Home Blog Page 1155

દિલ્હીમાં મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહની તારીખ અને સમય નક્કી, રામલીલા મેદાનમાં તૈયારીઓ શરૂ..

દિલ્હીના મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ 20 ફેબ્રુઆરીએ સાંજે 4:30 વાગ્યે યોજાશે. નવા મુખ્યમંત્રી રામલીલા મેદાનમાં મંત્રીમંડળના સભ્યો સાથે શપથ લેશે. આ માટે રામલીલા મેદાનમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

શપથ ગ્રહણ અને સરકાર રચના અંગે ભાજપ આજે સાંજે એક બેઠક યોજશે. વિધાનસભા પક્ષની બેઠકનો સમય અને તારીખ બેઠકમાં નક્કી કરવામાં આવશે. શપથ ગ્રહણ સમારોહના પ્રભારી વિનોદ તાવડે અને તરુણ ચુઘ બેઠકમાં હાજર રહેશે. દિલ્હી ભાજપ પ્રમુખ વીરેન્દ્ર સચદેવા અને દિલ્હી ભાજપ સંગઠનના અધિકારીઓ પણ હાજર રહેશે. આ બેઠકમાં શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ, બેઠક વ્યવસ્થા અને મહેમાનોની યાદીને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.

ભાજપે મોટી જીત મેળવી છે.

૫ ફેબ્રુઆરીએ યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે મોટી જીત મેળવી છે. પાર્ટી 27 વર્ષ પછી રાષ્ટ્રીય રાજધાનીમાં સત્તામાં આવી છે. દિલ્હી વિધાનસભાની 70 માંથી 48 બેઠકો પર ભાજપે જીત મેળવી. જ્યારે AAP ને 22 બેઠકો મળી. વિધાનસભા ચૂંટણીના પરિણામો ૮ ફેબ્રુઆરીના રોજ જાહેર થયા હતા. હવે વિપક્ષી પાર્ટીઓ મુખ્યમંત્રીના શપથ ગ્રહણમાં વિલંબ પર સવાલો ઉઠાવી રહી છે.

આજે કાર્યકારી મુખ્યમંત્રી આતિશીએ કહ્યું, “દિલ્હી ચૂંટણીના પરિણામો જાહેર થયાને દસ દિવસ વીતી ગયા છે. દિલ્હીના લોકોને આશા હતી કે શપથ ગ્રહણ સમારોહ 10 ફેબ્રુઆરીએ થશે અને ત્યારબાદ તેમનું કામ શરૂ થશે, પરંતુ જનતા રાહ જોતી રહી. આનાથી સાબિત થાય છે કે ભાજપ પાસે દિલ્હીમાં સરકાર ચલાવવા માટે એક પણ મુખ્યમંત્રી ચહેરો નથી.

મુખ્યમંત્રી પદની રેસમાં કોણ કોણ છે?

મુખ્યમંત્રી પદની રેસમાં પરવેશ વર્મા, ભાજપના દિલ્હી એકમના ભૂતપૂર્વ પ્રમુખ વિજેન્દ્ર ગુપ્તા અને સતીશ ઉપાધ્યાયનો સમાવેશ થાય છે. આ સાથે પવન શર્મા, આશિષ સૂદ, રેખા ગુપ્તા અને શિખા રાય સહિત અન્ય લોકોને પણ મુખ્યમંત્રી પદના દાવેદાર તરીકે જોવામાં આવી રહ્યા છે. પ્રવેશ વર્માએ વિધાનસભા ચૂંટણીમાં નવી દિલ્હી બેઠક પર AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને હરાવ્યા છે. તે જાટ સમુદાયનો છે. જોકે, ભાજપના ઘણા નેતાઓ માને છે કે રાજસ્થાન, હરિયાણા, મધ્યપ્રદેશ, ઓડિશા અને છત્તીસગઢની જેમ, ભાજપ નેતૃત્વ નવા ચૂંટાયેલા ધારાસભ્યોમાંથી એક પર દાવ લગાવી શકે છે.

