જામનગર જિલ્લામાં 45 ઉમેદવારો મેદાનમાં, જાણો એક ક્લિકમાં સંપૂર્ણ માહિતી

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની જાહેરાત થઈ ગઈ છે. ગુજરાતમાં લગભગ છેલ્લાં ત્રણ દશકાથી ભાજપની જ સરકાર છે. મોટા ભાગે અહીં ભાજપ-કોંગ્રેસ વચ્ચે જ સીધી લડાઈ જોવા મળે છે. ગુજરાતમાં આજ દિવસ સુધી તો ત્રીજા પક્ષનું કોઈ અસ્તિત્વ રહ્યું નથી. પરંતુ આ વખતની ચૂંટણી કંઈક અલગ છે. ભાજપ, કોંગ્રેસ બાદ હવે અહીં આમઆદમી પાર્ટી પણ સામે આવી છે. વાત કરીએ જામનગર જિલ્લાની તો આ જિલ્લામાં વિધાનસભાની 5 સીટ આવે છે. કાલાવડ, જામનગર ગ્રામ્ય, જામનગર ઉત્તર, જામનગર દક્ષિણ અને જામજોધપુર આવે છે.

આમ જોઈએ તો જામનગર જિલ્લામાં 20 થી 29 વર્ષની વયના 243380 મતદારો છે જ્યારે 30 થી 39 વર્ષના 302022 મતદારો છે 40 થી 49 વચ્ચેની વયના 236532 મતદારો નોંધાયા છે 50 થી 59 વચ્ચેની વયના 184238 મતદારો નોંધાયા છે 60 થી 69 વર્ષની વચ્ચે 121457 મતદારો નોંધાયા છે તો 70 થી 79 વર્ષ વચ્ચેની વયના 63045 મતદારો નોંધાયા છે 80 પલ્સ વયના સિનિયર સીટીઝન 28384 મતદારો નોંધાયા છે. આમ જામનગર જિલ્લામાં 18 પ્લસ થી લઈને 80 પ્લસ સુધીના કુલ મતદારો 1206910 મતદારો નોંધાયા હોવાનું જાણવા મળે છે.

જામનગર જિલ્લાની પાંચેય વિધાનસભા વિસ્તારોની બેઠકો માટે ઉમેદવારી પત્રો પરત ખેંચવાની પ્રક્રિયાઓ પૂર્ણ થઈ છે, અને કુલ 45 ઉમેદવારી પત્ર માન્ય રહ્યા છે. અને 45 ઉમેદવારો જામનગર જિલ્લાની પાંચેય બેઠકો પર ચૂંટણી જંગ લડશે.

કાલાવડ બેઠક

આ 182 વિધાનસભા બેઠકમાં કાલાવાડ વિધાનસભા બેઠક 76માં ક્રમાંકે છે. જે અનુસૂચિત જાતિના સભ્ય માટે અનામત રાખવામાં આવી છે. કાલાવાડ વિધાનસભા બેઠક પર વર્ષ 1985થી વર્ષ 2012 સુધી ભાજપનું એકચક્રી શાસન રહ્યું છે.કાલાવાડ વિધાનસભા બેઠક પર વર્ષ 1985થી 7 ટર્મ સુધી એટલે કે, 35 વર્ષ સુધી આ બેઠક પર ભાજપનો દબદબો રહ્યો છે. તો વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણી આવતા ગુજરાતના રાજકીય સમીકરણો બદલાઈ ગયા હતા. કાલાવાડ વિધાનસભા બેઠક પર સતત 7 ટર્મથી ચૂંટાઈ આવતા ભાજપને કોંગ્રેસે હારનો સ્વાદ ચખાડ્યો હતો. જામનગર જિલ્લાની કાલાવડ વિધાનસભા બેઠક 1962થી 2017 સુધીનું વિધાનસભાનું ચૂંટણી ચિત્ર રોચક રહ્યું છે. નવા સીમાંકન અનુસાર કાલાવડ વિધાનસભા મતવિસ્તારને અનુસૂચિત જાતિ માટે અનામત જાહેર કરવામાં આવ્યો છે.કાલાવડ વિધાનસભા વિસ્તારમાં 1 ઉમેદવારી પત્ર પરત ખેંચાયું હતું, જેથી હવે 05 ઉમેદવારી પત્ર માન્ય રહયા છે.

