મુંબઈ: કાંદીવલીમાં સાહિત્યિક કાર્યક્રમ ‘અનુવાદ આદાનપ્રદાન ‘નું આયોજન

મુંબઈ: એક ભાષાનું સાહિત્ય જ્યારે બીજી ભાષામાં અનુવાદિત થાય છે ત્યારે એ સાહિત્યનો સમય, ત્યાંની સંસ્કૃતિ, સંવેદના અને માનવજીવનના ધબકારા પણ બીજી ભાષાના ભાવક સુધી પહોંચે છે. 10 ઑગસ્ટ, શનિવારે મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી તથા કેઈએસ ગુજરાતી ભાષાભવનના ઉપક્રમે ‘અનુવાદ આદાનપ્રદાન’ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

દિનકર જોષી, કલ્પના દવે, અભિજિત ચિત્રે અને દર્શના ઓઝા

વરિષ્ઠ સર્જક દિનકર જોષી આ કાર્યક્રમની ભૂમિકા માંડતું વક્તવ્ય આપશે. ડૉ. કલ્પના દવે ગુજરાતી અને મરાઠી ભાષાના નવલકથા તથા નિબંધના અનુવાદની વાત કરશે. કવયિત્રી પ્રતિમા પંડ્યા ગુજરાતી અને મરાઠી ભાષાની કવિતાના આદાનપ્રદાનની વાત કરશે. જ્યારે ડૉ. દર્શના ઓઝા ભારતીય તથા અન્ય ભાષાઓ તથા ગુજરાતી ભાષાના સાહિત્યના આદાનપ્રદાન વિશે સંચાલનમાં વાત વણી લેશે.

જાણીતા નાટ્ય કલાકાર અભિજિત ચિત્રે કેટલાક ઉત્તમ અંશોનું વાચિકમ કરશે. આ કાર્યક્રમની પરિકલ્પના સંજય પંડ્યાએ કરી છે. કાર્યક્રમનું આયોજન કેઈએસ ઈન્ટરનેશનલ સ્કૂલના હૉલમાં, કાંદિવલી ખાતે સાંજે 5:30 કલાકે કરવામાં આવ્યું છે. ઈચ્છુક દરેક સાહિત્યપ્રેમી આ કાર્યક્રમમાં ભાગ લઈ શકે છે.