USથી દેશનિકાલ કરાયેલા લોકોમાં 33 ગુજરાતી સામેલ, 4 પહોંચ્યા, 29 બપોરે આવશે

અમદાવાદ: અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ભારતીય ઈમિગ્રન્ટ્સની ત્રીજી ફ્લાઈટ રવિવારે અમૃતસર ખાતે પહોંચી હતી. ત્રીજી ફ્લાઈટ 112 ભારતીયોને લઈ અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવી હતી. અમેરિકન ઍરફોર્સનું વિમાન RCH869 મોડી રાત્રે અમૃતસર ,ઍરપોર્ટ પર લેન્ડ થયું. ત્રીજી ફ્લાઇટમાં હરિયાણાના સૌથી વધુ 44, ત્યારબાદ ગુજરાતના 33 અને પંજાબના 31 લોકો સામેલ હતા. જ્યારે અન્ય ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના હતા. તેમાંથી 33 ગુજરાતીઓ આજે બે ફ્લાઇટમાં અમદાવાદ આવવાના છે. તેમાંથી 4 તો અમદાવાદ ઍરપોર્ટ પર આવી પહોંચ્યા છે અને બાકીના 29 બપોરની ફ્લાઇટમાં આવશે.

માહિતી અનુસાર અમૃતસરથી બે ફ્લાઇટમાં અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 33 ગુજરાતીઓને અમદાવાદ લાવવામાં આવશે. તેમાં પહેલી ફ્લાઇટમાં 4 અને બીજી ફ્લાઇટમાં 29 લોકોને અમદાવાદ લાવવામાં આવવાના છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાથી ત્રણ વિમાનોમાં કુલ 74 ગુજરાતીઓને અત્યાર સુધી ડિપોર્ટ કરવામાં આવ્યા છે. જેમાં પહેલી ફ્લાઇટમાં 33, બીજીમાં 8 અને ત્રીજી ફ્લાઇટમાં ફરી 33 લોકોને અમૃતસર ડિપોર્ટ કરાયા હતા. અમદાવાદ એરપોર્ટ પર પહોંચેલા ચાર લોકોની તપાસ કરવામાં આવી હતી. જે બાદ ચાલ લોકો પોતાના વતન પરત મોકવામાં આવ્યા હતા. જેમાં બે લોકો મહેસાણાના હતા. જ્યારે અન્ય બેમાં એક ગાંધીનગર અને સુરેન્દ્રનગરના છે. મહેસાણાના યુવકોને પોલીસની ગાડીમાં બેસાડીને રવાના કરાયા હતા. ગાંધીનગરના યુવકને અમદાવાદ ઍરપોર્ટમાં રોકી રાખવામાં આવ્યો છે અને તેને બપોરે બીજી ફ્લાઇટમાં આવનારા લોકો સાથે ગાંધીનગર રવાના કરવામાં આવશે.  નોંધનીય છે કે, 15 ફેબ્રુઆરી, શનિવારે પણ 116 ભારતીયોને લઈને અમેરિકન ઍરફોર્સનું બીજું વિમાન મોડી રાત્રે અમૃતસર ઍરપોર્ટ પર લેન્ડ થયું હતું. જેમાં 60થી વધુ પંજાબના અને 30થી વધુ હરિયાણાના હતા. જ્યારે તેમાં 8 લોકો ગુજરાતના હતા અને અન્ય ઉત્તર પ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરના હતા.

ગુજરાતમાં ઠંડી વિદાય શરૂ, જાણો હવામાન વિભાગની આગાહી

અમદાવાદ: ગુજરાતમાંથી ધીમે પગલે શિયાળાની વિદાય શરૂ થઈ ચૂકી છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં સરેરાશ લઘુત્તમ તાપમાનનો પારો 15 ડિગ્રીથી વધારે નોંધાયો હતો. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગની આગાહી આગામી 5 દિવસ ગરમીમાં વધારો થવાની સંભાવના નહિંવત્ છે. આ સાથે અમદાવાદમાં શનિવારે રાત્રિના 19.2 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું. આમ 24 કલાકમાં જ અમદાવાદના સરેરાશ લઘુતમ તાપમાનમાં 4 ડિગ્રીનો વધારો થયો છે. આગામી 3 દિવસ અમદાવાદનું લઘુતમ તાપમાન 18થી 20 ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી છે.