કાલાવાડ બેઠક પરના ઉમેદવારો

કાલાવાડ બેઠક પર કુલ 05 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે.

ભાજપ – મેઘજીભાઇ ચાવડા

કોંગ્રેસ – પ્રવિણભાઇ મુસડીયા

આપ – ડો.જીજ્ઞેશ સોલંકી

આ બેઠક પર મતદારોની સંખ્યા

વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર પ્રવિણભાઈ મુસડીયાએ ભાજપ ઉમેદવાર મુળજીભાઈ ધૈયાદાને હરાવીને જીત મેળવી છે. વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર મેઘજીભાઈ ચાવડાએ કોંગ્રેસ ઉમેદવાર દિનેશ પરમારને મ્હાત આપી હતી.આ પહેલાં વર્ષ 2012ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મેઘજીભાઈ ચાવડાએ કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પરમારને હરાવ્યા હતા.2017ની ચૂંટણીમાં પ્રવિણભાઈને 77,595 વોટ મળ્યા હતા, જ્યારે ભાજપના મુળજીભાઈને 44 હજાર 740 વોટ મળ્યા હતા.

 

જામનગર ગ્રામ્ય બેઠક

જામનગર રૂરલ ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 77મા નંબરની બેઠક છે. આ બેઠક જામનગર જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક જામનગર છે. આ બેઠકમાં જામનગર તાલુકો અને જોડિયા તાલુકાના અમુક ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બેઠકમાં ભાજપ માટે ઉતાર-ચડાવવાળો રહ્યો છે. જામનગર ગ્રામીણ બેઠક પર 1998 અને 2007માં ભાજપ વિજયી થયું હતું. 2012માં રાઘવજી પટેલ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા અને વિજયી થયા હતા. જે બાદ તેઓ ભાજપમાં જોડાયા હતા અને 2017ની ચૂંટણી ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડ્યા હતા પરંતુ તેઓ કોંગ્રેસના વલ્લભ ધારવિયા સામે હારી ગયા હતા. જે બાદ વલ્લભ ધારવિયા 2017માં ભાજપમાં જોડાતા 2019માં પેટા ચૂંટણી થઇ હતી અને ભાજપે ફરી રાઘવજી પટેલેને ઉભા રાખ્યા હતા અને તેઓ વિજયી બન્યા હતા.વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના નેતા રાઘવજી પટેલે ભાજપના નેતા રણછોડભાઈ ફળદુને હરાવ્યા હતા.

2017ની વિધાનસભા ચૂંટણીઓના પરિણામો
2017ની વિધાનસભાની ચૂંટણીમાં કુલ 27 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 25 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી.ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં વર્ષ 2019માં જામનગર ગ્રામીણ વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રાઘવજી પટેલે 33 હજાર 22 મતથી જીત મેળવી હતી. આ પહેલાં વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર વલ્લભભાઈ ધારાવિયાએ ભાજપના ધારાસભ્ય રાઘવજી પટેલને હરાવ્યા હતા.જામનગર જિલ્લાની 77- જામનગર ગ્રામ્ય વિધાનસભાની બેઠક માટે 12 ઉમેદવારી પત્ર માન્ય રહ્યા હતા. જેમાંથી 6 ફોર્મ પરત ખેંચાઈ ગયા હોવાથી હવે 6 ઉમેદવારો ચૂંટણી જંગ ના મેદાનમાં રહ્યા છે.

જામનગર ગ્રામ્ય બેઠક પરના ઉમેદવારો

જામનગર ગ્રામ્ય બેઠક પર કુલ 6 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે.

ભાજપ – રાઘવજી હંસરાજ પટેલ

કોંગ્રેસ – જીવણભાઇ કુંભારવડીયા

આપ – પ્રકાશ ધીરૂભાઇ દોંગા

આ બેઠક પર મતદારોની સંખ્યા

 

જામનગર ઉત્તર બેઠક 

જામનગર નોર્થ ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 78મા નંબરની બેઠક છે. આ બેઠક જામનગર જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક જામનગર છે. જામનગરને છોટા કાશી કહેવામાં આવે છે. જામનગર ઉત્તર બેઠક એક સમયે જામનગર બેઠકનો ભાગ હતી. 2008માં નવા સિમાંકન બાદ આ બેઠકની રચના કરવામાં આવી હતી. નવા સિમાંકન બાદ 2012માં થયેલી ચૂંટણીમાં કોંગ્રેસના ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે હકુભાનો વિજય થયો હતો. અહીં કોઈપણ પક્ષ હોય પણ હકુભાનો દબદબો યથાવત રહ્યો છે.

