને ફૂડ બ્લોગિંગની સફરના ચાર પિલર સમાન ચાર મિત્રોની સવિશેષ મદદથી ઓગષ્ટ 2021માં શરૂ થઈ ચટોરા અંકિતની સફર.અંકિતભાઈના ચાર મિત્રોની જો વાત કરીએ તો તેમાં પહેલાં છે કૃણાલભાઈ. જેમણે અંકિતભાઈના 100 ફોલોવર્સ પણ ન હતા, ત્યારથી ઘણા બધા કેફે કે રેસ્ટોરન્ટની લીડ લાવીને આપી હતી. બીજા મિત્ર એટલે ચિરાગભાઈ કે જેમણે ફૂડ બ્લોગિંગ શૂટ કરવામાં ખૂબ જ મદદ કરી હતી. ત્રીજા વ્યક્તિ પણ ચિરાગભાઈ છે. જેમણે અંકિતને આર્થિક રીતે ઘણી મદદ કરી હતી. ચોથા ભક્તિભાઈ એટલે કે વિવેકભાઈ. જેમણે ફૂડ બ્લોગિંગનો પાયો નાખવામાં અંકિતભાઈને ખૂબ જ મદદ કરી હતી.
ચટોરા અંકિતનું પેશન અને શોખ બંન્ને ફૂડ છે. જેને ફોલો કરવામાં મિત્રોની સાથે-સાથે પરિવારનો પણ એટલો જ સપોર્ટ મળ્યો છે. પરિવારમાં માતા-પિતા અને એક મોટાભાઈ છે. અંકિતભાઈનું કહેવું છે કે, મેં જ્યારે ફૂડ બ્લોગિંગની શરૂઆત કરી ત્યારે પરિવારમાંથી એટલો સપોર્ટ નહોતો મળ્યો પણ સાથે જ માતા-પિતાએ ના પણ ન પાડી. તેમણે માત્ર એટલું જ કહ્યું હતું કે પોતાનું ધ્યાન રાખજે અને કેરિયર પર ફોક્સ કરજે.
શરૂઆતમાં તેમણે સ્ટ્રીટ ફૂડ વિશે વધારે ફૂડ બ્લોગિંગ કર્યું. શરૂ કર્યાના છ મહિના સુધી અંકિતભાઈને ધીમો રિસપોન્સ મળ્યો હતો. લોકો અંકિતભાઈને કહેતાં કે, તારાથી કંઈ નહીં થાય, તારું કોઈ ભવિષ્ય નથી, તારા માટે આ ઈન્ડસ્ટ્રીમાં કોઈ સ્કૉપ નથી. તેમ છતાં તેમણે હિંમત હાર્યા વગર પોતાનું કામ ચાલુ રાખ્યું. શરૂઆતમાં તો લોકો અંકિતભાઈને એમ પણ કહેતા હતા કે તેઓ માત્ર ખાવા માટે જ જાય છે. જે રેસ્ટોરન્ટમાં જતા હતા ત્યાં સારો રિસપોન્સ પણ ન હતો મળતો. ખિસ્સામાંથી પૈસા કાઢીને શૂટ કરતા હતા. આજે તેઓ યુટ્યુબ અને પ્રમોશન દ્વારા ખુબ જ સારી કમાણી કરી રહ્યા છે. ફંડ અને મેન પાવરની કમીના કારણે અત્યારે અંકિતભાઈ માત્ર સુરતમાં જ ફૂડ બ્લોગિંગ કરે છે.