ગુજરાતમાં હાલ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે. આવનારા સાત દિવસ દરમિયાન ગુજરાતનું હવામાન સૂકું રહેશે. આવનારા પાંચ દિવસ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર જોવા મળશે નહીં. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આજે આકાશ સ્પષ્ટ રહેશે. આ સાથે આજે લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી રહેવાની શક્યતા છે. આ સાથે મહત્તમ તાપમાન 35 ડિગ્રી જવાની આગાહી છે. નોંધનીય છે કે, હાલ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે સવારે હળવી ઠંડીનો અહેસાસ થાય છે. બપોરના સમયે સૂકું હવામાન જોવા મળે છે. રવિવારે દિવસ દરમિયાન 34 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2.9 ડિગ્રી વધારે નોંધાયું હતું. હવામાન નિષ્ણાતોને મતે આગામી સપ્તાહથી અમદાવાદમાં ગરમીનું પ્રમાણ વધી શકે છે. ગત રાત્રિના અન્યત્ર વડોદરામાં લઘુતમ 18.2-મહત્તમ 33.6 ડિગ્રી, ભાવનગરમાં લઘુતમ 20.1-મહત્તમ 35.8, ભુજમાં લઘુતમ 18.8-મહત્તમ 35, ગાંધીનગરમાં લઘુતમ 18.5-મહત્તમ 35.5, રાજકોટમાં 18.6-મહત્તમ 33.7, સુરતમાં લધુતમ 18.1-મહત્તમ 35 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

પ્રાચીન રાજપુર જિનાલયની મૂર્તિઓના સ્થળાંતર મામલે વિવાદ, સંતો ઉપવાસ પર

અમદાવાદ: ગોમતીપુર વિસ્તારમાં આવેલા રાજપુરના અતિ પ્રાચીન જિનાલયમાંથી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાન તેમજ અન્ય મૂર્તિઓનું સ્થાળાંતર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેને લઈ વિવાદ સર્જાયો હતો. મૂર્તિઓનું સ્થળાંતર કરીને શીલજ ખસેડવાનો મુદ્દો વકર્યો છે. જૈન મૂર્તિઓને ખસેડવાના મુદ્દે જૈન સમાજના સંતો ઉપવાસ પર ઉતરીને વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. ઘટનાની ગંભીરતાને લઇને પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પ્રાચીન જૈન મૂર્તિઓને ગોમતીપુરથી શીલજ ખસેડવાના વિરોધમાં સંત નિલેશચંદ્ર અને તેમના સમર્થકો જોડાયા હતા.

અમદાવાદ હેરીટેજ સીટીમાં ઘણી એવી જગ્યા છે, જે વર્ષોથી આસ્થાનું પ્રતિક બની રહ્યા છે. જેમાનું એક ગોમતીપુર વિસ્તારમાં આવેલા રાજપુરના અતિ પ્રાચીન જૈન દેરાસર છે. આ દેરાસર સાથે અનેક જૈન-જૈનેત્તરની આસ્થા જોડાયેલી છે. એક સમયે આ દેરાસરની આસપાસ મોટી સંખ્યામાં જૈનો રહેતા હતા. આજે પણ નદી પાર સ્થળાંતર થયેલા શ્રદ્ધાળુ આ પ્રાચીન દેરાસરમાં દર્શનાર્થે આવે છે. દર રવિવારે પણ અહીં 500થી વધુ શ્રદ્ધાળુઓની હાજરી હોય છે. હવે આ પ્રાચીન જિનાલયમાંથી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાન તેમજ અન્ય મૂર્તિઓનું સ્થળાંતર કરીને શીલજ લઇ જવાઈ છે. જિનાલયના ઉત્થાપનની કામગીરી ઘણાં સમયથી ચાલતી હતી, ત્યારે સોશિયલ મીડિયામાં જિનાલયની પ્રતિમાના સ્થળાંતરણ અંગેના ફરતા વીડિયોમાં ભગવાન વિના હવે સૂનુ સૂનું લાગશે એવી પણ શ્રદ્ધાળુઓએ લાગણી વ્યકત કરી હતી.