2017ની વિધાનસભાની ચૂંટણીના પરિણામો
2017ની વિધાનસભાની ચૂંટણીમાં કુલ 24 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 22 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી.2017ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કોંગ્રેસ ઉમેદવાર જીવનભાઈ આહિરને હરાવીને જંગી બહુમતીથી જીત મેળવી હતી.હકૂભા તરીકે ઓળખતા કોંગ્રેસના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ જાડેજા વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ પ્રમુખ મુળુભાઇ બેરાને 9448 મતોથી પરાજય આપી વિજયી બન્યા હતાં.

જામનગર શહેરની 78- જામનગર ઉત્તર વિધાનસભા વિસ્તાર માટે 22 ઉમેદવારી પત્ર માન્ય રહ્યા હતા. જેમાંથી 11 ઉમેદવારી પત્ર ગઇકાલે પરત ખેંચાઈ જતાં હવે 11 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.

જામનગર ઉત્તર બેઠક પરના ઉમેદવારો

જામનગર ઉત્તર બેઠક પર કુલ 11 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે.

ભાજપ – રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા

કોંગ્રેસ – બિપેન્દ્રસિંહ ચતુરસિંહ જાડેજા

આપ – કરશનભાઇ પરબતભાઇ કરમુર

આ બેઠક પર મતદારોની સંખ્યા

 

જામનગર સાઉથ બેઠક

જામનગર સાઉથ ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 79મા નંબરની બેઠક છે. આ બેઠક જામનગર જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક જામનગર છે. જામનગરને સૌરાષ્ટ્રનું પેરિસ પણ કહેવામાં આવે છે. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન જામનગરના રાજા જામ દિગ્વિજયસિંહે પોલેન્ડના એક હજાર બાળકોને આશ્રય આપ્યો હતો. જામનગર સાઉથને ભાજપનો ગઢ માનવામાં આવે છે. આ બેઠક પણ એક સમયે જામનગર બેઠકનો ભાગ હતી. જામનગર બેઠક પર 1985થી ભાજપ જીતતું આવ્યું છે. 2008માં નવા સિમાંકન બાદ જામનગર દક્ષિણ બેઠકની રચના કરવામાં આવી હતી. નવા સિમાંકન પછીની 2012 અને 2017ની ચૂંટણીમાં પણ આ બેઠક પર ભાજપનો વિજય થયો હતો.

આ બેઠક પર 1985થી સતત ભાજપનું એક હથ્થું શાસન છે. વર્ષ 1985માં ભાજપના ઉમેદવાર વસંતભાઇ સંઘવીએ કોંગ્રેસના આઇએ કરીમ હાજી અહેમદને હરાવ્યા હતા. અહીંથી આ બેઠક પર ભાજપનો સુવર્ણ યુગ શરૂ થયો હતો. ત્યારબાદ ભાજપે ક્યારે પાછું વળીને નથી જોયું. વર્ષ 1990માં ભાજપના વસંત સંઘવીએ ફરી જંગી બહુમતી નોંધાવી કોંગ્રેસના એમકે બલોચને હરાવ્યા હતા. વર્ષ 1995 અને 1998માં સતત બે ટર્મ સુધી ભાજપના પરમાનંદ ખટ્ટરે કોંગ્રેસના વિનોદરાય વસંતને મ્હાત આપી હતી. જ્યારે વર્ષ 2002થી વર્ષ 2012 એમ સતત 3 ટર્મ સુધી આ બેઠક પર ભાજપના ઉમેદવાર વસુબેન ત્રિવેદીએ સત્તાનો મોરચો સંભાળ્યો હતો. ત્યારબાદ 2017ની ચૂંટણીઓ બાદ આ બેઠક ભાજપના રણછોડભાઇ ચનાભાઇ ફળદુના હાથમાં આવી હતી.