શારીરિક મર્યાદાઓને કારણે અંકિતભાઈને આ ફિલ્ડમાં અનેક મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડે છે. જેમ કે દરેક રેસ્ટોરન્ટ ગ્રાઉન્ડ ફ્લોર પર ન હોય, વ્હીલચેર ફ્રેન્ડલી ન હોય. ગરમી હોય, વરસાદના કારણે કાદવ હોય, ઠંડી હોય તો પણ એ દરેક મુશ્કેલીઓને પાર કરીને પહોંચી જતા ફૂડ બ્લોગિંગ કરવા માટે. આજે પરિસ્થિતિ એ છે કે લગભગ બધી જ હોટલ કે કેફેના માલિકો અંકિતભાઈ જ્યારે તેમના ત્યાં શૂટ માટે જાય ત્યારે તેમને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે વાતનું ખાસ ધ્યાન રાખે છે.અંકિતભાઈના હાલ ઈન્સ્ટાગ્રામ પર 15 હજાર ફોલોઅર્સ છે. જ્યારે યુટ્યૂબ પર અત્યારે 97 હજાર ફોલોઅર્સ છે. જેને ટૂંક સમયમાં જ એક લાખ સુધી પહોંચાડવાનો ધ્યેય હાલ અંકિતભાઈ રાખી રહ્યા છે. અંકિતભાઈને જે પ્રકારનો પ્રેમ અને પ્રોત્સાહન મળી રહ્યા છે તે જોતા તેમને પોતાના ધ્યેય સુધી પહોંચવાથી કોઈ રોકી શકશે નહીં. ફૂડ અને રેસ્ટોરન્ટ ઈન્ડસ્ટ્રીઝમાં અંકિતભાઈ જેવા ફૂડ બ્લોગર અને ત્યાં જમવા આવતા દિવ્યાંગજનોને ધ્યાનમાં રાખીને ડિઝાઈન તૈયાર કરવાની જરૂરિયાત છે. જેથી કરીને દરેક વ્યક્તિ પોતાના ભાવતા ભોજન સુધી સરળતાથી પહોંચી શકે.
વ્યવસાયમાં શુભ અને પ્રગતિના સમાચાર મળે, કામકાજ દરમિયાન વધુવિચારો આવવાના કારણે તમને તમારા કામની ગતિ ઓછી થાય તેમજ કામનો થાક હોય તેવી લાગણી મનમાને મનમા રહ્યા કરે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમયનો સદુપયોગ ઓછો થાય તેવા સંજોગો બની શકે છે, ખરીદી કરવા પાછળ તેમજ સામાજિકપ્રવૃત્તિના કારણે નાણા અને સમયનો વ્યય થઈ શકે છે, મોસાળપક્ષ તરફથી કોઈ જાણવા જેવા સમાચાર સાંભળવા મળી શકે છે, આરામકરવાની વૃતિ વધુ જોવા મળી શકે, બજારમા અનુભવના આધારે નાનુ કામકાજ કરવુ વધુ યોગ્ય છે, યુવાવર્ગને મનોરંજનમા મન વધુ લાગે.
અચાનક કોઈ સારીવાત સાંભળવા મળી જાય અને તમે સારો ઉત્સાહ અનુભવો, લગ્નબાબત કોઈજગ્યાએ વાતચીત ચાલતી હોયતો તેમા પણ કઈ સારી આશા જાગવાના સંજોગ ઉભા થઇ શકે છે, જુના મિત્રવર્તુળ સાથે મિલનમુલાકાત દરમિયાન તમે સારી મસ્તીમજાક કરો અને ભૂતકાળના સ્મરણો તાજા થાય, વિદ્યાર્થી વર્ગ માટે સપ્તાહ દરમિયાન નવીનજાણકારીકે શીખવાની તક મળે, તમારા પોતાનુ માન જળવાય અને તમારા કામકાજમા અન્યનો સાથસહકાર મળે જેમા તમે ખુશીની લાગણી અનુભવો. બજારના કામકાજ તમને આત્મવિશ્વાસ જોવા મળે તેમજ ક્યાય લાભ થાય તેવુ બનવાથી તમારી ખુશીમા વધારો પણ થાય.
આ સપ્તાહ દરમિયાન તમારા મનને કોઈવાતની શાંતિનો અનુભવ થાય, તમારા કામકાજમા ઉત્સાહ વધુ જોવા મળે તેમજ કામની બાબતમા થોડી ઉતાવળ કરવાનીવૃતી રહે, ઘરમા કે ઓફીસમા તમારી અન્ય સાથે દલીલબાજી થાય પરંતુ ધીરજ અને શાંતિ રાખવાથી પરિસ્થિતિ પણ ઘણી નિયંત્રણમાં રહી શકે છે, તમારા કામકાજમા અન્યનો સાથસહકાર જોવા મળી શકે છે તેમજ તમને પણ અન્યને સહયોગી થવામા થોડા ઉત્સાહી બનો, વેપારના કામકાજમા થોડી રઘવાટ અનુભવો અને તેની અસર તમારા કામકાજમા થઇ શકે છે, લગ્નબાબતની વાર્તાલાપમા યોગ્ય પ્રયત્ન કરવાથી વાત આગળ ચાલે તેવા સંજોગો પણ બની શકે.
