અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર બસ અકસ્માત, બેનાં મોત, અનેક ઘાયલ

ગુજરાતમાં એક પેસેન્જર બસ અકસ્માતનો ભોગ બની હતી. નડિયાદમાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર આ પેસેન્જર બસ રોડ પરની રેલિંગ તોડીને 25 ફૂટ નીચે પડી હતી. આ દુર્ઘટનામાં બે લોકોના મોત થયા છે જ્યારે ઘણા ઘાયલ થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે બસ અમદાવાદથી પુણે જઈ રહી હતી. આ બસમાં 20 થી વધુ લોકો મુસાફરી કરી રહ્યા હતા. ઘટના બાદ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઘટના અંગે માહિતી આપતા નડિયાદના એસપી રાજેશ ગઢિયાએ જણાવ્યું હતું કે બસ અમદાવાદથી પૂના જઈ રહી હતી. આ બસમાં લગભગ 23 મુસાફરો હતા. સિમેન્ટના ટેન્કરના ચાલકે અચાનક વાહન ડાબી બાજુ ફેરવ્યું હતું, જેના કારણે બસ અથડાઈ હતી. આ ઘટનામાં બે લોકોના મોત થયા છે. ટેન્કર ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.