‘જો ટ્રમ્પ ટેકો આપશે તો ઈરાન ખતમ થઈ જશે…’: નેતન્યાહૂની ખુલ્લેઆમ ધમકી

જેરૂસલેમ: ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ હવે ઈરાનને ધમકી આપી છે. રવિવારે, નેતન્યાહૂએ કહ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના સમર્થનથી, તેઓ ઈરાનનું ‘કામ પૂરું’ કરશે. નેતન્યાહૂએ આ નિવેદન એવા સમયે આપ્યું છે જ્યારે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો ઇઝરાયલની મુલાકાતે ગયા છે.


ઇઝરાયલી પીએમએ શું કહ્યું?

નેતન્યાહૂએ કહ્યું, ‘છેલ્લા 16 મહિનામાં, ઇઝરાયલે ઈરાનના આતંકવાદીઓને મોટા ફટકા આપ્યા છે.’ રાષ્ટ્રપતિ ટ્રમ્પના મજબૂત નેતૃત્વ હેઠળ, મને વિશ્વાસ છે કે આપણે ઈરાનને ખતમ કરી દઈશું. આ દરમિયાન, રુબિયોએ કહ્યું કે ‘ઈરાન ક્યારેય પરમાણુ શક્તિ ન બની શકે.’ રુબિયોએ કહ્યું કે આપણે સમજવું પડશે કે તે હમાસ છે કે હિઝબુલ્લાહ. પછી ભલે તે સીરિયામાં અસ્થિરતા હોય કે ઇરાકમાં તણાવ. આ બધા પાછળ ઈરાનનો હાથ છે.હમાસને પણ ચેતવણી આપો

નેતન્યાહૂએ કહ્યું કે તેઓ ગાઝા પ્રત્યે ભવિષ્યના અભિગમ અંગે ટ્રમ્પની વ્યૂહરચનાને સમર્થન આપે છે અને કહ્યું કે જો બધા બંધકોને મુક્ત કરવામાં નહીં આવે તો તેઓ હમાસ માટે “નરકના દરવાજા” ખોલી નાખશે. ટ્રમ્પે તાજેતરમાં ગાઝાને “મોટી રિયલ એસ્ટેટ સાઇટ” ગણાવીને પુનઃવિકાસનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેના કારણે ભારે વિરોધ થયો હતો. રુબિયોએ આ યોજના વિશે કહ્યું, “આ વાત ઘણા લોકોને આશ્ચર્યચકિત કરી શકે છે, પરંતુ તે જરૂરી છે.” નેતન્યાહૂએ કહ્યું કે આ યોજના તેમના માટે આશ્ચર્યજનક નથી. કારણ કે ટ્રમ્પે તેની જાહેરાત કરતા પહેલા તેમની સાથે ચર્ચા કરી હતી.

તમને જણાવી દઈએ કે ટ્રમ્પે કહ્યું હતું કે ગાઝા ખાલી કરાવ્યા પછી, અહીં પુનર્નિર્માણ કાર્ય ખૂબ જ જોશથી હાથ ધરવામાં આવશે. આપણે ગાઝાને મધ્ય પૂર્વના રિવેરામાં પરિવર્તિત કરીશું. ટ્રમ્પે કહ્યું કે આ નિર્ણય સંપૂર્ણ ગંભીરતા સાથે લેવામાં આવ્યો છે. આ બ્લુપ્રિન્ટ વિશે મેં જેમની સાથે વાત કરી છે તેમને તે ગમ્યું છે. ગાઝા પર અમેરિકન કબજા પછી, આ વિસ્તારનું પુનઃનિર્માણ કરવામાં આવશે અને પછી અહીં હજારો રોજગારની તકો પૂરી પાડીને તેનો વિકાસ કરવામાં આવશે.