વિદ્યાર્થીવર્ગને થોડી તકેદારી રાખવી, આર્થિકક્ષેત્રમા થોડો ઉતર-ચઢાવ આવી શકે છે, સંતાનબાબત,ઘર, કુટુંબમા ભાઈ-બહેનની કોઈ ચિંતા થાય તેવુ બની શકે છે, કામકાજમાં કોઈનો સાથ-સહકાર ઓછો જોવા મળી શકે છે, લગ્ન માટે જેમની વાતચીત ચાલતી હોય તેવા લોકોને અન્ય તરફથી કોઈ ખટપટ ના થાય તેનુ ધ્યાન રાખવું ઇચ્છનીય છે, બજારના કામકાજ ધીરજ રાખવી સારી કહી શકાય, તમારી વાણી-વર્તણુકના કારણે ક્યાય ગેરસમજ ના થાય તેનુ ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવુ, મુસાફરી થોડી કંટાળાજનક બને અને તેનો માનસિકથાક વધુ વર્તાય, પ્રિયજન સાથે મતભેદ ના થાય તેનુ ધ્યાન રાખવુ.
સામાન્ય પરિસ્થિતિ જોવા મળે, ધીરજ રાખવી જરૂરી છે કેમકે ક્ષણિકઆવેશ પણ તમારા માટે કોઈ સમસ્યા સર્જી શકે છે. અણધાર્યાખર્ચને કારણે તમને થોડી અકળામણ આવી શકે છે પણ તેમા તમને કોઈ મોટી સમસ્યા થાય તેવુ જણાતુ નથી. તમને કોઈપણ બાબતના વિચારો વધુ આવે અને તેની અસર તમારા કામ અને વર્તન પર સ્પષ્ટ દેખાઈ આવે, ક્યાય મુસાફરી પણ થઈ શકે છે તેમા તમે કંટાળાની લાગણી વધુ અનુભવી શકો છો, કોઈજગ્યાએ વાતચીત દરમિયાન તકેદારીકે ચોખવટ જેવી બાબતનુ ધ્યાન રાખવુ સારુ, બજારના કોઈપણ પ્રકારના કામકાજમા ઉતાવળિયો નિર્ણય ના લેવાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે.
આશા-નિરાશા જેવા પરિબળો વચ્ચે સપ્તાહ પસાર થાય, ક્યાંક તમારાથી કોઈની અવગણના ના થઇ જાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે. લગ્ન માટે ક્યાય વાર્તાલાપકે મિલન-મુલાકાતમા તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર થોડી સારી રીતે પડી શકે છે, તમે થોડા ચંચળ અને ક્યાંક વધુ પડતા ઉદારવાદી પણ બની શકો છો પણ તેમ થોડું સજાગ રહેવુ જેથી ક્યાય ગેરસમજ ના વર્તાય, બજારના કામકાજમા તમે થોડી અપેક્ષા વધુ રાખો પણ કામકાજતો રાબેતા મુજબનુ થાય, અચાનક કોઈ પસંદગીની વ્યક્તિ સાથે મુલાકાત થવાથી તમારી ખુશીમા વધારો થઈ જાય, તમારામા થોડી ક્યાંક કામ ટાળવાની નીતિ જોવા મળી શકે છે.
