TMC એ લોકસભા ચૂંટણી 2024 માટે મેનિફેસ્ટો બહાર પાડ્યો

મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે બુધવારે લોકસભા ચૂંટણી 2024 માટે પોતાનો મેનિફેસ્ટો બહાર પાડ્યો. ટીએમસીએ તેના ઢંઢેરામાં વચન આપ્યું છે કે જો કેન્દ્રમાં સરકાર રચાશે, તો તે CCA (નાગરિકતા સુધારો કાયદો) રદ કરશે. સાથે જ NRC (નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન)ની પ્રક્રિયા પણ બંધ થઈ જશે. તૃણમૂલ કોંગ્રેસે તેના મેનિફેસ્ટોમાં યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) લાગુ નહીં કરવાનું વચન આપ્યું છે. TMCએ લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની શરૂઆતના બે દિવસ પહેલા પોતાનો મેનિફેસ્ટો બહાર પાડ્યો છે. તમને જણાવી દઈએ કે પહેલા તબક્કામાં પશ્ચિમ બંગાળના કૂચ બિહાર, અલીપુરદ્વાર અને જલપાઈગુડીમાં 19 એપ્રિલે મતદાન થશે.

ટીએમસીના ઢંઢેરામાં કરવામાં આવેલા વચનો

1. 25 વર્ષ સુધીના તમામ સ્નાતક અને ડિપ્લોમા ધરાવતા યુવાનોને માસિક સ્ટાઈપેન્ડ સાથે 1 વર્ષની એપ્રેન્ટિસશીપ (કોઈપણ ક્ષેત્રમાં તાલીમ) આપવામાં આવશે.

2. ઉચ્ચ શિક્ષણ લઈ રહેલા વિદ્યાર્થીઓને 10 લાખ રૂપિયા સુધીનું સ્ટુડન્ટ ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે.

3. ઉચ્ચ શિક્ષણ લઈ રહેલા SC, ST અને OBC વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની રકમ ત્રણ ગણી કરવામાં આવશે.

4. પેટ્રોલ, ડીઝલ અને એલપીજી સિલિન્ડરના ભાવ એટલી મર્યાદામાં નક્કી કરવામાં આવશે કે સામાન્ય નાગરિકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે. ભાવની વધઘટને રોકવા માટે ‘પ્રાઈસ સ્ટેબિલાઈઝેશન ફંડ’ની સ્થાપના કરવામાં આવશે.

5. સ્વામીનાથન કમિશનની ભલામણો મુજબ, ભારતના ખેડૂતોને MSP ની કાનૂની ગેરંટી આપવામાં આવશે, જે તમામ પાકોના ઉત્પાદન ખર્ચ કરતાં ઓછામાં ઓછા 50% વધુ હશે.

6. મનરેગા હેઠળ, તમામ જોબ કાર્ડ ધારકોને 100 દિવસનું કામ આપવામાં આવશે અને તમામ કામદારોને દરરોજનું લઘુત્તમ વેતન ₹400 મળશે.

7. દેશભરના દરેક ગરીબ પરિવારને પ્રતિષ્ઠિત આવાસ સુનિશ્ચિત કરવામાં આવશે, જેનાથી બધા માટે કાયમી અને સલામત મકાનો સુનિશ્ચિત થશે.