દિલ્હીમાં ભૂકંપનું કેન્દ્ર ધૌલા કુઆ પાસે, પહેલાં અહીં ક્યારે નોંધાયા હતા ઝટકા?

નવી દિલ્હી: સોમવારે વહેલી સવારે દિલ્હી-NCRમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપની તીવ્રતા 4.0 નોંધાઈ હતી. મળતી માહિતી મુજબ, આ ભૂકંપનું કેન્દ્ર નવી દિલ્હીમાં હતું. એક અધિકારીએ સમાચાર એજન્સી  જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર ધૌલા કુઆમાં દુર્ગાબાઈ દેશમુખ કોલેજ ઓફ સ્પેશિયલ એજ્યુકેશન નજીક હતું. સવારે ૫:૩૬ વાગ્યે આવેલો આ ભૂકંપ પાંચ કિલોમીટરની ઊંડાઈએ હતો.

અધિકારીએ જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્રબિંદુ જ્યાં હતું તે વિસ્તારની નજીક એક તળાવ પણ છે. જ્યાં દર બેથી ત્રણ વર્ષે ભૂકંપ આવે જ છે. બીજા એક અધિકારીએ જણાવ્યું હતું કે, 2015માં પણ આ વિસ્તારમાં 3.3 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો.

ભૂકંપના જોરદાર આંચકાને કારણે દિલ્હી, નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં ઘણી ઊંચી ઇમારતોના લોકો પોતાના ઘરની બહાર નીકળી આવ્યા હતા. ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં, દિલ્હી પોલીસે કહ્યું, “અમને આશા છે કે તમે બધા સુરક્ષિત હશો.” દિલ્હી પોલીસે નાગરિકોને કટોકટીની સ્થિતિમાં 112 હેલ્પલાઇન પર કૉલ કરવાની અપીલ કરી છે.

દિલ્હી ભૂકંપ પર PM મોદીની પોસ્ટ, શાંત રહેવા લોકોને કરી અપીલ

નવી દિલ્હી: સોમવારે વહેલી સવારે દિલ્હી-NCRમાં આવેલા ભૂકંપ મામલે PM મોદીએ ટ્વિટર પર એક પોસ્ટ કરી. જેમાં તેમણેે લોકોને સાવધ રહેવાની વિનંતી કરી અને કહ્યું, ‘દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા. અમે દરેકને શાંત રહેવા અને સલામતીની સાવચેતીઓનું પાલન કરવા વિનંતી કરીએ છીએ. અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

દિલ્હીના કાર્યકારી મુખ્યમંત્રી આતિશીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે, “દિલ્હીમાં હમણાં જ એક શક્તિશાળી ભૂકંપ આવ્યો છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે બધા સુરક્ષિત રહે.”

સોમવારે વહેલી સવારે દિલ્હીમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આ આંચકાનો અનુભવ ઘણી સેકન્ડ્સ સુધી અનુભવાયો હતો. લોકો ગભરાઈને પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0 માપવામાં આવી હતી, તેનું કેન્દ્ર દિલ્હી નજીક પૃથ્વીની સપાટીથી 5 કિલોમીટર નીચે હતું. એટલા માટે જોરદાર ભૂકંપ અનુભવાયો હતો. ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે ગર્જનાના અવાજો સંભળાયા હતા. હાલમાં, ક્યાંયથી જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.