કામકાજમા રુકાવટને કારણે તમે કામકાજમા વ્યસ્ત વધુ રહો, સામાજિકકે ધાર્મિકકાર્યક્રમમા તમારી હાજરી થોડી પ્રભાવશાળી બને અને તેમા તમને આત્મસંતોષ વધુ જોવા મળી શકે, કોઈક નવીનકામકાજ થાય તેવુ પણ બની શકે છે, અણધાર્યા નાણાકીયખર્ચ થાય, તમે કોઈના કામકાજમા સારી રીતે સહભાગી બની શકો છો અને તમારા કામની સારીનોધ પણ લેવાય, કામકાજની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ જૂનીવાતકે કામ ક્યાય અટકેલુ હોય તેમા પણ તમે કોઈનો સહયોગ ઈચ્છોતો મળી શકે છે. બજારમા કામકાજ દરમિયાન ગણતરીપૂર્વક વર્તવુ યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમા મહેનત પ્રમાણે ફળ મળે.
તમારે પુરુષાર્થ વધુ કરવો પડે અને કામનુ જે ફળ મળે તેનો સંતોષ રાખવો, મિત્રો સાથે મિલન-મુલાકાતમા તમે ખુશીની લગાણીની સાથે માનસિકથાક અને કંટાળાનો પણ અનુભવ કરો, જુના કોઈ અટકેલા કામકાજમા મહેનત કરોતો તેમા પણ થોડી ગતિ જોવા મળી શકે છે, સ્વાસ્થબાબત થોડી કાળજી રાખવી તેમા પણ જેમને શરદી, તાવ, કફ, આંખ, માથા અંગેની ફરિયાદ હાલમા ચાલતી હોય તેવા લોકોએ ચોકસાઈ વધુ રાખવી સારી કહી શકાય, બજારમા નાનુ અને આયોજનપૂર્વકનુજ કામ કરવુ ઇચ્છનીય છે, યુવાવર્ગને ઈતર પ્રવૃત્તિમા વધારો થાય અને કયાંક આસ્મિક નાણાકીયખર્ચા પણ થઈ શકે છે માટે તકેદારી રાખવી.
વડીલવર્ગની આરોગ્યબાબત થોડી ચિંતા થાય, કોઈ કામની બાબતમા થોડુ અધીરાપણુ વધુ જોવા મળે તેના કારણે તમે કોઈના ઉશ્કેરાટના ભોગ પણ બની શકો છો પરંતુ તમારા કામકાજમા તમને કોઈનો સાથ-સહકાર પણ સારો મળી શકે છે અને તેમે થોડી ખુશી પણ અનુભવો, ઘરમાકે ઓફીસમા તમારા વિચાર મતભેદને કારણે ક્યાંક અણગમો વર્તાય પરંતુ તમારી વ્યવહારકુશળતાના કારણે તમે પરિસ્થિતિને કાબુમા લાવીદો. બજારના કામકાજમા તમને નિર્ણયશક્તિનો અભાવ વર્તાય અને તેની અસર તમારા કામકાજ પર પડી શકે માટે શાંતિ અને ગણતરીપુર્વક જ કામ કરવુ જોઈએ, વાહન ધીમે ચલાવવુ સલાહભર્યું છે.
જીવનસાથી સાથે આત્મીયતા વધે તેથી ઉત્સાહ જોવા મળે અને તેમા પણ તમારી કોઈ પસંદગીની વ્યક્તિ સાથે કોઈ સારીવાતની આપ-લે થાય, તમારી લાગણીની કદર થાય, કોઈજગ્યાએ તમારાથી કોઈ નાખુશ થયુ હોય તેવા લોકો તરફથી પણ સારો આદરકે પ્રતિભાવ જોવા મળે, તમારી લાગણીનો કોઈ દુરુપયોગ ના કરે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, લગ્નનીવાત કોઈજગ્યાએ ચાલતી હોય તેમા પણ તમને સારો પ્રતિભાવ કે જાણવા જેવી વાત સાંભળવા મળી શકે છે, તમે થોડા ધાર્મિકવૃતિ તરફ ધ્યાન વધુ આપો તેવુ પણ બની શકે છે, બજારના કામકાજમા તમારા અનુભવનો ઉપયોગ તમે સારી રીતે કરીને લાભ મેળવી શકો છો.