2017ની વિધાનસભા ચૂંટણીઓના પરિણામો
2017ની વિધાનસભાની ચૂંટણીમાં કુલ 10 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 8 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી. 2017ની ચૂંટણીમાં રણછોડભાઈએ કોંગ્રેસના ઉમેદવાર અશોક લાલને હરાવ્યા હતા. આરસી ફળદુને 71,718 વોટ મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર લાલને માત્ર 55,369 વોટ મળ્યા હતા.

જામનગર શહેરની બીજી બેઠક 79- જામનગર દક્ષિણ વિધાનસભા વિસ્તારમાં 21 ઉમેદવારી પત્રો માન્ય રહ્યા હતા, જેમાં 07 ઉમેદવારી પત્ર પરત ખેંચાઈ જતા 14 ઉમેદવારો મેદાનમાં છે.

જામનગર સાઉથ બેઠક પરના ઉમેદવારો

જામનગર સાઉથ બેઠક પર કુલ 14 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે.

ભાજપ – દિવ્યેશભાઇ રણછોડભાઇ અકબરી

કોંગ્રેસ – મનોજભાઇ ગોરધનભાઇ કથિરીયા

આપ – વિશાલ રાજબલ ત્યાગી

આ બેઠક પર મતદારોની સંખ્યા

 

જામજોધપુર બેઠક

જામજોધપુર ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 80મા નંબરની બેઠક છે. આ બેઠક જામનગર જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક જામનગર છે. આ બેઠકમાં જામજોધપુર તાલુકો, લાલપુર તાલુકો અને ભાણવડ તાલુકાના ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જામજોધપુર બેઠક પરથી ભાજપના ચિમન સાપરિયા 6 વખત ચૂંટણી લડ્યા છે. જેમાં 1995, 1998, 2002 અને 2012માં તેમનો વિજય થયો હતો. જ્યારે 2007 અને 2017માં તેમને કોંગ્રેસના ઉમેદવાર સામે હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો. જામજોધપુર બેઠક પર વર્ષ 2012માં ભાજપ, 2007માં કોંગ્રેસ, 2002માં ભાજપ, 1998માં ભાજપ, 1995માં ભાજપે જીત નોંધાવી હતી.

2017ની વિધાનસભા ચૂંટણીઓના પરિણામો
2017ની વિધાનસભાની ચૂંટણીમાં કુલ 12 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 10 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી. જામજોધપુર વિધાનસભા બેઠક પર વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર ચિરાગભાઈ કાલરિયા, ભાજપ ઉમેદવાર ચિમનભાઈ શાપરિયા અને બીએસપીના ઉમેદવાર પ્રવિણભાઈ નરિયા વચ્ચે ચૂંટણી જંગ  હતી. જેમાં કોંગ્રેસ ઉમેદવાર ચિરાગ કાલરિયાએ બાજી મારી હતી.ચિરાગ કાલરિયાને 63,735 વોટ મળ્યા હતા જ્યારે ભાજપના ઉમેદવાર ચિમનભાઈ શાપરિયાને 61,279 વોટ મળ્યા હતા.તો વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર ચિમનભાઈ શાપરિયાએ કોંગ્રેસ ઉમેદવાર હરદાસ આહિરને મ્હાત આપી હતી.

આ ઉપરાંત જામનગર જિલ્લાની 80-જામજોધપુર વિધાનસભાની બેઠક માટે 12 ઉમેદવારી પત્ર માન્ય રહયા હતા. જેમાં પણ 03 ઉમેદવારી પત્રો પરત ખેંચાઈ જતાં હવે 09 ઉમેદવારો ચૂંટણી જંગના મેદાનમાં છે.

જામજોધપુર સાઉથ બેઠક પરના ઉમેદવારો

જામજોધપુર સાઉથ બેઠક પર કુલ 09 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે.

ભાજપ – ચીમનભાઇ સાપરીયા

કોંગ્રેસ – ચિરાગભાઇ રમેશભાઇ કાલરીયા

આપ – હેમતભાઇ હરદાસભાઇ ખવા

આ બેઠક પર મતદારોની સંખ્યા