માલીમાં સોનાની ખાણમાં મોટો અકસ્માત, જમીન ધસી પડતાં 48ના મોત

બામાકો: પૂર્વ માલિમાં સોનાની ધસી પડતાં લગભગ 48 લોકો માર્યા ગયા છે, જ્યારે અનેક લોકો ઘવાયા છે. પશ્ચિમ આફ્રિકાના ફ્રેન્ચભાષી આ દેશમાં આ વર્ષે મોટા અકસ્માતની આ બીજી ઘટના નોંધાઈ છે.

માલી આફ્રિકાના અગ્રણી સોનાના ઉત્પાદકોમાંનું એક છે. અહીં ખાણકામ સ્થળો પર નિયમિતપણે જીવલેણ ભૂસ્ખલન અને અકસ્માતોની દુર્ઘટનાઓ બને છે. વિશ્વના સૌથી ગરીબ દેશોમાંના એક એવા આ દેશમાં કિંમતી ધાતુના અનિયંત્રિત ખાણકામને નિયંત્રિત કરવા માટે અધિકારીઓ સંઘર્ષ કરી રહ્યા છે.

એક સ્થાનિક અધિકારીએ ભૂસ્ખલનની દુર્ઘટનાની પુષ્ટિ કરી છે. જ્યારે કેનીબા ગોલ્ડ માઇનર્સ એસોસિએશને પણ 48 લોકોના મોતની પુષ્ટિ કરી છે.

ગત જાન્યુઆરી મહિનામાં, દક્ષિણ માલીમાં સોનાની ખાણમાં ભૂસ્ખલનની દુર્ઘટનાથી ઓછામાં ઓછા 10 લોકો માર્યા ગયા હતા અને અનેક લોકો ગુમ થયા હતા. જેમાં મોટાભાગની મહિલાઓ હતી. એક વર્ષ પહેલાં, શનિવારે ભૂસ્ખલન થયું હતું તે જ પ્રદેશમાં સોનાની ખાણકામ સ્થળ પર એક ટનલ તૂટી પડી હતી, જેમાં 70 થી વધુ લોકો માર્યા ગયા હતા.

દિલ્હી-NCRમાં વહેલી સવારે 4.0ની તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ફફડાટ

નવી દિલ્હી: સોમવારે વહેલી સવારે દિલ્હીમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આ આંચકાનો અનુભવ ઘણી સેકન્ડ્સ સુધી અનુભવાયો હતો. લોકો ગભરાઈને પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0 માપવામાં આવી હતી, તેનું કેન્દ્ર દિલ્હી નજીક પૃથ્વીની સપાટીથી 5 કિલોમીટર નીચે હતું. એટલા માટે જોરદાર ભૂકંપ અનુભવાયો હતો.

કેટલા વાગ્યે આવ્યા આંચકા? 

થોડીક સેકન્ડ સુધી ચાલેલા ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે ઇમારતોની અંદર તીવ્ર કંપન અનુભવાયા. સવારે 5:36 વાગ્યે ભૂકંપના જોરદાર આંચકા આવ્યા હતા, જેનાથી લોકોની ઊંઘ હરામ થઈ ગઈ.

ક્યાં હતું ભૂકંપનું કેન્દ્ર? 

એક અધિકારીએ જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર ધૌલા કુઆમાં દુર્ગાબાઈ દેશમુખ કોલેજ ઓફ સ્પેશિયલ એજ્યુકેશન નજીક હતું. અધિકારીએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્રબિંદુ જ્યાં હતું તેની નજીક એક તળાવ છે. આ પ્રદેશમાં દર બે થી ત્રણ વર્ષે એક વાર નાના અને ઓછી તીવ્રતાના ભૂકંપ આવે છે. તેમણે કહ્યું કે, 2015માં અહીં 3.3 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

PM મોદીએ ટ્વિટ કર્યું

PM મોદીએ ટ્વિટર પર એક પોસ્ટમાં લોકોને સાવધ રહેવાની વિનંતી કરી અને કહ્યું, ‘દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા. અમે દરેકને શાંત રહેવા અને સલામતીની સાવચેતીઓનું પાલન કરવા વિનંતી કરીએ છીએ. અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

સુવિચાર – ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૫