યુવાવર્ગને નાનીવાતમા ગુસ્સો આવી જવો અને નારાજ થઇ જવુ તે મુજબનુ વર્તન જોવા મળી શકે છે પરંતુ ક્યાંકથી આકસ્મિકનાણાકીય કે કોઈબાબતે ખુશી થવાય તેવો લાભ પણ બની શકે છે, કમર, સાંધા, સ્નાયુ જેવી તકલીફ ભોગવતા હોય તેવા લોકોએ થોડી તકેદારી રાખવી જરૂરી છે, સગા-સ્નેહી સાથેની વાર્તાલાપમા તમને ગમતી કોઇ વાત સાંભળવા મળી શકે છે, તમારા હિતશત્રુ તમને ઉશ્કેરે નહિ તે બાબતની કાળજી રાખવી જરૂરી છે, તમારી પસંદગીની કોઈવસ્તુ ખરીદવાની ઈચ્છા રાખતા હોવતો તે માટે પણ તમને તક મળી શકે છે, બજારના કામકાજમા પસંદગી અનુરૂપ નાના કામ કરવા યોગ્ય છે.
તમારા કામકાજમા અન્યનો સાથ-સહકાર ઓછો મળી શકે છે, તમારા કામમા ગણતરી અને મહેનતના પ્રમાણમા ઓછુફળ મળી શકે છે, લગ્નની માટેની વાતચીત ક્યાય ચાલતી હોયતો તેની વાર્તાલાપ અને મિલન-મુલાકાતમા અતિઉત્સાહ ના રાખવો ફક્ત એટલુ ધ્યાન રાખવુંકે ઈર્ષાળુ કોઈ ખટપટ ના કરી જાય, યાત્રા-પ્રવાસ પણ તમને ઓછા ઉત્સાહવાળો રહે, મિત્રવર્તુળ સાથે કોઈ નવીનવાતની આપલે પણ થઇ શકે છે, બજારના કામકાજમા તમને સારુ કરવાની લાગણી જન્મી શકે છે અને આયોજનપૂર્વક કામ કરોતો થોડો લાભ થઈ શકે છે, કોઈ કારણસર આકસ્મિકખર્ચ થવાથી મન થોડુ નાખુશ રહે તેવુ પણ બનવા જોગ છે.
આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સામાજિકકે ધાર્મિકકામમા મિલન-મુલાકાત થઇ શકે, માર્કેટિંગ ક્ષેત્રમા પરિચિતકે જુનાસંપર્કમા કામકાજ કરવામા આવેતો સારુ પરિણામ જોવા મળી શકે છે, પ્રવાસયોગ થઈ શકે છે, યુવાવર્ગને ગમતી કોઈવાત સાંભળવા મળે, વેપારમા નાનુ કામ કરવુજ યોગ્ય છે.
આજનો દિવસ થોડો ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે ખાસકરીને વાણીસયમ રાખવો જરૂરી છે તદુપરાંત ગુસ્સા પર કાબુ રાખવો અગત્યનો છે, વેપારમા કોઇપણ પ્રકારના જોખમથી દુર રહેવુ, પ્રિયજન સાથે વિચારમતભેદ ના થાય તેની કાળજી રાખવી, માર્કેટિંગક્ષેત્રમા સમયનો દુર્વ્યય વધુ થાય.
આજનો દિવસ સામાન્ય છે, મન થોડુ અશાંત રહે પરંતુ દિવસ રાબેતામુજબ શાંતિથી પસાર થાય, કામકાજમા સમયનો દુર ઉપયોગ થવાથી થોડી ઉશ્કેરાટ અનુભવો, વેપારમા નાનુ અને ગણતરીપુર્વકનું કામ કરવુ યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમા વ્યસ્તતા વચ્ચે પણ કામ શાંતિથી પૂર્ણ થઇ શકે છે.
આજનો દિવસ સરસ છે, તમને ઉત્સાહ સારો જોવા મળે અને તેની સારી અસર તમારા વ્યવહાર અને કામકાજ પર પડે જેને કારણે તમને અન્યનો સાથસહકાર સારી રીતે મેળવી શકો, તમારી કોઈજૂની ઓળખાણથી લાભની વાત બને, વેપારના કામકાજમા અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.
આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે, તમને આજે થોડો ગુસ્સો કઈને કઈ બાબત પર જોવા મળે જેને કારણે કોઈની લાગણી ના દુભાય તેનુ ધ્યાન રાખવુ, વાહન ધીમે ચલાવવું તેમજ મુસાફરીમા ધ્યાન રાખવુ, વેપારના કામકાજમા જોખમીપરિબળથી દુર રહેવુ સલાહ ભર્યું છે.
આજનો દિવસ સરસ છે તેમા પણ તમારા ધાર્યા કામ થાય મન થોડુ આજે ઉદાર બની ક્યાંક કોઈને સહભાગી બનો અને જૂનીભૂલ સુધારવા માટે પ્રયત્ન કરો, વેપારના કામકાજમા ચોકસાઈ રાખોતો લાભ થાય, યુવાવર્ગને પોતાની કોઈ અંગતવાતની દ્વિધા હોયતો તેમા પણ યોગ્ય રાહ મળે તેવુ બની શકે છે.
આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો અગત્યનો છે, ક્યાય ઉતાવળિયો નિર્ણય ના લેવાય તેનુ ધ્યાન રાખવુ, વાહન ધીમે ચલાવવુ અને ક્યાય કોઈની સાથે ઉગ્રતા ના થાય તે બાબતની કાળજી રાખવી, માર્કેટિંગક્ષેત્રમા કંટાળાજનક પરિસ્થિતિ જોવા મળે શકે છે, વેપારમા જોખમથી દુર રહેવુ.
આજનો દિવસ સારો છે, ક્યાંક પ્રવાસયોગ બને, તમારા મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવુ પણ બનવા જોગ છે, તમારી કરેલી મહેનતનુ ફળ સારુ મળી શકે તેવુ પણ બની શકે છે, માર્કેટિંગક્ષેત્રમા તમને અન્યનુ માર્ગર્દર્શન સારુ મળી રહે, વેપારમા લાભની તક રહેલી છે, યુવાવર્ગને સારી ખુશી જોવા મળી શકે છે.
આજનો દિવસ તમારા માટે થોડો સામાન્ય છે, રોજબરોજના કામમા દિવસ પસાર થઇ જાય, તમારા કામમા થોડા વ્યસ્ત રહો તેવુ પણ બની શકે છે, વેપારમા નાનુ અને ગણતરીપૂર્વકનુ કામ યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમા માનસિકથાકની લાગણી વધુ અનુભવો, યુવાવર્ગને કોઇવાતમા આતુરતા વધુ જોવા મળી શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, મિત્રોથી કોઈ કામકાજમા તમને લાભ થઈ શકે છે, ક્યાંક મુસાફરી થાય તેવા યોગ પણ બને છે, માર્કેટિંગક્ષેત્રમા સારાકામ કર્યાનો સંતોષ મળે, વેપારમા નાનુ કામજ કરવુ યોગ્ય છે, યુવાવર્ગને આજે પોતાના મનની કોઈવાત ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે છે.
આજનો દિવસ શાંતિ અને સાવચેતીમા પસાર કરવો ઇચ્છનીય છે, વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, ક્યાય પાડવા-વાગવાના યોગ છે માટે તકેદારી રાખવી, આજે નકારત્મકવિચાર વધુ રહે અને તેની અસર તમારા કામકાજ પર પણ પડી શકે છે, વેપારમા કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવુ.
આજનો દિવસ સરસ છે તમારો આત્મવિશ્વાસ પણ સારો જોવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમા વધુ સમય ફાળવોતો કંઇક સારુ શીખવાની અપેક્ષા પૂરી થાય, માર્કેટિંગક્ષેત્રમા આયોજનબદ્ધ કામ કરવાથી સારુ પરિણામ મળી રહે, વેપારમા અનુભવ મુજબ કામ કરવાથી લાભ થઈ શકે છે.
