નેપાળ: ‘રાજાશાહી’ સ્થાપવા મુદ્દે અને હિન્દુ રાજ્યનો દરજ્જો આપવાની માગ મુદ્દે કાઠમાંડુમાં અથડામણ શરૂ થઈ ગઈ છે. કાઠમંડુમાં સુરક્ષા કર્મચારીઓ અને રાજાશાહીના સમર્થકો વચ્ચે આ અથડાણ હિંસક થઈ છે. અહીં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. આ ઉપરાંત પથ્થમારો અને આગ ચાંપવાના બનાવો પણ શરૂ થઈ ગયા છે. થોડા દિવસ પહેલા પણ નેપાળના રાષ્ટ્રધ્વજ સાથે પૂર્વ રાજા જ્ઞાાનેન્દ્ર વીર વિક્રમ શાહની છબી સાથે વ્યાપક દેખાવો થયા હતા.
#WATCH | Nepal: A clash broke out between pro-monarchists and Police in Kathmandu near the airport. Several rounds of tear gas and rubber bullets fired by the Police. Vehicles and a house torched. Curfew ordered in Tinkune, Sinamangal and Koteshwor area.
Visuals from Kathmandu… pic.twitter.com/Be0Emk8EjO
— ANI (@ANI) March 28, 2025
નેપાળમાં છેલ્લા કેટલાક દિવસોથી ફરી રાજાશાહીની માગ તીવ્ર બની છે. ઘણા લોકો નેપાળને ફરી હિન્દુ રાષ્ટ્ર જાહેર કરીને જ્ઞાનેન્દ્ર શાહને રાજગાદી પર બેસાડવાની માગ કરી રહ્યા છે. એવામાં શુક્રવારે નેપાળમાં ઠેર-ઠેર હિંસા જોવા મળી. બેકાબૂ ભીડે અનેક ઈમારતો અને વાહનોને આગના હવાલે કરી દીધા. મોટી સંખ્યામાં પોલીસ જવાનો ઈજાગ્રસ્ત હોવાની માહિતી મળી રહી છે. જે બાદ અનેક વિસ્તારોમાં કર્ફ્યૂ લગાવવાની જાહેરાત કરી દેવામાં આવી છે તથા સંવેદનશીલ વિસ્તારોમાં સેનાને પણ તહેનાત કરવામાં આવી છે. નોંધનીય છે કે નેપાળમાં 2008માં સત્તાવાર રીતે રાજાશાહીનો અંત થયો હતો.
દેખાવકારોનો સુરક્ષા કર્મચારીઓનો પથ્થમારો
વાયરલ થયેલા વીડિયોમાં દેખાવકારો સુરક્ષા કર્મચારીઓ પર પથ્થરમારો કરતા જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ પથ્થરબાજોને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડવામાં આવી રહ્યા છે. જો કે અત્યાર સુધીમાં થયેલી હિંસક અથડામણોમાં મોતના અહેવાલો સામે આવ્યા નથી.કાઠમંડુમાં અનેક સ્થળે દેખાવો
નેપાળમાં ચાર પક્ષના ગઠબંધન સોશિયલિસ્ટ ફોરમ પણ રાજાશાહી થોપવાના વિરોધમાં છે અને તેઓ સમર્થકોનો મુકાબલો કરવાના પ્રયાસના ભાગરૂપે કાઠમંડુના પ્રજાસત્તાક વ્યવસ્થાના સમર્થનમાં દેખાવો કરી રહ્યા છે. સી.પી.એન.-માઓવાદી સેન્ટર, સી.પી.એન.-યુનિફાઈડ સોશિયલિસ્ટ સહિત અન્ય પક્ષો દેશમાં ગણતંત્ર વ્યવસ્થાને મજબૂત કરવાના ઉદ્દેશ્યથી દેખાવોમાં જોડાઈ રહ્યા છે. કાઠમંડુમાં બે જુદા-જુદા સંગઠનોએ દેખાવો શરૂ કરી દેતા નેપાળ પોલીસે ભારે સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દીધો છે.
નેપાળમાં રાજાશાહી અસંભવ : ઓલી
આ મુદ્દે વડાપ્રધાન કે.પી.ઓલી અને નેપાળી કોંગ્રેસના વડા શેર બહાદૂર દેઊબાએ તાજેતરમાં જ કહ્યું છે કે, નેપાળમાં ફરી રાજાશાહી સ્થાપવી સંભવિત લાગતું નથી. સી.પી.એન માઓવાદી સેન્ટરના ચેરમેન પુષ્પ કમલા દહલ પ્રચંડ પણ માને છે કે, જ્ઞાાનેન્દ્રસિંહે લોકોને મૂર્ખ બનાવવાનું છોડી દેવું જોઇએ. જો પૂર્વ રાજાને લાગે કે તેઓ બહુ ફેમસ છે તો પોતાની એક પાર્ટી બનાવી શકે. જો જનતા તક આપશે તો, તેઓ ફરી દેશની સેવા કરી શકશે. આર.પી.પી.ના સમર્થકોનું કહેવું છે કે નેપાળ સરકારમાં ભ્રષ્ટાચાર ચરમ સીમા પર છે. તેથી લોકતંત્ર હટાવી ફરી રાજા શાહી લાવવી જોઇએ.
VIDEO | Nepal: Clashes erupt between security and pro monarchy activists in Kathmandu demanding restoration of monarchy and Hindu Kingdom status.
(Source: Third Party)
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/4ffcGas6kr
— Press Trust of India (@PTI_News) March 28, 2025
નેપાળમાં 2008 સુધી રાજાશાહી હતી
નેપાળમાં 2008 સુધી રાજાશાહી હતી. જો કે તે દૂર થયા પછી કાઠમંડુ સ્થિત નારાયણી મહાલય (રોયલ પેલેસ)ને મ્યુઝિયમમાં ફેરવી નખાયો છે. દરમિયાન 6 માર્ચે પોખરામાં જ્ઞાાનેન્દ્ર શાહે પૂર્વ રાજા વીર વીરેન્દ્ર શાહની પ્રતિમાનું વિમોચન કર્યું તે સમયે અસંખ્ય લોકો ત્યાં ઉપસ્થિત હતા. તેઓએ રાજાશાહી સમયનું રાષ્ટ્રગીત પણ ગાયું. આશ્ચર્યની વાત તે છે કે રાજાશાહીની માગણી કરનારાઓમાં સૌથી વધુ યુવાનો છે.