મુંબઈ: અનેક હિટ ફિલ્મોનું દિગ્દર્શન કરનાર રામ ગોવિંદનું શનિવારના રોજ સવારે 10 વાગ્યે નિધન થયું. તેઓ 84 વર્ષના હતા. લાંબી માંદગી બાદ તેમના જુહુ સ્થિત નિવાસસ્થાને તેમણે અંતિમ શ્વાસ લીધા. આ એક યોગાનુયોગ છે કે લોકો રામ ગોવિંદને માત્ર માયા ગોવિંદના પતિ તરીકે જ જાણીતા હતા. તેઓ એક કવિ, થિયેટરકર્મી, લેખક અને ફિલ્મ નિર્દેશક પણ હતા. રામ ગોવિંદ તેમના જીવનસાથી, પ્રખ્યાત ગીતકાર માયા ગોવિંદની પ્રતિભાને પ્રોત્સાહન આપવા માટે પોતે ક્યારેય પ્રસિદ્ધિમાં આવ્યા નહિં. છ દાયકાથી વધુની તેમની ફિલ્મી કારકિર્દી દરમિયાન, તેઓ પડદા પાછળ રહ્યા અને સુપરહિટ ફિલ્મ બાગબાન, ધાર્મિક ધારાવાહિક રામાયણ, મહાભારત, વિષ્ણુ પુરાણ અને હરિગોવિંદ વિશ્વકર્મા સહિત ત્રણ ડઝનથી વધુ ધાર્મિક સિરિયલોની પટકથા લખી.રામ અને માયા ગોવિંદના પુત્ર અજય ગોવિંદે જણાવ્યું કે તેમના પિતાની તબિયત ઘણા સમયથી ખરાબ હતી. તેમની અંતિમયાત્રા જુહુ સ્થિત નિવાસસ્થાનેથી નીકળીને શનિવારે મોડી સાંજે વિલેપાર્લે વેસ્ટના પવન હંસ સ્મશાનગૃહ પહોંચી હતી. જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.1940માં લખનઉમાં જન્મેલા રામ ગોવિંદ થિયેટર આર્ટિસ્ટ અને કવિ હતા. તેમણે લખનઉ દર્પણ નામનું નાટક જૂથ બનાવ્યું હતું. જેમાં અભિનય કરતી વખતે તેમની મુલાકાત માયા ગોવિંદ સાથે થઈ હતી. બંનેના શોખ અને પસંદ સરખા હતા. આથી બંન્નેએ થોડાં વર્ષો પછી લગ્ન કરી લીધા. આ બંને 1960માં મુંબઈ આવી ગયા હતા.આ સમયગાળા દરમિયાન તેમણે નાની-નાની નોકરીઓ મળતી રહી. સૌપ્રથમ રામ ગોવિંદને ફિલ્મ ‘આરોપ’ની સ્ક્રિપ્ટ લખવાનું કામ મળ્યું. આ ફિલ્મના ગીતો માયા ગોવિંદે લખ્યા હતા. આ પછી રામને કેદ, મેરા રક્ષક, બિંદિયા ચમકેગી અને તોહફા મોહબ્બત કા સહિત એક ડઝન ફિલ્મોની સ્ક્રિપ્ટ લખી. જેમાંથી અમિતાભ બચ્ચન અને હેમા માલિની સ્ટારર બાગબાન સુપરહિટ રહી. આ સિવાય તેમણે લગભગ ત્રણ ડઝન ટેલિવિઝન સિરિયલોની સ્ક્રિપ્ટ લખી છે.રામ ગોવિંદે હિન્દી ઉપરાંત અંગ્રેજી, મરાઠી, ગુજરાતી અને પંજાબીમાં પણ લેખન કાર્ય કર્યું છે. તેમણે ઘણી કવિતાઓ અને ગઝલો લખી છે. પરંતુ તેમનું પુસ્તક ક્યારેય પ્રકાશિત થયું નહીં અને તેમની પત્નીને પુસ્તકો લખવા માટે પ્રોત્સાહિત કરતા રહ્યા. માયા ગોવિંદના કુલ 13 પુસ્તકો પ્રકાશિત થયા છે. રામ ગોવિંદ ખૂબ જ સારા એક્ટર હતા. તેમણે વિજય તેંડુલકરના નાટક ‘ખામોશ અદાલત જારી હૈ’ના શ્રેષ્ઠ દિગ્દર્શન માટે સંગીત-નાટક એકેડમી એવોર્ડ મળ્યો હતો.